SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ મુનિને તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ યોગોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, પરંતુ પ્રમાદ ન કરવો જોઈએ (૧૯) વૃદ્ધાવસ્થા, રોગ અને ઇન્દ્રિયોથી અશક્ત થયા પહેલાં જ સંયમમાં પરાક્રમ કરી લેવું જોઈએ. ४७ (૨૦) ક્રોધ પ્રીતિનો, માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. તેથી તે સર્વેના પ્રતિપક્ષી ઉપશમ, મૃદુતા, સરળતા અને સંતોષને ધારણ કરી કષાય વિજેતા બનવું જોઈએ. ખરેખર કષાય જ પુનર્જન્મના મૂળને સિંચનાર અવગુણ છે. (૨૧) રત્નાધિક ભિક્ષુઓની વિનય-ભક્તિ કરવી, તેમાં પણ સંયમ મર્યાદાનું અર્થાત્ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન યારે ય ન કરવું. (૨૨) નિદ્રાને બહુ આદર ન આપવો, હાસ્યનો તેમજ પરસ્પર વાતો કરવાનો ત્યાગ કરવો અને સદા સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ. (૨૩) મુનિએ આળસ છોડી સંયમ, તપ, સ્વાધ્યાયમાં વૃદ્ધિ કરવી. (૨૪) કાયાથી, આસનથી તેમજ વચનથી ગુરુનો પૂર્ણવિનય કરવો. (૨૫) જે ભાષાને બોલવાથી કોઈને અપ્રીતિ થાય, ગુસ્સો આવે; એવું ન બોલવું. (૨૬) ગંભીરતાથી વિચાર કરીને અસંદિગ્ધ ભાષા બોલવી. (૨૭) વિદ્વાન, બહુશ્રુત આદિની પણ યારે ય ભાષામાં સ્ખલના-ભૂલ થઈ જાય તો તેમનો ઉપહાસ કરવો નહીં. (૨૮) મુનિ સ્વપ્ન ફળ, નિમિત્ત, ઔષધ, ભૈષજ ગૃહસ્થને ન બતાવે. (૨૯) મુનિએ ગૃહસ્થ માટે બનાવેલ, સ્ત્રી, પશુ આદિથી રહિત અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિથી યુક્ત સ્થાનમાં જ રહેવું. ગૃહસ્થોનો સંપર્ક-પરિચય ન વધારવો. (૩૦) મરઘીના બચ્ચાને સદાય બિલાડીનો ડર રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારી મુનિને સ્ત્રી શરીરથી સદા જોખમ રહે છે, તેથી સ્ત્રી સહનિવાસ ન કરવો; તેમના રૂપ કે ચિત્ર ન જોવા; દષ્ટિ પડતાં જ તેને ફેરવી લેવી; જેવી રીતે સૂર્ય પર ગયેલ દૃષ્ટિ તરત હટી જાય છે. ન (૩૧) અતિ વૃદ્ધ જર્જરિત દેહવાળી સ્ત્રી હોય તો પણ સનિવાસ ન કરવો. (૩૨) બ્રહ્મચારી ભિક્ષુ માટે ત્રણ પ્રવૃત્તિઓ તાલપુટ વિષ સમાન છે– ૧. વિભૂષાશ્રૃંગાર ૨. સ્ત્રી-સંસર્ગ રૂ. પૌષ્ટિક ભોજન. (૩૩) સુંદર રૂપ પણ પુદ્ગલ પરિણમન છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, તેવું જાણી મુનિ તેમાં અનાસક્ત બને. (૩૪) જે ભાવનાથી, લક્ષ્યથી, વૈરાગ્યથી ઘર છોડી સંયમ ગ્રહણ કરેલ, તે લક્ષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy