SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત (૬) પંખા, ફૂંક આદિથી હવા ન નાખવી. (૭) વનસ્પતિનું છેદન-ભેદન ન કરવું ન કરાવવું. તેમજ લીલા ઘાસ, ફૂલ આદિ ઉપર ઉભા ન રહેવું તેમજ ચાલવું બેસવું વગેરે પ્રવૃતિ ન કરવી. (૮) ત્રસ જીવોની મન, વચન અને કાયાથી હિંસા ન કરવી. (૯) આઠ સૂક્ષ્મ (સજીવ) હોય છે, તેની રક્ષામાં અને યતનામાં અત્યંત સાવધાની રાખવી. તે આઠ સૂમ આ મુજબ છે– ૧, ઝાકળ, ધુમ્મસ, બરફ, કરા આદિ જલ(સ્નેહ સૂક્ષ્મ છે ૨. વડ, ઉંબરના ફૂલ આદિ ફૂલ સૂક્ષ્મ છે. ૩. તેવી ભૂમિના જ રંગના કંથવા આદિ પુસ્તકોના સૂક્ષ્મજીવ તથા મચ્છર, લીખ, જૂ, મકોડા આદિ પ્રાણ સુક્ષ્મ' ૪. કીડીઓના દર ૫. પાંચ પ્રકારની લીલ-ફૂગ ૬. વડ આદિના બીજ “બીજ સૂક્ષ્મ૭. નાના-નાના અંકુર “હરિતકાય સૂમ' ૮. માખી, કીડી, ગરોળી, કંસારી આદિના ઈંડા “અંડ સૂક્ષ્મ’ છે. તેથી મુનિ વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, ગમન ભૂમિ, પરિષ્ઠાપન ભૂમિને એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જુએ અને જીવોની યતના કરે. (૧૦) ગોચરી માટે ગયેલ સાધુ ત્યાં યતનાથી ઉભા રહે તેમજ પરિમિત ભાષા બોલે તથા દષ્ટિને કેન્દ્રિત રાખે, ત્યાં અનેક જોયેલી, સાંભળેલી અને અનુભવ કરેલી વાતોને ગંભીરતાથી હૃદયમાં ધારણ કરે. પણ જે-તેને કે કોઈને કહે નહીં. (૧૧) કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના કોના ઘરેથી શું મળ્યું કે શું ન મળ્યું ખરાબ મળ્યું કે સારું મળ્યું, ઇત્યાદિ ગૃહસ્થોને ન કહેવું. (૧૨) ભિક્ષુ અનાસક્ત ભાવે અજ્ઞાત ઘરોમાં(મતલબ કે જે ઘરમાં સાધુના આવવાની તૈયારી કે ઇન્તજારી ન હોય, એવા ઘરોમાં) નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, પરંતુ સાધુના નિમિતે બનાવેલ, ખરીદેલ કે લાવેલ સદોષ આહારને ગ્રહણ ન કરે (૧૩) ભિક્ષુ સંતોષી તેમજ અલ્પ ઇચ્છાવાળો હોય તેમજ જેવા આહાર, શય્યા વગેરે મળે તેમાં જ નિર્વાહ કરનાર તેમજ સંતોષ રાખી પ્રસન્ન રહેનાર બને. (૧૪) કષ્ટ-પરીષહ તેમજ મનોજ્ઞ-અમનોજ્ઞ, ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થાય ત્યારે અદીન-ભાવે સહન કરે. (૧૫) દ દુઃાં મહત્ત, શારીરિક કષ્ટોને સમ્યક પ્રકારે સહન કરવા, તે મોક્ષ રૂપી મહાન ફળને દેનાર છે. (૧) મુનિ ઇચ્છા કે જરૂરિયાતથી અલ્પ મળે ત્યારે ક્રોધ કે નિન્દા ન કરે (૧૭) મુનિ આત્મપ્રશંસા (ઉત્કર્ષ) તેમજ પર નિંદા(તિરસ્કાર) જ્યારે ય ન કરે. જ્ઞાનનું અભિમાન ન કરે. સૂત્રકૃતાંગ સૂત્ર અધ્યયન-રમાં કોઈનો પરાભવ = નિંદા-તિરસ્કાર(અપમાન) કરનારને મહાન સંસારમાં પર્યટન કરનાર કહેલ છે. (૧૮) પોતાની યોગ્યતા, ક્ષમતા, સ્વાસ્થનો વિચાર કરી સંયમ પાલન કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy