SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ N છ કાય જીવોની યતનામાં લક્ષ્યહીન હોય છે, તેવા અસાધુ(કુસાધુ)ને સાધુ ન કહેવા. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપથી સંપન્ન હોય અને ઉપરોક્ત અવગુણોથી રહિત હોય તેવા સાધુઓને જ સાધુ કહેવા. (૧૫) કોઈના જય અથવા પરાજયની ભવિષ્યસૂચક ભાષા ન બોલવી. (૧૬) વરસાદ, ઠંડી, ગરમી, દુષ્કાળ, સુકાળ વગેરે કુદરતી રચનાઓના સંબંધમાં તેના થવા કે ન થવા સંબંધી કોઈ ભાષા ન બોલવી જોઈએ, એવી ભાષા નિરર્થક છે, કારણ કે પ્રકૃતિ કોઈ મનુષ્યના વશમાં નથી. (૧૭) “આ તો રાજા છે', “આ તો દેવ છે એવી અતિશયોક્તિની ભાષા ન બોલવી. કોઈને રિદ્ધિમાન, ઐશ્વર્યવાન, સંપત્તિશાળી વગેરે કહી શકાય છે. (૧૮) સાવધ કાર્યો(આરંભ-સમારંભ)ની પ્રેરક અથવા પ્રશંસક નિશ્ચયકારી, પર-પીડાકારી ભાષા ન બોલવી. ક્રોધ, માન, માયા, લોભ અને ભયને વશ થઈન બોલવું તેમજ હાંસી-મજાકમાં ન બોલવું. (૧૯) આ પ્રકારે ભાષાનાં ગુણદોષ, વિધિનિષેધોને જાણીને, વિચારપૂર્વક ભાષા પ્રયોગ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, કષાયોથી રહિત તેમજ કોઈ પણ પ્રતિબંધથી કે કોઈના આશ્રયથી રહિત મુનિ કર્મોનો ક્ષય કરીને આરાધક બને છે. આઠમા અધ્યયનનો સારાંશ (૧) આચારના ભંડાર સ્વરૂપ સંયમ-તપને પ્રાપ્ત કરી, મુનિએ સદા તેની સર્વોત્કૃષ્ટ આરાધનામાં લીન રહેવું જોઈએ. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, લીલાઘાસ અને વૃક્ષમાં પણ જીવ છે અને નાના-નાના ત્રસ પ્રાણી છે તેનામાં મનુષ્ય સમાન જ જીવ છે. મન, વચન, કાયાએ કરી હંમેશા તે જીવોની સાથે અહિંસક તેમજ સાવધાની યુક્ત વ્યવહાર કરવો જોઈએ. કોઈપણ લક્ષ્યથી અર્થાત ૧. જીવન-નિર્વાહ માટે ૨. યશ-કીર્તિ માટે ૩. આપત્તિમાં અથવા ૪. ધર્મ સમજીને જન્મ-મરણથી મુક્ત થવાના લક્ષ્યથી પણ મુનિએ તે સ્થાવર અને ત્રસ જીવોની હિંસા ન કરવી જોઈએ અને ન તો તેવા હિંસાજનક કાર્યોની પ્રેરણા કે અનુમોદના આપવી જોઈએ. (૩) સચેત પૃથ્વી અથવા સચેત રજ યુક્ત આસન વગેરે પર ન બેસવું તથા સચેત પૃથ્વીના છેદન-ભેદન કે તેને ખોતરવી વગેરે કૃત્યો ન કરવા. (૪) કાચું પાણી ન પીવું, ન તેનો સ્પર્શ કરવો, વરસાદ આદિથી કયારેક શરીર ભીંજાઈ જાય તો તેને લૂછવું નહિ, સ્પર્શ ન કરવો, પોતાની જાતે સુકાઈ જાય ત્યાં સુધી સ્થિરકાય ઉભા રહેવું. (૫) અગ્નિનો સ્પર્શ કરવો કે તેને પેટાવવો, બુઝાવવો વગેરે ન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy