SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત| + ' , , સરળતાપૂર્વક, શક્તિ અનુસાર તપ સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ તેમજ એષણાના વિવિધ નિયમો-ઉપનિયમોને, ઔદેશિક આદિ દોષોને ગુરુ આદિ પાસે સારી રીતે સમજીને એષણા સમિતિનું વિશુદ્ધરૂપે પાલન કરતા રહેવું જોઈએ. છઠ્ઠા આધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં સાધ્વાચારના વિષયોને અઢાર સ્થાન દ્વારા વિશ્લેષણ કરી સમજાવવામાં આવેલ છે અને સાથે એ પણ કહેવામાં આવેલ છે કે આ અઢાર સ્થાનનું આબાલ-વૃદ્ધ, રોગી-નિરોગી બધા જ સાધુ-સાધ્વીજીઓએ અખંડરૂપથી પાલન કરવું જરૂરી છે. તેમાંથી કોઈપણ સ્થાનની વિરાધના(નિયમોનું ખંડન) કરનાર ભિક્ષુ સાધુપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. (૧) બધા જ ત્રસ અને સ્થાવર જીવ જીવવા ઇચ્છે છે, પ્રાણાવધ ઘોર પાપ છે. તેથી મુનિ તેનો સર્વથા (કરવું, કરાવવું, અનુમોદન કરવું–મન, વચન, કાયાથી) ત્યાગ કરે છે. (૨) જૂઠું બોલવું પર પીડાકારી છે, તેમજ અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. તે બધા ધર્મોમાં ત્યાજ્ય ગણેલ છે. તેથી મુનિ પોતાના માટે કે બીજા માટે ક્રોધાદિ કષાય વશ અથવા હાસ્ય કે ભયથી પણ જૂઠું બોલવાનો સર્વથા ત્યાગ કરે છે. (૩) દીધા વિના કે આજ્ઞા વિના મુનિ તૃણ માત્ર પણ ગ્રહણ કરતા નથી. (૪) મૈથુન સંસર્ગ: મહાન દોષોને તેમજ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે, વળી તે અધર્મનું મૂળ છે તથા પરિણામમાં દુઃખદાયક છે. તેથી મુનિ અબ્રહ્મચર્યનો સર્વથા ત્યાગ કરે છે. (૫) મુનિ સંયમના આવશ્યક ઉપકરણો રાખવા સિવાય કોઈપણ પદાર્થોનો સંગ્રહ કરતા નથી, આવશ્યક ઉપકરણોમાં પણ મમત્વભાવ રાખતા નથી, કેવળ સંયમ જીવનના નિર્વાહ માટે તેમજ દેહ સંરક્ષણ માટે તે ઉપકરણોને ધારણ કરે છે. મુનિએ પોતાના શરીર પર પણ મમત્વભાવ ન રાખવો. મમત્વ, મૂર્છા જો હોય તો શરીર તેમજ ઉપકરણને પણ પરિગ્રહ ગણવામાં આવે છે. ગાથા ૨૧ માં કહ્યું છે કે મીઠું, તેલ, ઘી, ગોળ વગેરે ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરનાર ગૃહસ્થ છે, સાધુ નથી. (૬) અનેક સૂમ, ત્રસ તેમજ સ્થાવર પ્રાણી રાત્રે દેખાતા નથી. એષણા સમિતિ તેમજ દરિયા સમિતિનું પાલન પણ રાત્રે થઈ શકતું નથી. તેથી મુનિ રાત્રે સંપૂર્ણ આહારનો ત્યાગ કરે છે. (૭–૧૨) પૃથ્વી આદિ છ કાય જીવોનું મુનિ મન, વચન, કાયાથી સંરક્ષણ કરે છે. (૧૩) અકલ્પનીય– જે પોતાના નિમિત્તથી બનેલ, ખરીદેલ, અન્ય ઓરડાથી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy