SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ (ર) માર્ગમાં પશુ કે પક્ષી, દાણા(આહાર-પાણી) લઈ રહ્યા હોય તો તેમને કોઈ પણ પ્રકારે અંતરાય ન પડે તેનો વિવેક રાખવો. ૪૧ (૩) ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થના ઘેર વાત કરવા માટે ન ઉભો રહે કે ન બેસે. (૪) બારી-દરવાજા કે તેના કોઈ પણ વિભાગનું અવલંબન ન લે. (૫) કોઈ યાચક દ્વાર પર ઉભેલ હોય તો તેના ઘેર ભિક્ષા લેવા ન જવું અને તેની સામે ઉભા રહેવું ન જોઈએ. (૬) જલજ ખાદ્ય વનસ્પતિ કે ઇક્ષુ ખંડ આદિ અચેત, તેમજ શસ્ત્ર પરિણત ન હોય તો ન લેવા. મગફળી વારંવાર સારી રીતે શેકેલ ન હોય તો ન લેવી. તેની જેમ જ અન્ય પણ શેકવામાં આવે તેવા પદાર્થોના વિષયમાં સમજી લેવું જોઈએ. (૭) બીજ, ફળ તેમજ અન્ય વનસ્પતિઓ તથા તે બધાના ચૂર્ણ જો અચેત ન હોય તથા અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત ન હોય, તો ન લેવા. (૮) ભિક્ષુ સામાન્ય ઘરને છોડી શ્રીમંત ઘરોમાં ગોચરી જવાનો આગ્રહ ન રાખે. (૯) ખાદ્ય-પદાર્થ અથવા અન્ય વસ્ત્ર, શય્યા-સંસ્તારક વગેરે હોવા છતાં અને સામે દેખાવા છતાં દાતા ન દે તો બિલકુલ ખિન્ન ન થવું. (૧૦) અધિક સન્માન દેવાવાળા હોય તો પણ ભિક્ષુ તેના પાસે કોઈ વિશિષ્ટ વસ્તુ ન માગે અર્થાત્ સામાન્યરૂપથી ખાવા અને દેવા યોગ્ય પદાર્થ રોટલી, શાક, પાણી, છાસ આદિની યાચના ભિક્ષુ કરી શકે છે. (૧૧) જે પણ ભિક્ષા મળે તેમાં લોભ ન કરતા આવશ્યકતા અનુસાર જ લે. સાથે જ દાતા અને બાજુમાં ઉભેલી વ્યક્તિના ભાવોનો વિવેક રાખીને લે. તેમજ ગુરુ આદિથી કોઈ વસ્તુ છુપાવીને ન ખાય. પ્રાપ્ત આહારને સરળભાવ તેમજ સરળ વ્યવહારથી સંયમ યાત્રાના નિર્વાહ માટે, આસક્તિ ભાવથી રહિત બનીને ખાય. (૧૨) કપટ કરનાર, રસમાં આસક્ત અથવા ગુપ્ત રીતથી મદિરા આદિનું સેવન કરનાર ક્યારે ય પણ આરાધક થતાં નથી તેમજ તે નિંદાને પાત્ર બને છે. (૧૩) બુદ્ધિમાન મુનિ પૌષ્ટિક પદાર્થોનો તેમજ મધ પ્રમાદનો ત્યાગ કરતાં ઉત્કૃષ્ટ તપ-આચરણથી સંયમની આરાધના કરે છે અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૧૪) જે તપ, વ્રત, રૂપ તેમજ આચારના ચોર હોય છે અર્થાત્ જે આ વિષયોમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ કરે છે અથવા શક્તિ હોવા છતાં પણ વ્રત-નિયમોનું ઔત્સર્ગિક ઉત્કૃષ્ટ આચરણ કરતા નથી, તપમાં આગળ વધવાની રુચિ રાખતા નથી, વસ્ત્ર-પાત્ર આદિમાં ઊણોદરી કરતાં થકા, અચેલ, અપાત્ર થવા પ્રયત્ન કરતા નથી, પરંતુ છતી શક્તિએ આરામથી રહેવાનું લક્ષ્ય રાખે છે, તેને અહીંયા 'ચોર' કહેવામાં આવેલ છે. (૧૫) આવો સાધક, કિક્વિષિક દેવ, તિર્યંચ, નરક ગતિમાં ભ્રમણ કરે છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy