SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ४० મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩૩) જેમાં ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તેવી વસ્તુ ન લેવી. (૩૪) લોટના વાસણ ધોયેલ, ચોખા ધોયેલ કે અન્ય કોઈપણ પદાર્થથી લિપ્ત, વાસણ ધોયેલ પાણી, જોવામાં સારું હોય કે ખરાબ પરંતુ તરસ છીપાવવા યોગ્ય હોય અને ધોયેલ પાણીને એક ઘડી યા બે ઘડી(૨૪ કે ૪૮ મિનિટ) થઈ ગયેલ હોય તો તે પાણી ભિક્ષુ ગ્રહણ કરી શકે છે. ક્યારેક જોવાથી તે પાણી તરસ છીપાવવા માટે શંકાવાળુ લાગે તો ચાખીને પણ નિર્ણય કરી શકાય છે, લીધા પછી પણ તરસ છીપાવવા યોગ્ય ન લાગે તો વિધિપૂર્વક અચેત સ્થાને પરઠી દેવું જોઈએ. (૩૫) ગોચરીમાં ગયેલ ભિક્ષુ ક્યારેક કોઈ પદાર્થ શારીરિક કારણથી ત્યાંજ વાપરી લેવો જરૂરી સમજે તો એકાન્ત ઓરડાની આજ્ઞા લઈ ખાઈ-પી શકે છે પરંતુ ત્યાં ગંદકી બિલકુલ ન કરે. (૩૬) ભિક્ષા લઈ ઉપાશ્રયમાં વિનયપૂર્વક પ્રવેશ કરવો, ગુરુને આહાર દેખાડવો, ઇરિયાવહીનો કાઉસગ્ગ કરવો, દોષોની આલોચના કરવી, સ્વાધ્યાય કરવો, તેમજ અસાવધવૃતિની અનુમોદનાનું ચિંતનરૂપ ધ્યાન કરવું. ત્યાર પછી અન્ય સાધુને નિમંત્રણ કરવું, નિમંત્રણ સ્વીકાર કરે તો તેમને દઈ અથવા તેમની સાથે આહાર કરવો. નિમંત્રણ ન સ્વીકારે તો એકલા જ યતનાથી વિધિપૂર્વક આહાર કરવો. (૩૭) આહાર વાપરવાની વિધિ-આહારની નિંદા-પ્રશંસા ન કરવી, સ્વાદ માટે પદાર્થોનો સંયોગ ન કરવો. જે કારણથી જેટલો આહાર જરૂરી હોય તેટલો જ લેવો. પરંતુ પોતાના ખોરાકથી કંઈક ઓછું અવશ્ય ખાવું. (૩૮) અતિ ધીમે અથવા અતિ જલ્દી ન ખાવું. પહોળા પાત્રમાં અને નીચે ન ઢોળતા થકા, મોઢેથી ચટાચટ કે સુડ-સુડ આદિ કોઈ પ્રકારનો અવાજ ન આવે તે પ્રકારે ખાવું કે પીવું. (૩૯) સંયમ યોગ્ય, સ્વાસ્થ્ય યોગ્ય જેવા પણ આહારાદિ મળે તેવા તેને ઘી-સાકર સમાન માનીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક વાપરવા. (૪૦) અતિ અલ્પ આહાર મળે તો પણ ખેદ ન કરવો, તપ સમજી સંતોષ રાખવો. (૪૧) નિઃસ્વાર્થ ભાવથી(અર્થાત્ પ્રત્યુપકારની કોઈ આશા ન રાખતા થકા) દેવાવાળા દાતા અને નિઃસ્પૃહ ભાવથી(અર્થાત્ આશીર્વચન આદિ ન બોલતા થકા અને રાગભાવ કે કોઈ પ્રત્યુપકાર ન કરતા થકા) લેનાર મુનિને 'મુહાદાઈ' અને 'મુહાજીવી' કહેવામાં આવે છે અને બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બીજો ઉદ્દેશક (૧) જરૂરિયાત મુજબ ભિક્ષુ આહાર કર્યા પહેલાં કે પછી પણ પુનઃ ગોચરીએ જઈ શકે છે. ધ્યાન એ જ રાખવાનું કે તે વસ્તી–એરિયામાં ભિક્ષા મળવાનો અનુકૂળ સમય હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy