SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ગ્રહણ નથી કરતા. તેવી જ રીતે મુનિઓએ ત્યાગેલ ભોગો તેમજ ૧૮ પાપોની કયારેય પણ આકાંક્ષા (ઇચ્છા) ન કરવી જોઈએ. ત્યાગેલ ભોગોની ચાહના તેમજ પુનઃ સેવન કરનાર વ્યક્તિ વમન (ઉલટી)ને ચાટનાર કાગડા અને કૂતરા જેવા નિમ્ન પશુ-પક્ષીઓની જેમ નિંદા પાત્ર થાય છે. (૫) કદાચિત મોહકર્મના ઉદયથી સ્ત્રી આદિને જોઈ વિષય-વાસના જાગૃત થઈ જાય તો એ એકત્વ, અન્યત્વ ભાવનાથી અંતઃકરણને પ્રભાવિત કરવું તેમજ તેના ભાવી વિપાક(ફળ)નું ચિંતન કરી સંયમમાં સ્થિર રહેવું તથા શરીરને ક્રશ કરવું. (૬) જે પ્રકારે રાજમતિ દ્વારા પ્રતિબોધિત અસ્થિર આત્મા રથનેમિ પુનઃ સ્થિર થઈ બ્રહ્મચર્ય સંયમની આરાધના કરી સંસાર ચક્રથી મુક્ત થઈ ગયા. તે પ્રકારે વૈરાગ્ય તેમજ જ્ઞાનપૂર્વક સંયમ તેમજ બ્રહ્મચર્યમાં મેરુ સમાન સ્થિર રહેવું જોઈએ. ' ત્રીજા અધ્યયનનો સારાંશ (૧) આ અધ્યયનમાં ભિક્ષુ માટે અનાચરણીય પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. પ્રચલનમાં, શ્રુતિ પરંપરામાં તેને બાવન અનાચારના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ભિક્ષુની સેંકડો અનાચારણીય પ્રવૃત્તિ છે, જે જુદા-જુદા આગમોમાં અનેક પ્રકારથી વર્ણિત છે, તેથી બાવન અનાચારને જ સમગ્ર અનાચાર ન સમજી લેવા જોઈએ. (૨) ૧. સાધુના નિમિત્તે બનેલું ૨. ખરીદેલું ૩. સામે લાવેલ ૪. નિત્ય નિમંત્રણ યુક્ત ૫. રાજપિંડ. દાનપિંડ ૭. શય્યાતરપિંડ૮. સચિત કે મિશ્ર આહાર-પાણી ૯. સચેત મૂળા, આદુ, શેરડીના ટુકડા, કંદમૂળ, ફળ તેમજ બીજ આદિ ૧૦. સચિત સંચળ, સિંધવ નમક, સામુદ્રિકનમક, રોમ નમક, કાળુંનમક તેમજ પંસુખાર આદિ નમક, આ ઉપરોકત પદાર્થોને ગ્રહણ કરવા સાધુને માટે અનાચાર છે. (૩) ૧૧. રાત્રિભોજન ૧૨. રાત્રિ સંગ્રહ ૧૩. ગૃહસ્થનાં વાસણો ૧૪. છત્ર ૧૫. ઔષધ ઉપચાર ૧૬. જૂતા-પગરખા ૧૭. અગ્નિ જલાવવો ૧૮. મુઢા(દુષ્પતિલેખ્ય આસન) ૧૯. પલંગ(ખાટ આદિ) ૨૦. ગૃહસ્થના ઘરમાં બેસવું ૨૧. સુગંધી અત્તર-તેલ રર. પુષ્પ આદિની માળા ૨૩. પંખા આદિથી હવા નાખવી વગેરે. આ બધું સાધુ માટે ત્યાગ કરવા યોગ્ય છે. (૪) ૨૪. સ્નાન ૨૫. સમ્બાહન-મર્દન૨૬દંતપ્રક્ષાલન ૨૭. દેહ અવલોકન (કાચ આદિમાં મુખ જોવું) ૨૮. ઉબટન(પીઠી) ૨૯. ધૂવણ(નાક દ્વારા જલ પ્રાણાયામ) ૩૦. વમન ૩૧. બસ્તીકર્મ ૩ર. વિરેચન (જુલાબ) ૩૩. અંજન ૩૪. મંજન ૩૫. વિભૂષા. આ સર્વ શરીર પરિકર્મ ભિક્ષુ માટે ત્યાજ્ય છે. (૫) ૩૪. અષ્ટાપદ રમત ૩૭. નાલિકા ખેલ ૩૮. ગૃહસ્થની સેવા ૩૯. નિમિત્ત આદિથી આજીવિકા વૃત્તિ ૪૦. ગૃહસ્થ શરણે રહેવું. આવા કાર્યો સંયમ મર્યાદાને યોગ્ય નથી. ભિન્ન પદ્ધતિએ ગણવાથી આ ચાલીસના બદલે બાવન થઈ જાય છે. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy