SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ રૂપ - - , , , , , , , - સ સરકારમાં સવાર નો સહામ વાર દશવકાલિક સૂત્ર સારાશ તે જ સ ન માન છે - તેમજ કી નાના નાના કડા પ્રથમ અધ્યયનનો સારાંશ (૧) ધર્મ અહિંસા પ્રધાન હોય છે, સંયમ પ્રધાન તેમજ તપ પ્રધાન પણ હોય છે. એવો ધર્મ જ આત્મા માટે મહાન કલ્યાણકારી થાય છે, (ર) શુદ્ધ ભાવોથી ધર્મની આરાધના કરવાવાળાને દેવ સહાય માટે લાલચ થવું પડતું નથી, પરંતુ દેવ સ્વયં તેને વંદન નમસ્કાર કરવા ઉપસ્થિત થાય છે. (૩) સૂત્રમાં કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે અને તે અહિંસા, સંયમ, તપરૂપ છે. જેનું મન, ધર્મમાં અનુરક્ત રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. (૪) ભિક્ષુની ભિક્ષાચર્યા ભ્રમરવૃત્તિ સમાન છે, અર્થાત્ ભ્રમર ભ્રમણ કરતાં-કરતાં ફૂલોમાંથી રસ ગ્રહણ કરી લે છે. આ ફૂલો ભ્રમર માટે રસ તૈયાર કરતા નથી. તે પ્રકારે ભિક્ષુ પણ ગૃહથો દ્વારા, પોતાના માટે તૈયાર કરેલ આહારમાંથી અનેક ઘરોમાંથી થોડું થોડું ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે મુનિ ગૃહસ્થ દ્વારા દેવામાં આવે ત્યારે અને ગવેષણા કરતાં એષણા સમિતિની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આહારાદિ ગ્રહણ કરે છે. (૫) ભ્રમરની ઉપમા ૧. સહજ રીતે ગૃહસ્થો માટે નિષ્પન્ન ૨. અનેક ઘરોમાંથી તેમજ ૩. અતિ અલ્પ પ્રમાણમાં લેવાની અપેક્ષાએ દેવામાં આવેલી છે. () કોઈ એક વ્યક્તિ પર અવલંબિત ન થતાંn fપરા સંતા અનેક ઘરોમાંથી થોડું થોડું લઈને સંયમમાં રત રહેવાવાળા સાધુ “મુનિ કહેવાય છે. બીજા અધ્યયનનો સારાંશ (1) પ્રાપ્ત સુખ-સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરનારને ‘ત્યાગી” કહેવામાં આવે છે. જે શરીરથી સ્વસ્થ, સમર્થ અને સશક્ત હોવા છતાં પ્રાપ્ત મોગોનો ત્યાગ કરે છે, તેને ત્યાગી કહેવામાં આવે છે. (૨) સુકમારતા અને સુખશીલિયાપણાને કારણે કામવાસનાઓ પર વિજય પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ બ્રહ્મચર્યની સફળતા માટે તેનો ત્યાગ કરીને આતાપના લેવી, વિહાર કરવો આદિ કાયક્લેશ તપ અથવા પરિશ્રમી જીવન વૃત્તિ(ચર્યા) ધારણ કરવી આવશ્યક બને છે. (૩) કામવાસનાઓ ઉપર તેમજ ઇચ્છાઓ પર નિયંત્રણ થયા બાદ દુઃખોનું નિયંત્રણ તો આપમેળે જ થઈ જાય છે. (૪) અગત્પન કુળના સર્પ પોતે છોડેલા વિષને મૃત્યુસંકટ આવે તો પણ પુનઃ આ સર ક - - - વાત ન HE * ગાના *, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy