SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૩૦ વખત કે હંમેશાં ચોરી કરવી મારું મુખ્ય કાર્ય છે. તેના સ્પષ્ટ કથન પર રાજા હેરાન થઈ રહ્યો હતો. રાજાએ પૂછ્યું, ચાલો બતાવો કાલ રાત્રે ક્યાં ચોરી કરી હતી ? કોણ મળ્યુ અને શું ચોરી કરી હતી ? જવાબમાં બધી સાચી હકીકત કહી દીધી. રાજાએ પૂછ્યું આ ચોરી કરીને સત્ય બોલવાનું કોણે શીખવ્યું ? કહી દીધું કે ગુરુકૃપા થઈ ગઈ. અસત્ય બોલવાનું છોડી દીધું, ત્યારથી સત્ય બોલું છું. પ્રાણ નીકળી જાય તો પણ સત્ય ન છોડું. રાજાએ તેને છોડી દીધો અને કહ્યું કાલે બોલાવીશ. પુણ્ય અને પાપ બંનેને જેટલા વધારે છુપાવો એટલા જ કંઈ ગુણા વધીને સામે આવે છે. રાજાએ ખજાનચીઓને બોલાવી પૂછ્યું કે બતાવો કેટલી પેટીની ચોરી થઈ છે ? ડરતાં-ડરતાં જીભથી બધા બોલ્યા ત્રણ. રાજાએ તલવાર કાઢીને કહ્યું સાચું બોલો નહીં તો હમણા જ તમને નવો જન્મ આપું છું. ભયને લીધે સાચી વાત કહી દીધી. રાજાએ બધા ખજાનચીઓનો અત્યંત તિરસ્કાર કરીને દેશ નિકાલ કરી દીધો. ૧૯૪ બીજા દિવસે મણિસાગરને બોલાવ્યો. આદરપૂર્વક રાજાએ પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યો અને કહ્યું કે હવે ચોરી કરવાનું પણ છોડી દો. મણિસાગરનો તે જ ઉત્તર હતો જે પોતાના પિતા અને મંત્રીને દીધો હતો. ત્યારે રાજાએ તેને પ્રધાનમંત્રીનુ પદ આપ્યું. જેનો, વચનથી બંધાવાને કારણે તેને સ્વીકાર કરવો જ પડયો. થોડા દિવસ વિત્યા પછી કોઈ સમયે રાજાએ પૂછ્યું કે કહો મંત્રીશ્વર ! હવે ચોરીનો ધંધો કેવો ચાલે છે ? તેણે કહ્યું– હવે કેમ ચોરી કરવી ? એક મિનીટનો સમય મળતો નથી. રાજસિપાહી હંમેશા સાથે જ રહે છે. મને એકલા ક્યારેય પણ ક્યાંય જવા દેતા નથી. ઘણા સમય પછી તે જ ધર્મઘોષ આચાર્ય પધાર્યા. ઉપદેશ સાંભળીને મણિસાગરે ૧૨ વ્રતનો સ્વીકાર કર્યો. શ્રાવક ધર્મની શુદ્ધ આરાધના કરી દેવગતિને પામી ગયો. આ રીતે સુસંગત પામીને સત્ય પર અટલ રહીને મણિસાગરે પોતાના જીવનના અવગુણને પણ ગુણમાં ફેરવી નાખ્યો તેમજ સુખનો ભાગીદાર બન્યો. આપણે પણ તેના જીવનથી દઢ સત્ય પ્રતિજ્ઞ બનીને આત્મ કલ્યાણની સાધના કરવી જોઈએ. અસત્યનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. સાંચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ | જા કે હૃદય સાચ હૈ, તા કે હૃદય આપ ॥ સેલની ઘડીમાં ક્યાં ય પણ અગ્નિ પ્રાયોગ્ય શરીર કે પુદ્ગલ નહીં હોવા છતાં રૂઢિથી તેમાં અગ્નિ હોવાનું કથન કરવું અસત્ય છે અને ઘડીને સચિત્ત હોવાની પ્રરૂપણા કરવી તે ઉત્સૂત્ર પ્રરૂપણ પણ છે. કારણ કે કોઈપણ સૂત્રથી તેને સિદ્ધ કરી શકાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy