SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત (૭) આ દોષોથી રહિત, ૪ર દોષોથી રહિત તેમજ નવ કોટિ પરિશુદ્ધ આહાર ગ્રહણ કરવો. આહાર કરતા સમયે ભોજન વિધિના અર્થાત્ પરિભોગેષણા (માંડલાના) પાંચ દોષોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. છ કારણે જ આહાર કરવો. કારણ ન હોય તો આહાર ન કરવો અને આહાર ત્યાગના છ કારણ ઉત્પન્ન થવા પર આહાર ન કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો. (૮) આચારનિષ્ઠ શ્રમણોએ તીર્થકર ભગવંતની આજ્ઞામાં વિચરણ કરતાં ક્યારેક વિવિધ કષ્ટકારી, મારણાંતિક રોગ-આંતક ઉત્પન્ન થઈ જાય તોપણ ઔષધ-મેષજ ભક્તપાનનો સંગ્રહ કરવો કલ્પતો નથી. (૯) પાત્રા, પાત્રની જોળી, પાત્ર કેસરિકા, પાત્ર રાખવાનું માંડલું(વસ્ત્ર), પટલ (અસ્તાન), ગરણા, રજોહરણ, ગુચ્છા(પૂંજણી), ચાદર, ચોલપટ્ટો, મુહપતિ, કંબલ, પાદપ્રીંછન અને આસન આદિ સાધુના મુખ્ય ઉપકરણ છે, તે પણ નિર્દોષ ગ્રહણ કરવા તેમજ તેને રાગદ્વેષ રહિત ધારણ કરવા. તેનું પ્રતિલેખન યથાસમય કરવું તેમજ તેને યતનાપૂર્વક લેવા, રાખવા અને ઉપયોગમાં લેવા. આ પ્રકારના ઉપકરણને ધારણ કરવા છતાં પણ અપરિગ્રહ મહાવ્રતનું પાલન થાય છે. (૧૦) આત્યંતર પરિગ્રહત્યાગ :- મુનિ કષાય, કલુષતા, સ્નેહ, મમતા, મોહભાવ, આસક્તિ ભાવ અને આકાંક્ષાઓ-લાલાસાઓથી રહિત બને; ચંદનની સમાન સમપરિણામી, હર્ષ-શોકથી રહિત બને, લાંબા કાળના કષાય, રંજભાવ, નારાજી આદિ ગાંઠોથી રહિત બને; બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે; સરળ બને; સુખ દુઃખમાં નિર્વિષયી બને અર્થાત્ પૌદ્ગલિક સુખ અથવા દુઃખ કંઈ પણ થાય તોપણ તેને પોતાના ચિંતનનો વિષય ન બનાવે. ઉપેક્ષા રાખીને પોતાના સંયમ યોગોમાં અને સ્વાધ્યાય, ધ્યાન, સેવા આદિમાં મગ્ન રહે. (૧૧) નિગ્રંથોની ઉપમાઓ – આવા દ્રવ્ય અને ભાવ અથવા આત્યંતર તથા બાહ્ય પરિગ્રહથી રહિત થઈને પાંચ મહાવ્રતોનું સમ્યક આરાધન કરનારા શ્રમણ નિગ્રંથો માટે અનેક ઉપમાઓ છે જેમકે– શંખની સમાન નિરંજન, કાંસાના પાત્રની સમાન નિર્લેપ, કાચબાની સમાન ગુપ્ત ઇન્દ્રિયવાળા, કમળ પત્રની સમાન સંસારથી અલગ(નિર્લેપ), ચંદ્રની સમાન સૌમ્ય, સૂર્યની સમાન તેજસ્વી, મેરુપર્વતની સમાન અડોલ-અકંપ, સમુદ્રની સમાન ગંભીર, પૃથ્વીની સમાન સહનશીલ, ગોશીષચંદનની સમાન શીતળ અને સુગંધિત, સાપની સમાન એકાગ્ર દષ્ટિવાળા, સિંહની સમાન દુર્જય, ભારંડ પક્ષીની સમાન અપ્રમત્ત, આકાશની સમાન નિરાલંબન, પક્ષીની સમાન સ્વતંત્ર હવાની સમાન અપ્રતિહત ગતિ એટલે રોટોક વગર ચાલનાર; ઈત્યાદિ ૩૧ ઉપમાઓ છે. (૧૨) અપરિગ્રહી શ્રમણ વિચરણ કાળમાં નાના ગામોમાં એક રાત તેમજ નગરોમાં પાંચ રાતથી વધારે ન રહેતાં અનાસક્ત અને નિર્મોહભાવથી વિચરણ કરે; એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy