SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૯ સાધુઓનો આદર્શ માર્ગ છે. કલ્પની અપેક્ષા સ્થવિરકલ્પી (સામાન્ય સાધુનો) વિચરણ કાલ ગામ આદિમાં વધારેમાં વધારે(ઉત્કૃષ્ટની અપેક્ષાએ) ર૯ દિવસનો છે. સાધ્વીજીનો કલ્પ ૫૮ દિવસનો છે અને પડિમા ધારી શ્રમણોનો કલ્પ ૧-૨ દિવસનો જ છે. એનાથી વધારે પડિમાધારી સાધુ કયાંય પણ રોકાય નહિ. જિનકલ્પીને માટે ટીકા ગ્રંથોમાં વર્ણન છે કે તેઓ સંયમમાં તેમજ પરિચર્યામાં બાધા ન પડે તો ર૯ દિવસની પહેલાં કોઈપણ ક્ષેત્રથી વિહાર ન કરે. આ સૂત્રના અર્થમાં બે પ્રકારના વિકલ્પ પ્રાપ્ત થાય છે– (૧) ગામોમાં સાત દિવસ અને નગરોમાં ર૯દિવસ રહેવું કહ્યું છે, જ્યારે કલ્પ તો ર૯દિવસનો ગ્રામાદિ બધા ક્ષેત્રો માટે બૃહત્કલ્પસૂત્રમાં બતાવ્યો છે. (૨) પડિમાધારીઓને માટે આ સૂત્ર છે. ખરેખર તેને તો પાંચ રાત ક્યાંય પણ રહેવાનું હોતું જ નથી. તેને એક અથવા બે રાતનો વિકલ્પ છે. વિશેષ માટે જુઓ ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઔપપાતિક સૂત્ર પૃષ્ટ ૩૯,૪૦. અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ - આ અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે ભાવની અપેક્ષાથી પાંચ ભાવનાઓ કહી છે કારણ કે દ્રવ્ય પરિગ્રહ તો સાધુને હોય જ નહિ. ભાવમાં પણ ઇન્દ્રિયોના વિષય શબ્દાદિની આસક્તિ રાગદ્વેષનો સમાવેશ કરાયો છે. પ્રથમ ભાવનાઃ શ્રોતેન્દ્રિય સંયમ:- વાજિંત્રોના શબ્દ, આભૂષણોના શબ્દ, સ્ત્રીઓના શબ્દ, હાસ્ય-રુદન આદિ, પ્રશંસા વચન, તેમજ એવા જ મનોજ્ઞ સુહાવના વચન સાંભળવામાં સાધુઓએ આસક્ત ન થવું, અપ્રાપ્તની આકાંક્ષા ન કરવી, લુબ્ધ ન થવું, પ્રસન્ન ન થવું. આવા મનોજ્ઞ શબ્દોનું સ્મરણ અને વિચાર પણ ન કરવો, તેમજ આક્રોશ વચન, કઠોર વચન, અપમાનયુક્ત વચન, રૂદન, કંદન, ચિત્કાર કે અભદ્ર શબ્દોમાં રોષ ન કરવો જોઈએ અને હાલના નિંદા ન કરવી જોઈએ, કોઈને પણ સારા નરસા ન કહેવું જોઈએ. આ રીતે શ્રોતેન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઈએ. બીજી ભાવના ચક્ષુઈન્દ્રિય સંયમ – અનેક પ્રકારના આભૂષણ, વસ્ત્ર, વસ્તુઓ, દશ્ય, ગ્રામાદિ, ભવન, મહેલ આદિ, નરનારી સમૂહ, સ્ત્રીઓ, નૃત્ય, નાટક, ખેલ આદિ શોભનીય રૂપોમાં આસક્તિ ન કરવી. તેને જોવાને માટે લાલાયિત ન થવું. અમનોજ્ઞ રૂપોને જોઈને ધૃણાભાવ ઉત્પન્ન ન થવો જોઈએ; ધેષ નિંદા તિરસ્કાર પણ ન કરવા જોઈએ. આ રીતે ચક્ષુઇન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંત:કરણવાળા બનવું જોઈએ. ત્રીજી ભાવના : ધ્રાણેન્દ્રિય સંયમ :- મુનિ ફૂલ, અત્તર, ખાદ્ય પદાર્થ, ધૂપ આદિ અનેક સુગંધિત પદાર્થોની ખુબૂ, ફળ, ચંદનની સુગંધ આદિ નાકને પ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy