SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૫ સ્ત્રીઓ નજીકમાં રહેતી હોય, તેનો સંસર્ગ વધારે થતો હોય, તેનું શણગાર, સ્નાન, મળમૂત્ર વિસર્જન સ્થાન અને મોહને વધારનાર વાર્તા કે પ્રવૃત્તિ કરવાનું સ્થાન નજીક હોય અથવા સામે હોય; આવા સ્ત્રી નિવાસની નજીક તેમજ સ્ત્રી સંસર્ગવાળા સ્થાનોમાં બ્રહ્મચારી પુરુષોએ રહેવું જોઈએ નહિ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ આવા પુરુષની નજીકના તેમજ પુરુષ સંસર્ગવાળા સ્થાનોમાં રહેવું જોઈએ નહિ. બીજી ભાવનાઃ સ્ત્રી કથા ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ સ્ત્રીઓની વચ્ચે બેસીને વાર્તાલાપ કરવાથી બચવું જોઈએ. સ્ત્રીઓની કામુકચેષ્ટાઓ અને વિલાસ, હાસ્ય આદિનું સ્ત્રીઓની વેશભૂષાનું, તેના રૂપ, સૌંદર્ય, વિવાહ આદિનું વર્ણન કરવું સાંભળવું અથવા વાંચન કરવું વગેરે પ્રવૃત્તિઓથી બચવું જોઈએ. આ પ્રકારના કથન તેમજ શ્રવણ પણ મોહને વધારનાર બને છે. આવા વર્ણનોનું વાંચન ચિંતન પણ કરવું ન જોઈએ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ પુરુષ સંબંધી કહેલ વિષયોનું વાંચન, શ્રવણ અથવા વિવેચન કરવું ન જોઈએ. ત્રીજી ભાવનાઃ રૂ૫ ત્યાગ – બ્રહ્મચારી સાધકોએ ચક્ષુ ઇન્દ્રિયનો પૂર્ણરૂપથી નિગ્રહ કરવો જોઈએ. વિવિધ કામરાગ વધારનાર, મોહને ઉત્પન્ન કરનાર, આસક્તિ ઉત્પન્ન કરનાર દશ્યો કે ચિત્રોને જોવામાં વિરક્ત-ઉદાસીન રહેવું જોઈએ. સ્ત્રીઓની પાસે બેસીને, ઊભા રહીને અથવા દૂરથી તેના હાસ્ય, બોલચાલ, હાવ-ભાવ, ક્રિીડા, નૃત્ય, ગાયન, રૂપરંગ, હાથપગ આદિની સજાવટ, નયન, લાવણ્ય, યૌવન, શરીર સૌષ્ઠવ, સ્તન, ગુપ્તાંગ, વસ્ત્ર, આભૂષણ, કેશ, મુખ, લલાટ આદિ પર દષ્ટિ કરવી ન જોઈએ. સહજ ક્યારેક દષ્ટિ પડી જાય તો તરત જ દૂર કરી લેવી જોઈએ, એકીટશે જોવું ન જોઈએ. આ પ્રકારે વિવેક રાખવાથી નેત્રો દ્વારા મનમાં મોહભાવ ઉત્પન્ન થતો નથી. સાધ્વીને માટે પુરુષના રૂપ સંબંધી કહેલ વિષય સમજી લેવો જોઈએ. ચોથી ભાવના : ભોગવેલ ભોગોના સ્મરણનો ત્યાગ :- મગજમાં ગૃહસ્થ જીવનની કેટલીય ઘટનાઓ તેમજ દાંપત્ય જીવનની વૃત્તિઓના સંસ્કાર સંસ્મરણ સંચિત રહે છે. તે સમસ્ત સંસ્મરણોથી મુનિઓએ હંમેશાં બચતા રહેવું જોઈએ. ક્યારેક સ્મૃતિપટ પર ઉપસ્થિત થઈ જાય તો પણ તેના પ્રત્યે આકર્ષણભાવ ન રાખતા જ્ઞાન તેમજ વૈરાગ્ય દ્વારા ધૃણા, અરુચિ, ખેદ વગેરેના સંસ્કાર જાગૃત રાખવા જોઈએ. જે બાલદીક્ષિત હોય તેણે બીજાના દાંપત્ય જીવન સંબંધી સંસ્મરણોને સ્મૃતિપટ પર આવવા દેવા ન જોઈએ. ભાવાર્થ એ છે કે સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, યોગ, અનુપ્રેક્ષા આદિમાં હંમેશાં તલ્લીન રહેવું જોઈએ. જ્ઞાન તેમજ વૈરાગ્યથી આત્માને સદા ભાવિત કરતાં ઉપરોક્ત આત્મવિકાસ કરતા રહેવું જોઈએ. પાંચમી ભાવના : સરસ સ્વાદિષ્ટ આહારનો ત્યાગ :- બ્રહ્મચર્યનો આહાર-ભોજન સાથે બહુ જ સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy