SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત વાસ્તવમાં વિનાશ થઈ જાય છે. ઉપરનો માત્ર વેશ રહે છે. આ રીતે બ્રહ્મચર્ય ભગવાન જ બધા વ્રતોમાં સર્વોપરિ મહત્ત્વવાન છે, પ્રાણ સ્વરૂપ છે. ૧૮૪ બ્રહ્મચર્ય મહાવ્રત સરળ, શુદ્ધ સ્વભાવી મુનિઓ દ્વારા સેવાયેલ, તીર્થંકરો દ્વારા ઉપદિષ્ટ, વૈરભાવ કષાયભાવથી મુક્ત કરાવનાર, સિદ્ધગતિના દરવાજાને ખોલનાર, નરક તિર્યંચ આદિ દુર્ગતિનો અવરોધ કરાવનાર છે; બધા પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર છે અર્થાત્ બ્રહ્મચર્યના અભાવમાં બધા અનુષ્ઠાન સાર વગરના થઈ જાય છે. બ્રહ્મચર્ય બધા ગુણોની સમ્યક આરાધના કરાવનાર છે. બ્રહ્મચર્યના પ્રભાવથી સાધક નરેન્દ્ર, દેવેન્દ્રોને પણ નમસ્કરણીય, સન્માનનીય, પૂજનીય બની જાય છે. જે બ્રહ્મચર્યનું પૂર્ણપણે શુદ્ધ પાલન કરે છે તે જ સાચા સાધુ છે, બ્રાહ્મણ છે, તપસ્વી, વાસ્તવિક સાધુ, ઋષિ, મુનિ, સંયતી અને ભિક્ષુ છે. બ્રહ્મચર્યના વિઘાતક આચાર :- રાગ, દ્વેષ અને મોહવર્ધક કાર્યો, મધ, પ્રમાદ, સ્નાન, મર્દન, વિલેપન વારંવાર અંગોપાંગોનું પ્રક્ષાલન, સુગંધી પદાર્થોનું સેવન, અલંકૃત-વિભૂષિત થવું. હાસ્ય, ગાન, વાદ્ય, નૃત્ય, ખેલ-કૂદ આદિ કૃત્યો તપ-સંયમ અને બ્રહ્મચર્યના બાધક કૃત્ય છે, તેનો ત્યાગ કરવો જોઈએ અને સદાસર્વદા તપ-સંયમ અને નિયમો દ્વારા આત્માને ભાવિત કરતા રહેવું જોઈએ. બ્રહ્મચર્યના સાધક આચાર :- સ્નાન-મંજન ત્યાગ, જલ-મેલ ધારણ, વધારેમાં વધારે મૌનવ્રતનું પાલન (અર્થાત્ મૌન વ્રત ધારણ કરવું એ પણ સંયમ બ્રહ્મચર્યની સાધનામાં આવશ્યક અંગ છે). કેશ લોચ, ક્ષમા, ઇન્દ્રિયદમન, ઇચ્છા નિરોધ, અલ્પવસ્ત્ર અથવા વસ્ત્ર રહિત રહેવું, ભૂખ-તરસ સહન કરવી, નગ્ન રહેવું, ઠંડી, ગરમી, સહન કરવી, કાષ્ઠ અથવા ભૂમિ પર શયન, ભિક્ષા માટે ભ્રમણ, લાભાલાભ, માન, અપમાન, નિંદામાં તટસ્થ રહેવું, ડાંસ-મચ્છર કષ્ટને સહન કરવું, અનેક નિયમ અભિગ્રહ તપસ્યા કરવી; તેમ અનેક ગુણો તેમજ વિનયથી આત્માને ભાવિત કરવો. આ રીતે આચરણ કરવાથી બ્રહ્મચર્ય વ્રત સ્થિર, દૃઢ, સુદઢ થાય છે અર્થાત્ તેની પૂર્ણ શુદ્ધિ રહે છે. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ જિનોપદિષ્ટ છે. તેનું શુદ્ધ પાલન આત્માને માટે આ ભવમાં પર ભવમાં કલ્યાણકારી છે. તેમજ સંપૂર્ણ કર્મો અને દુઃખોને શાંત અને સમાપ્ત કરનાર છે. આ ચોથા મહાવ્રતની સુરક્ષાને માટે પાંચ ભાવનાઓ છે, તે આ પ્રમાણે છે બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ : પ્રથમ ભાવના : વિવિક્ત શયનાસન :- ચોથા મહાવ્રતની આરાધના કરનાર શ્રમણોએ એવા સ્થાનોમાં રહેવું ન જોઈએ કે જ્યાં સ્ત્રીઓ રહેતી હોય, સ્ત્રીઓને બેસવાનું, વાતો કરવાનું અથવા બીજું કોઈપણ કાર્ય કરવાનું સ્થાન હોય, જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy