SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૧ હિંમેશાં પૂજ્ય પુરુષોના ચિત્તની આરાધના કરે છે. નિર્જરાના લક્ષે દસ પ્રકારની વૈયાવચ્ચ-સેવા કરે છે. દીધા વગર કે આજ્ઞા વગર મકાન આદિ, આહાર આદિ કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. ક્લેશ, વૈરભાવ, કષાય, નિંદા, કપટ, પ્રપંચ કરતા નથી. કોઈનું પણ ક્યારેય વિપરીત કે અપ્રિય કરતા નથી અથવા કોઈને પણ દાન ધર્મથી વિમુખ કરતા નથી. એવા સાધક આ અસ્તેયવ્રતના સમ્યક આરાધક થાય છે. (૭) આ રીતે જિનેશ્વરે કહેલ ત્રીજું મહાવ્રત આત્માને હિતકારી છે. બીજા ભવમાં શુભ ફળને આપનાર છે, ભવિષ્યને માટે કલ્યાણકારી છે. પાપોને અને પાપના ફળને શાંત કરનાર છે. આ મહાવ્રતની સુરક્ષા તેમજ સફળ આરાધનાને માટે પાંચ ભાવના કહી છે. અચૌર્ય મહાવતની પાંચ ભાવના :પ્રથમ ભાવનાઃ નિર્દોષ ઉપાશ્રય :- ગામ આદિમાં વિચરણ કરતા મુનિને નિવાસ કરવાને માટે જે કોઈ મકાનમાં રોકાવું હોય તે, પરબ હોય કે મંદિર (દવાલય), બગીચો કે ગુફા, કારખાના કે દુકાન, યાનશાળા કે મંડપ, શૂન્યઘર કે સ્મશાનમાં બનાવેલું સ્થાન, એવા કોઈપણ મકાન હોય તેમાં સચેત પાણી માટી, બીજ આદિ વેરાયેલ ન હોય, લીલોતરી રસ્તામાં નહોય, કીડી, મકોડા આદિત્રસ જીવો ન હોય, લઘુનીત, વડીનીત પરઠવાની જગ્યાની સુવિધા હોય, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ હોય, સ્ત્રી આદિના નિવાસથી રહિત હોય, બીજી પણ કલ્પ મર્યાદાઓથી પૂર્ણ ઉપયુક્ત હોય ત્યાં સાધુઓએ રહેવું જોઈએ. જો તે સ્થાન આધાકર્મ આદિ દોષોથી યુક્ત હોય, સાધુને માટે તેમાં અનેક પ્રકારની તૈયારી એટલે સફાઈ કરવી, પાણી છાંટવું, લીપવું આદિ કાર્ય કરેલ હોય, અંદર રહેલ સચેત પદાર્થોને અથવા વધારે પડતો સામાન, વધારે ભારે ઉપકરણોને હટાવ્યા હોય, મકાન કે ઓરડા ખાલી કર્યા હોય, જેનાથી વિરાધનામાં વધારો થયો હોય, એવા ઉપાશ્રય(મકાન) સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ. બીજા આગમ, આચારાંગ આદિમાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આ રીતે વિવિક્ત(સ્ત્રી આદિથી રહિત) વાસ અને શય્યાના વિવેકથી આત્માને ભાવિત કરવો જોઈએ, ક્લેશ કદાગ્રહ પાપકર્મોથી નિવૃત્ત રહેવું જોઈએ; દત અને અનુજ્ઞાત જ લેવું જોઈએ. બીજી ભાવના નિર્દોષ સંસ્તારક – ઉપાશ્રય-મકાન આદિઆજ્ઞા લેવા ઉપરાંત ઘાસ, પાટ આદિ સંસ્કારક રૂપ કોઈ પણ ઉપકરણની જરૂર હોય તો તેની આજ્ઞા પણ અલગથી લેવી જોઈએ. તાત્પર્ય એ છે કે મકાનની આજ્ઞા લેવાથી ત્યાં રહેલ અન્ય બધા પદાર્થની આજ્ઞા લીધી, તેમ ન સમજવું. પરંતુ ત્યાં રહેલ અન્યાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy