SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૯ કે તિરસ્કારનું કારણ પણ બને છે. મજાકમાં બીજાઓની નિંદા, તિરસ્કાર બહુ પ્રિય લાગે છે, તેમાં જ આનંદ આવે છે પરંતુ તે હાસ્યમાં કરેલી વૃત્તિઓ બીજાઓને પીડાકારી થાય છે. હાસ્ય વિકથાઓનો વધારો કરનાર પણ છે તેમજ શરીરના અંગોને વિકૃત તથા ચેતના વગરના કરનાર છે. હાસ્યમાં એક બીજાની ગુપ્ત વાત પ્રગટ કરીને અપમાન કરાય છે. આ રીતે હાસ્યવૃત્તિ સત્ય તેમજ સંયમનો વિનાશ કરનાર છે. પરભવમાં પણ ગતિને બગાડનાર છે. તેથી સત્ય મહાવ્રત ધારી સાધુએ હાસ્ય મજાકનો ત્યાગ કરીને વધારેમાં વધારે મૌનવ્રત ધારણ કરીને પોતાના અંતઃકરણને ગંભીરતા, સરળતા તેમજ સત્યનિષ્ઠતા યુક્ત કરતા રહેવું જોઈએ. હાસ્યમાં સત્યને પણ વિકૃત કરવું પડે છે, મીઠાં-મરચાં ભભરાવીને બોલવું પડે છે. ભાવાર્થ એ છે કે હાસ્યમાં અસત્યનો આધાર લેવો પડે છે. તેથી સત્યવ્રતના રક્ષણ માટે હાસ્યવૃત્તિને છોડવી અત્યંત આવશ્યક સમજવી જોઈએ. તપ-સંયમમાં આગળ વધેલ સાધુ પણ જો હાસ્યવૃત્તિમાં પડી જાય તો તેના સંયમનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તે કુતૂહલપ્રિય બની જાય છે અને દેવગતિમાં પણ કિલ્વિષિક આદિ દેવમાં ઉત્પન્ન થાય છે, સંયમનો વિરાધક બની જાય છે. આ સત્ય બોલવાના ઉપરોક્ત મુખ્ય પાંચ કારણ કહ્યા છે. તેનો ત્યાગ કરીને તેમાં આત્માને ભાવિત કરતા રહેવું જોઈએ. અસત્યથી બચવાનો આ સીધો અને સરળ ઉપાય છે કે સત્ય વ્રતના આરાધકોએ- (૧) હંમેશા ઊંડો વિચાર કરીને નિરવધ કોમળ વચન બોલવા. (૨-૩) ક્રોધ, લોભ આદિ કષાયોને વશ થઈને ન બોલવું (૪-૫) ભય તેમજ હાસ્ય વૃત્તિનો સહારો પણ ન લેવો પરંતુ વિચારકતા, શાંતિ, નિર્લોભતા, મૌન, ગંભીરતા આદિ ગુણો ધારણ કરવા જોઈએ. આ પાંચ ભાવનાઓથી પુષ્ટ થઈને સત્ય સંવર દ્વારા આત્માને આશ્રવરહિત બનાવવામાં પૂર્ણ સફળ થાય છે. તાલ ત્રીજું અધ્યયન અચોર્ય (મહાવત) | અચૌર્યનું સ્વરૂપ :- (૧) આ ત્રીજું સંવર દ્વાર છે, તેમાં ચોરી કરવાનું, દીધા વગર કોઈ વસ્તુ લેવી તેમજ આજ્ઞા વગર કોઈ પણ વસ્તુ લેવી, તે સર્વનો ત્યાગ કરાય છે. પૂર્ણરૂપે ત્યાગ કરનારા જ મહાવ્રતધારી કહેવાય છે. તેમાં પર દ્રવ્યની અનંત તૃષ્ણાનો નિગ્રહ થઈ જાય છે, આશ્રવોનોનિરોધ થાય છે. તેનું પાલન કરનાર નિર્ભય થાય છે અર્થાત્ ચોરી અને અદત્તથી ઉત્પન્ન થતી આપત્તિઓથી રહિત થઈ જાય છે. તેના અભ્યાસથી સંયમશીલ સાધકના હાથ-પગ પણ સંયમિત થઈ જાય છે. તેઓ અદત્ત અને આજ્ઞા વગરની વસ્તુનો સ્પર્શ પણ કરતા નથી. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy