SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અંતઃકરણવાળા થઈને રહેવું જોઈએ. ક્રોધીનો વિવેક ચાલ્યો જાય છે, સત્ અસનું ભાન રહેતું નથી, પાગલ જેવો બની જાય છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો, ક્રોધવૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવો, શ્રમણને માટે પરમ આવશ્યક છે. = ત્રીજી ભાવના : નિર્લોભતા :– લોભનો અર્થ છે— નહિ પ્રાપ્ત થયેલની ઇચ્છા અને પ્રાપ્ત થયેલમાં આસક્તિ. લોભી વ્યક્તિ યશ, કીર્તિ, સુખ-સુવિધા, ઋદ્ધિવૈભવ, આદર-સત્કાર-સન્માન, પ્રતિષ્ઠા, ભોગ-ઉપભોગની આવશ્યક સામગ્રીને માટે તેમજ બીજા પણ અનેક પ્રયોજનથી અસત્ય ભાષણ, મિશ્ર ભાષણ કરે છે; તેથી સાધુઓએ ઉપર કહેલ કોઈપણ વિષયમાં લોભ ન કરવો જોઈએ. લોભી વ્યક્તિ મિથ્યા ભાષણ કરે છે. લોભ પણ ખોટું બોલવાનું એક મુખ્ય કારણ છે તેથી નિર્લોભતાથી અંતઃકરણને ભાવિત કરવું જોઈએ. ન ચોથી ભાવના : નિર્ભયતા :– ભયભીત ન થવું, નિર્ભય બનવું. ડરપોક, ભીરુ વ્યક્તિ અનેક ભયથી ભયગ્રસ્ત બનતી રહે છે. તે પોતે પણ ડરે છે અને બીજાને પણ ડરાવી દે છે. ડરપોક વ્યક્તિ ગ્રહણ કરેલ વ્રત નિયમની પ્રતિજ્ઞાને પૂર્ણ વહન કરી શકતી નથી. તેને છોડી દે છે, તેથી કોઈપણ વ્યક્તિથી કોઈપણ સંયોગમાં તેમજ રોગ, સંકટ, દુઃખ, મૃત્યુ આદિથી ભયભીત થવું ન જોઈએ. ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-આક્રોશ, ટકોર વગેરેના ભયથી પણ ડરવું ન જોઈએ. ભય આત્મશક્તિના વિકાસમાં બાધારૂપ બને છે, હિંમતને તોડી નાખે છે. ભય સમાધિનો વિનાશક છે, સંકલેશને ઉત્પન્ન કરનારો છે; તે સત્ય પર સ્થિર રહેવા દેતો નથી. ડરપોક માનવ પોતે પણ સન્માર્ગ પર ચાલી શકતો નથી અને બીજાઓને પણ ચાલવામાં બાધક બને છે. ભયભીત બનેલી વ્યક્તિ ભયથી બચવા માટે હિંસા અથવા ખોટા માર્ગનો સહારો લે છે. તેની સરળતા નાશ પામે છે; જેથી તે અસત્ય અને માયાચાર કરે છે. વાસ્તવમાં ભય રાખવાથી કોઈ રોગ, આપત્તિ કે પ્રતિકૂળ સંયોગ દૂર થતા નથી. ભય કોઈપણ પ્રતિકૂળ સંયોગની ઔષધિ નથી કે જેનાથી તે નષ્ટ થઈ જાય. તેથી દરેક સાધકે આત્માને ભયભીત ન બનાવતાં સરળ, સત્યનિષ્ઠ, નિડર, ધૈર્યવાન બનાવવો જોઈએ. તો જ સત્ય મહાવ્રતની સાચી આરાધના થઈ શકે છે. માટે જ સત્ય ભગવાનના આરાધકોએ હંમેશાં પોતાના અંતઃકરણને ચિત્તની સ્થિરતાથી ધૈર્યવાન, સરળ તેમજ નિર્ભયતાયુક્ત બનાવવું જોઈએ. પાંચમી ભાવના : હાસ્ય ત્યાગ :- - મહાવ્રતધારી સાધુઓએ હાસ્ય-મજાક, વિનોદનું સેવન કરવું ન જોઈએ. કદાચ એવો પ્રસંગ આવે તો મૌનનું અવલંબન લેવું જોઈએ. હાસ્ય કરનાર સાધક વ્યક્તિ સારી લાગતી નથી. હાસ્યમાં વ્યક્તિ અશાંતિને ઉત્પન્ન કરનાર શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈનો પરિહાસ, તેના અપમાન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy