SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ | આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧eo થઈ જાય જેમ કે ગામ આવી ગયું. ગામ તો આવતું નથી, તોપણ બોલવું, આ વ્યવહાર સત્ય છે. (૮) કોઈ ગુણની મુખ્યતા હોય તેની અપેક્ષાએ કથન કરવું જેમ કે અનેક રંગ હોવા છતાં પણ મુખ્ય રંગનું કહેવું, અનેક ગુણ હોવા છતાં પણ એક અવગુણ હોવાથી અવગુણી કહી દેવું તે ભાવ સત્ય છે. (૯) સંયોગને કારણે તે નામથી કહેવું જેમ કે દંડ ધારણ કરવાથી દંડી. આ સંયોગ સત્ય છે. (૧૦) સમાનતાના આધારે ઉપમા લગાવી દેવી જેમ કે ચરણકમલ, મુખચંદ્ર આદિ. આ શબ્દ પ્રયોગ કરવાથી સત્ય મહાવ્રત દોષિત થતું નથી. ભાષાજ્ઞાન – પ્રાચીન પ્રસિદ્ધ છ ભાષા કહેલી છે– (૧) પ્રાકૃત (ર) સંસ્કૃત (૩) માગધી (૪) શૌરસેની (૫) પૈશાચી (૬) અપભ્રંશ. ગદ્ય અને પદ્યના ભેદથી તેમના બે-બે પ્રકાર છે. ભાષા શુદ્ધિ માટે ૧૬ પ્રકારનું વચન જ્ઞાન આવશ્યક છે (૧-૩) એકવચન, દ્વિવચન, બહુવચન. (૪-૬) સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. (૭૯) ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. (૧૦) પ્રત્યક્ષ વચન–આ સજ્જન છે. (૧૧) પરોક્ષ વચન-તે ગુણવાન છે. (૧ર-૧૫) પ્રશંસાકારી અથવા દોષ પ્રગટ કરનારા વચનની ચૌભંગી (૧૬) આધ્યાત્મ વચન. મનની વાત અચાનક પ્રગટ થઈ જવી, એકાએક બોલી જવું. હૈયે તે હોઠે ની ઉક્તિ ચરિતાર્થ થઈ જવી. આ રીતે વિવેક તેમજ જ્ઞાન યુક્ત ભાષાનો પ્રયોગ કરનારા સત્ય મહાવ્રતના આરાધક થાય છે. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ:પહેલી ભાવનાઃ ચિંત્યભાષણ – જલ્દી-જલ્દી સમજ્યા કે વિચાર્યા વગર એકાએક ન બોલવું, ચપળતાથી ન બોલવું, કડવું ન બોલવું, કઠોર, પીડાકારી, સાવધન બોલવું. એનો વિચાર કરીને હિતકારી, પરિમિત, શુદ્ધ, સંગત, અવિરોધી, વિષયના અર્થને સ્પષ્ટ કરનારી, વિચારપૂર્વક, સમય અને પ્રસંગ અનુસાર, સંયતીઓએ સત્ય ભાષા જ બોલવી જોઈએ. વગર વિચાર્યું બોલવાથી ક્યારેક અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય છે અને કોઈકવાર ભયંકર અનર્થ ઉત્પન્ન થઈ જાય છે. સારી રીતે વિચાર કરીને બોલનારને પશ્ચાતાપ કરવાનો અવસર આવતો નથી. તેને લાંછિત થવું પડતું નથી અને તેનું સત્યવ્રત અખંડિત રહે છે. બીજી ભાવનાઃ અક્રોધ:– કોઈ પ્રત્યે ક્રોધ ભાવ ન રાખવો, કારણ કે ક્રોધ ભાવનામાં રહેલી વ્યક્તિ જૂઠ, ચુગલી, કડવા વચન બોલે છે; ક્લેશ, વૈર, વિવાદ કરે છે, સત્ય, સદાચાર, વિનય ગુણનો નાશ કરે છે. ક્રોધાગ્નિમાં બળતી થકી વ્યક્તિ ભાષામાં અનેક પ્રકારના દોષોનું આચરણ કરે છે. આમ બીજા મહાવ્રતના આરાધક સાધુઓએ ક્રોધ ન કરવો જોઈએ તેમજ નિરંતર ક્ષમાથી ભાવિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy