SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત 'બીજું અધ્યયન: સત્ય(મહાવત) | સત્ય સ્વરૂપ – કે અહિંસાની આરાધના મોક્ષમાર્ગમાં મુખ્ય છે તો પણ તેની સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના પણ અત્યંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલકૃત કરે છે, સુશોભિત કરે છે. તેથી અસત્યનો ત્યાગ કરીને સત્યનો પૂર્ણરૂપથી સ્વીકાર કરવો જોઈએ. સત્ય વચન બીજું સંવર દ્વાર છે. તે શુદ્ધ નિર્દોષ છે. પવિત્ર વ્રત છે. બધા ઉપદ્રવોથી રહિત છે. પ્રશસ્ત વિચારોથી ઉત્પન્ન થવાવાળા, સુસ્થિર કીર્તિવાળા, ઉત્તમ કોટિના દેવો તેમજ શ્રેષ્ઠ માનવોથી માન્ય કરાયું છે. સદ્ગતિ માર્ગનું પ્રદર્શક છે. આ સત્યવ્રત લોકમાં ઉત્તમ છે; બધાને માટે હિતકારી છે; મહાપુરુષો દ્વારા સ્વીકારેલ છે; સત્યનું સેવન કરનારા જ સાચા તપસ્વી અને નિયમનિષ્ઠ હોઈ શકે છે. સત્યની સંપૂર્ણપણે ભાવપૂર્વક આરાધના કરવાવાળા ભયંકરમાં ભયંકર આપત્તિના સમયમાં પણ આશ્ચર્ય પમાડે તેવી સહજતાથી બચી શકે છે. સત્યના પ્રભાવથી વિદ્યાઓ તેમજ મંત્ર સિદ્ધ થાય છે. સત્ય સાગરથી પણ વધારે ગંભીર અને મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર હોય છે. સૂર્યથી પણ વધારે જાજ્વલ્યમાન અને ચંદ્રથી પણ વધારે શીતળ છે. સત્ય હોવા છતાં પણ ત્યાગ કરવા યોગ્ય – (૧) જે સંયમનું વિધાતક હોય (૨) જેમાં હિંસા અથવા પાપનું મિશ્રણ હોય (૩) ફાટફૂટ કરવાવાળું હોય (૪) અન્યાયનું પોષક હોય (૫) દોષનું આરોપણ કરવાવાળું હોય (૬) વિવાદપૂર્ણ હોય (૭) આ લોકમાં નિંદનીય હોય (૮) સારી રીતે જોયું, સાંભળ્યું કે જાણ્યું ન હોય (૯) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા રૂપ હોય (૧૦) જે શિષ્ટાચારનું ઉલંઘન કરનાર હોય (૧૧) ઢોયુક્ત હોય (૧૨) જેનાથી કોઈને પણ પીડા થાય તેવું સત્ય પણ આશ્રવયુક્ત જ છે. તે સત્ય મહાવ્રતધારી માટે ત્યાગવા યોગ્ય છે. સત્ય ન હોવા છતાં સત્ય:- (૧) કોઈ દેશ વિદેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હોય જેમ કે માતાને “આઈ', નાઈને “રાજા” આજનપદ સત્ય છે (ર) ઘણા લોકોએ જે શબ્દોનો પ્રયોગ માન્ય રાખ્યો હોય, જેમ કે પટરાણીને દેવી” આ શબ્દ સર્વને માન્ય સત્ય છે (૩) જેની મૂર્તિ હોય તે નામથી કહેવું અથવા શતરંજની ગોટીઓને હાથી ઘોડા કહેવા તે સ્થાપના સત્ય છે (૪) જેનું જે નામ રાખી દીધું તે ગુણ ન પણ હોય. જેમ કે નામ છે લક્ષ્મી પરંતુ હોય ભિખારણ, આ નામ સત્ય છે (૫) સાધુના ગુણ ન હોય પણ વેષ હોય તેને સાધુ કહેવા આ રૂપ સત્ય છે (૬) કોઈ અપેક્ષા વિશેષથી નાનું-મોટું કહેવું, જેમ પિતા દીક્ષા પર્યાયમાં નાના છે. પુત્ર મોટો છે તેને નાના મોટા કહેવા આ અપેક્ષા(પ્રતીત્ય) સત્ય છે (૭) લોકવ્યવહારમાં જે વચન પ્રચલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy