SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ આહાર કરતા સમયે મુખથી ચબ ચબ, સુડ-સુડ અવાજ ન કરતાં વિવેકપૂર્વક ખાય; જલ્દી-જલ્દી ઉતાવળથી ન ખાય; અત્યંત ધીમે-ધીમે આળસ કરતાં ન ખાય; વચમાં બીજી વાતોમાં, કાર્યોમાં સમય પસાર ન કરે; ભૂમિ પર ન ઢોળતાં ભોજન કરે, પહોળા મુખવાળા પાત્રમાં યતનાપૂર્વક તથા આદરપૂર્વક ભોજન કરે. રસ વૃદ્ધિ હેતુ સંયોગ મેળવવો, આહારની નિંદા અથવા પ્રશંસા કરવી અર્થાત્ આહાર પ્રત્યે અત્યંત ગ્લાનભાવ અથવા અતિહર્ષભાવ આદિ મુનિ ન કરે; જેવો આહાર મળે તેને વિરક્ત ભાવથી ખાય; મર્યાદાથી ખાય અર્થાત્ ગાડીની ધરીમાં તેલ દેવા અથવા ઘાવ પર મલમ લગાડવાની સમાન, ફક્ત સંયમ નિર્વાહને માટે જેટલો જરૂરી હોય તેટલો જ આહાર કરે. આ રીતે આહાર સમિતિનું સાધુ યોગ્ય રૂપથી અતિચાર રહિત પાલન કરે. ૧૭૫ આ રીતે અહીં સાધુની ભોજનવિધિ બતાવી દીધી છે. અન્ય શાસ્ત્રમાં પણ આ વિષયનું વર્ણન દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાતાધર્મકથા સૂત્ર આદિમાં છે. તે સમસ્ત વિધિનિયમોનું વિવેકપૂર્વક, ભાવપૂર્વક, યથાર્થ રૂપે પાલન કરવું જોઈએ. પાંચમી ભાવના–આદાન નિક્ષેપણા સમિતિ :- સંયમની રક્ષા માટે અથવા ગરમી, ઠંડી, જીવ, જંતુ, મચ્છર આદિથી શરીરની રક્ષા માટે સાધુ વસ્ત્ર, પાત્ર, પાટ, સંઘારા, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ઉપકરણોને તેમાં રાગ-દ્વેષ ન કરતાં ધારણ કરે; તે ઉપકરણોને યતનાપૂર્વક રાખે અને યતનાથી લેવે. બંને વખત યતનાથી પડિલેહણ કરે, જરૂરી હોય તો જતનાથી ખંખેરે, જતનાથી પ્રમાર્જન કરે; દિવસે અને રાતે હંમેશા અપ્રમત્તભાવથી અર્થાત્ સાવધાનીપૂર્વક જ બધી પ્રવૃત્તિ કરે. અહીં ઉપલક્ષણથી પરઠવાની સમિતિ પણ સમજી લેવી જોઈએ અર્થાત્ મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ શરીરથી નીકળેલી નકામી વસ્તુને યતનાથી, વિવેકપૂર્વક, કોઈને દુગંચ્છા કે ઘૃણા ન આવે એ રીતે પરઠે. પરઠવાની ભૂમિ કોઈની માલિકીની હોય તો તેની આજ્ઞા લઈને પરઠે. કોઈની માલિકી ન હોય તો શક્રેન્દ્રની આજ્ઞા લઈને પછી પરઠે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૨માં બતાવેલ વિધિથી તેમજ નિશીથસૂત્રમાં કહેલ વિધિ અને દોષોનો વિવેક રાખતાં પરઠે. આ રીતે પહેલા મહાવ્રતની પાંચ ભાવનામાં પાંચ સમિતિઓનું સમ્યગ આરાધન સૂચિત કરાયું છે. મનને પવિત્ર રાખવાની પ્રેરણા અપાયેલી છે. ભાવાર્થ એ છે કે આપણા ભાવ પૂર્ણ અહિંસક હોવા જોઈએ અને તેની સાથે પ્રવૃત્તિ પણ સમ્યક હોવી જોઈએ, તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ છે. આ રીતે પાંચ ભાવનાઓ યુક્ત પ્રથમ સંવર દ્વારરૂપ પ્રથમ મહાવ્રતઅહિંસાનું સ્વરૂપ છે. તેનું હંમેશાં જીંદગી સુધી પાલન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy