SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત સાવધાની પૂર્વક જોઈને ચાલે, ચાલવામાં પ્રત્યેક ત્રાસ-સ્થાવર પ્રાણીની દયામાં તત્પર થઈને ફૂલ, પાંદડા, કૂંપળ, કંદમૂળ, માટી, પાણી, બીજ, છાલ, દૂબ, લીલું ઘાસ આદિને બચાવતાં યતનાપૂર્વક ચાલે. કોઈપણ પ્રાણીની ઉપેક્ષા કરવી જોઈએ નહિ; નિંદા, ગહ કરવી જોઈએ નહિ; તેની હિંસા, છેદન, ભેદન કરવું જોઈએ નહિ; તેને દુઃખી કરવા જોઈએ નહિ. જરા માત્ર પણ કોઈ જીવોને ભય અથવા દુઃખ આપવું જોઈએ નહિ. આ રીતે સાધુ ઈર્ષા સમિતિમાં મન, વચન, કાયાથી ભાવિત થઈને મલિનતા રહિત, સંકલેશ રહિત તેમજ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે. બીજી ભાવના–મન સમિતિ – મનથી ક્યારેય પણ પાપકારી, અધાર્મિક, કૂર, વધ, બંધન, ભય, મરણ આદિથી કોઈને પીડા આપવાનું મુનિ ચિંતન ન કરે પરંતુ નિર્મળ સંક્લેશ રહિત મનના પરિણામ રાખે. મનને હંમેશાં સ્વચ્છ, શાંત અને સમભાવમાં રાખે. ત્રીજી ભાવના–વચન સમિતિ – મુનિઓએ પાપકારી પરિણતિઓથી યુક્ત થઈને કિંચિત પણ સાવદ્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ અર્થાત્ કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મયુક્ત, પાપપ્રેરક, ગૃહસ્થોને આવો, જાવો આદિની પ્રેરણાયુક્ત વચનોનો પ્રયોગ મુનિ ન કરે, ક્રોધ, માન, માયા, લોભને વશ થઈને ન બોલે, હાસ્ય, વિનોદ, ભય, વાચાળતા, વિકથામાં પ્રેરિત બુદ્ધિથી વચનનો પ્રયોગ ન કરે; આ બધાનું ધ્યાન રાખતાં થકાં અતિ આવશ્યક, મૃદુ(મધુર), અસાવધ, વિવેક યુક્ત ભાષા બોલે; કોઈને પણ પીડા થાય તેવી વાણી જરાપણ ન બોલે. ચોથી ભાવના-એષણા સમિતિ:- પૂર્વે કહેલ શુદ્ધ નિર્દોષ ગવેષણા કરીને ભિક્ષા(મધુકરી) વૃત્તિથી આહાર લઈને ગુરુની પાસે આવે. જવા-આવવાનું પ્રતિક્રમણ કરે. ગુરુની સમક્ષ આલોચના કરીને આહાર બતાવે. ત્યારપછી અપ્રમાદ ભાવથી ફરી દોષોની નિવૃત્તિ માટે કાઉસ્સગ્ગ પ્રતિક્રમણ કરે, પછી શાંતભાવ યુક્ત સુખશાંતિપૂર્વક બેસીને થોડો સમય શુભયોગ, ધ્યાન, સ્વાધ્યાયમાં સમય પસાર કરતાં ધર્મમન, અવિમન, સુખમન, અવિગ્રહમન, સમાધિમન, શ્રદ્ધા-સંવેગ નિર્જરાયુક્ત મન,જિનવચનો પ્રત્યે પ્રગાઢ વત્સલતા યુક્ત મનવાળા થઈને અર્થાત્ સંપૂર્ણ પવિત્ર પ્રસન્ન ચિત્તવાળા થઈને મુનિ ઊભા થાય અને ગુરુ રત્નાધિકને ક્રમથી નિમંત્રણ કરે (દૂર હોય તો ઉભા થાય તેમજ અતિ નજીકમાં બેઠા હોય તો બેઠા-બેઠા જ શ્રદ્ધા ભક્તિ વિનયયુક્ત થઈને નિમંત્રણ કરે) તેમજ ભાવપૂર્વક આપે. પછી યોગ્ય આસન ઉપર બેસે. સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરી હાથનું પ્રમાર્જન કરે. પછી મૂછભાવ, ગૃદ્ધિ ભાવથી રહિત થઈને આકુળતા, લોલુપતા, લાલસા રહિત પરમાર્થ બુદ્ધિવાળા થઈને સાધુ જ્ઞાતાસૂત્રમાં કહેલદષ્ટાંતોનું ચિંતન કરતા થકા આહાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy