SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ પાંચ સંવરનું સ્વરૂપ ઃ- આ પાંચે સંવર પાંચ મહાવ્રત રૂપ છે, તપ-સંયમ રૂપ છે, સમસ્ત હિતોના પ્રદાતા છે, કર્મરૂપી રજને દૂર કરનાર છે, ચાર ગતિના ભ્રમણને ટાળનાર છે. સેંકડો ભવોનો નાશ કરનાર છે. વિપુલ દુઃખોથી છોડાવનાર, વિપુલ સુખોને આપનાર છે. કાયર પુરુષોને માટે તેનું આચરણ દુષ્કર છે કારણ કે તેમનું મનોબળ નબળું હોય છે. જે ઇન્દ્રિયોના દાસ છે, મન પર નિયંત્રણ કરી શકતા નથી, ધૈર્યહીન છે, સહનશીલ નથી; તેઓ પ્રથમ તો મહાવ્રતોને ધારણ જ કરી શકતા નથી; કદાચ ધારણ કરી લે તો પણ તે કાયર પુરુષ વચમાં જ ભ્રષ્ટ થઈ જાય છે, શિથિલ થઈ જાય છે અર્થાત્ સાધુ વેશમાં રહેવા છતાં પણ અસાધુ જીવન વ્યતીત કરે છે. ૧૧ ધૈર્યશાળી દઢ મનોબળવાળા સત્પુરુષ શૂરવીરતાથી પરીષહ ઉપસર્ગોને સામનો કરતાં સહજ અને દઢ ભાવથી સંયમ નિયમોનું પાલન કરે છે. તેઓ મન અને ઇન્દ્રિયોને વિવેકથી અંકુશમાં રાખે છે. તેઓને માટે આ પાંચ મહાવ્રત મોક્ષમાં પહોંચવાનો માર્ગ છે અથવા કર્મરજ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર છે. પ્રથમ અધ્યયન : અહિંસા(મહાવ્રત) અહિંસાનું સ્વરૂપ :– આ નિગ્રંથ પ્રવચન તીર્થંકર ભગવંતોએ સંસારના સમસ્ત જીવોની દયા માટે (અનુકંપા માટે) અને તેની રક્ષા માટે કહેલ છે અર્થાત્ અહિંસાની પ્રમુખતાથી જ તીર્થંકર ઉપદેશ આપે છે. આમ પણ બધા મહાવ્રતોમાં મુખ્ય અહિંસા મહાવ્રત જ છે, તેની સુરક્ષાને માટે જ બાકીના ચાર મહાવ્રત છે અર્થાત્ બાકીના ચાર મહાવ્રતોથી પણ અહિંસા મહાવ્રતની પુષ્ટિ થાય છે. એવા અહિંસા પ્રધાન, સમસ્ત જીવોની અનુકંપા – રક્ષા પ્રધાન આ પ્રવચન, આત્માને માટે હિતકર છે આ ભવ અને પરભવ બંનેમાં કલ્યાણકર છે. બીજા પ્રવચનોમાં(સિદ્ધાંતોમાં) અનુત્તર, શ્રેષ્ઠતમ, સર્વોત્તમ છે અને બધા જ પાપો તેમજ દુઃખોને ઉપશાંત કરનાર અર્થાત્ તેનો અંત કરાવનાર છે. જેવી રીતે ભયભીતને માટે શરણ, પક્ષીઓને માટે આકાશ, ભૂખ્યાને ભોજન તરસ્યાઓને પાણી, સમુદ્રમાં ડૂબતા લોકોને માટે જહાજ, રોગથી પીડિતોને ઔષધ અને અટવીમાં સાર્થવાહોનો સંગ, પ્રાણીઓને સુખકારક થાય છે તેનાથી પણ અધિકતર આ અહિંસા ભગવતી ત્રસ-સ્થાવર સમસ્ત પ્રાણીઓને માટે મહાન કુશલ, કલ્યાણકારી, મંગળકારી અને સુખકારી છે. અહિંસા ભગવતીના પર્યાયવાચી સાઠ નામ ઃ— (૧) દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા (૨) નિર્વાણ (૩) નિવૃત્તિ (૪) સમાધિ (૫) શક્તિ (૬) કીર્તિ (૭) ક્રાંતિ (૮) રતિ (૯) વિરતિ (૧૦) શ્રુતનું અંગ (૧૧) તૃપ્તિ (૧૨) દયા, અનુકંપા-કષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy