SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કહેલ છે. યથા જલચર, સ્થલચર ખેચરના અલગ-અલગ નામ છે. અનાર્ય દેશના ૫૪ નામ સૂચિત કરાયા છે. નાસ્તિકવાદી અનેક મતાંતરોનાં સિદ્ધાંતોનું કથન છે. અનેક હિંસક આદેશ-ઉપદેશ પ્રેરણાઓના પ્રકાર, યુદ્ધની તૈયારી, તેમજ યુદ્ધસ્થળની ભયંકરતા, સમુદ્રી લૂંટનું વિસ્તારથી વર્ણન, સંસાર અને સમુદ્રની વિસ્તારથી ઉપમા, ચક્રવર્તીના શુભ લક્ષણ, તેની ઋદ્ઘિ, બલદેવ, વાસુદેવોની શારીરિક તેમજ ભૌતિક સમૃદ્ધિ, જુગલિયા પુરુષના તેમજ સ્ત્રીઓના સંપૂર્ણ અંગોપાંગોનું અલગ-અલગ વર્ણન કરાયું છે. તેમના પ્રશસ્ત(૩ર) લક્ષણ પણ કહ્યા છે. વિશેષ જાણકારીને માટે વિવેચન બીજા સંસ્કરણોમાં જુઓ. બીજો શ્રુતસ્કંધનો પ્રારંભ ૧૦૦ પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ આશ્રવ ધારોનું અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ આ પાંચ મૌલિક પાપ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કરાયું છે. ત્યારપછી બીજા શ્રુતસ્કંધમાં આ પાંચના ત્યાગરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એમ તો અન્યાન્ય આગમોમાં તેમજ જૈન સાહિત્યમાં આશ્રવ-સંવરના અપેક્ષાથી અનેક ભેદ પણ કહ્યા છે. અહીં સંક્ષેપની અપેક્ષાથી આ પાંચ ભેદોમાં સંપૂર્ણ આશ્રવોનો સમાવેશ કરતાં વર્ણન કર્યું છે. વાસ્તવમાં આગમોમાં કેટલાય તત્ત્વોના ભેદોની સંખ્યાને માટે કોઈપણ એક દિવાલ હોતી નથી. જેમ કે જીવોના ભેદ ૨ થી લઈને ૫૩ સુધી કહેવાય છે. દેવતાના ભેદ ૪, ૧૪, ૧૯૮ સુધી કહેવામાં આવે છે. માટે અપેક્ષાથી અહીં ૫-૫ આશ્રવ સંવરનું વર્ણન હોવા છતાં પણ તેની પ્રચલિત વિભિન્ન સંખ્યાઓનો કોઈ વિરોધ ન સમજવો જોઈએ. આ પ્રકરણમાં સંવરનું વર્ણન કરતા થકા અહિંસા આદિ પાંચોનું સ્વરૂપ તેમજ મહત્ત્વ આદિ બતાવવાની સાથે-સાથે હિંસાદિના સર્વથા ત્યાગરૂપ સંવરની પ્રમુખતા રાખીને સંયમના પ્રમુખ ગુણ પાંચ મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે તેમજ તેમનું મહત્ત્વ બતાવાયું છે. મહાવ્રતોની સુરક્ષાને માટે પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ અર્થાત્ તે મહાવ્રતોની સફળ નિબંધ આરાધના કરાવવા– વાળી સાવધાની રૂપ પ્રવૃત્તિઓ કહેવામાં આવી છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ મહાવ્રતોનું સમ્યક પાલન થાય છે. જે પ્રમુખ પ્રવૃત્તિઓના માધ્યમથી આત્મામાં કર્મોનું આગમન થાય છે, તે પ્રવૃત્તિઓને આશ્રવ કહેવામાં આવે છે. જે સદનુષ્ઠાનો દ્વારા આત્મામાં કર્મોનું આગમન રોકાય છે, તેને સંવર દ્વારા કહેવામાં આવે છે. આ બીજા શ્રુતસ્કંધમાં પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy