SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ (૭) પરિગ્રહ સંગ્રહને માટે કેટલાક લોકો અનેક હિંસા કાર્ય કરે છે, ખોટા અનૈતિક કાર્યોનું સેવન કરે છે; ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ-ઝઘડા-વૈર-વિરોધ વધારતા રહે છે; ઇચ્છા, તૃષ્ણા, ગૃદ્ધિ લોભમાં ગ્રસ્ત રહે છે. (૮) આ રીતે આ પરિગ્રહની જાળમાં બધા સંસારી જીવો ફસાયેલા છે. પરિગ્રહ પાપના ખરાબ પરિણામ :– પરિગ્રહમાં આસક્ત બનેલા પ્રાણી તેના ઉપાર્જનમાં, ઉપભોગમાં તેમજ તેની રક્ષા કરવામાં અનેક પ્રકારના પાપકાર્યોનું આચરણ કરીને કર્મનો સંગ્રહ કરતાં રહે છે. તેઓ આ લોકમાં પણ સદ્ગતિ સન્માર્ગ અને સુખશાંતિથી નષ્ટ-ભ્રષ્ટ થાય છે, અજ્ઞાન મોહ અંધકારમાં ડૂબતા રહે છે. લોભને વશ થયેલા વિવેક વગરના થઈને ભૂખ, તરસ, ગરમી, ઠંડી આદિ કષ્ટોને સહન કરે છે. અંતમાં બધો પરિગ્રહ પરવશપણે છોડીને તથા તેના મમત્વ આસક્તિથી બંધાયેલ કર્મોની સાથે નરકગતિ, તિર્યંચગતિ આદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે અને મહાન દુઃખોને ભોગવતા રહે છે. વિવેકવાન વિજ્ઞજનોએ આ પરિગ્રહ, લોભ, તૃષ્ણાની જાળથી મુક્ત થઈને આત્માની દુર્દશાથી સુરક્ષા કરવી જોઈએ. ભવોભવમાં વિવિધ પરિગ્રહને અને સ્વર્ગલોકને પણ છોડીને આ જીવ મરતો રહે છે અને અહીંથી પણ છોડીને એક દિવસ મરી જાવું પડશે. માટે જ્ઞાન અને વિવેક દ્વારા સમજીને, સંતોષ તેમજ વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરી લેવો ખૂબ જ કલ્યાણકારી છે. સંપૂર્ણ ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ આશાતૃષ્ણાને રોકી, પરિગ્રહની સીમા(હદ) મર્યાદા કરીને બાકી સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્ત થઈ જવું જોઈએ. આમ કરવાથી પ્રાણી સંસારમાં રહેવા છતાં પણ પરિગ્રહના આ કટુ પરિણામોથી મુક્ત રહી શકે છે અને તક મળતાં એક દિવસ સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીને સંસાર ભ્રમણથી હંમેશાંને માટે મુક્ત થઈ શકે છે. ૧૬૯ પ્રથમ શ્રુતસ્કંધનો ઉપસંહાર :- આ પાંચ આશ્રવોના નિમિત્તથી જીવ નિરંતર કર્મોનો સંગ્રહ કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. કોઈ અભાગી પ્રાણી તો ધર્મનું શ્રવણ પણ કરતા નથી. કોઈ મિથ્યાદષ્ટિ અધાર્મિક નિકાચિત બંધવાળા અથવા પ્રમાદી, ધર્મનું આચરણ કરતા નથી. તીર્થંકર ભગવંતોએ સમસ્ત રોગો, દુઃખોનો નાશ કરવાને માટે ગુણયુક્ત મધુર વિરેચન દવા બતાવી છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી અને મફતમાં અપાતી આ ઔષધિનું પણ કોઈ સેવન જ ન કરે તેને શું કહેવાય ? જે બુદ્ધિમાન વિજ્ઞ-પુરુષ આ પાંચ આશ્રવોને સમજીને તેનો ત્યાગ કરે છે તે એક દિવસ કર્મ-રજથી સર્વથા રહિત થઈને સર્વોતમ સિદ્ધિ(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે. પરિશેષ નિર્દેશ :– સારાંશમાં વિવિધ જાણવા યોગ્ય વિષયોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા છતાં પણ કેટલાંક જાણવા યોગ્ય વિષયોનો સમાવેશ કરાયો નથી જે સૂત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy