SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પામતાં અથવા મરતાં પ્રાણીઓની કરુણા પ્રેરિત આત્મભાવોથી રક્ષા કરવી, યથાશક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવું (૧૩) વિમુક્તિ (૧૪) ક્ષમા (૧૫) સમ્યફ આરાધના (૧૬) મહતી-વિશાલ(સમસ્ત વ્રતોનો સમાવેશ કરનારી), (૧૭) બોધિ (૧૮) બુદ્ધિને સાર્થક બનાવનારી (૧૯) ધૃતિ (૨૦) સમૃદ્ધિ(બધાં જ પ્રકારની સંપન્નતા) (ર૧) ઋદ્ધિ–લક્ષ્મી (રર) વૃદ્ધિ (ર૩) સ્થિતિ (૨૪) પુષ્ટિ (રપ) નંદા-આનંદકારી (ર૬) ભદ્રા-કલ્યાણકારી (૨૭) વિશુદ્ધિ (૨૮) લબ્ધિ (૨૯) વિશિષ્ટ દષ્ટિ–અનેકાંત દષ્ટિ (૩૦) કલ્યાણ (૩૧) મંગલ (૩ર) પ્રમોદ (૩૩) વિભૂતિ–આધ્યાત્મિક ઐશ્વર્ય (૩૪) રક્ષા (૩૫) સિદ્ધાવાસ (૩૬) અનાશ્રવ (૩૭) કેવલીસ્થાન (૩૮) શિવ (૩૯) સમિતિ (૪૦) શીલ (૪૧) સંયમ (૪૨) સદાચાર (૪૩) સંવર (૪૪) ગુપ્તિ (૪૫) વ્યવસાય (૪૬) ઉન્નતિ (૪૭) યજ્ઞ (૪૮) આયતન–ગુણોનુ ઘર (૪૯) અપ્રમાદ (૫૦) આશ્વાસન તસલ્લી (૫૧) વિશ્વાસ (પર) અભય (પ૩) અમારી (૫૪) ચોખી–ભલી (૫૫) પવિત્રા (૫૬) શુચિ(પવિત્ર) (૫૭) પૂલા (૫૮) વિમલા(૫૪ થી ૫૮ સુધી સારી – ભલી, નિર્મળ, નિષ્કલંક, શુદ્ધ, પવિત્ર આદિ અર્થો તેમજ ભાવોના સૂચક નામ છે) (૫૯) પ્રભાષા-પ્રકાશમાન (૬૦) નિર્મલતરા વિભિન્ન અપેક્ષાઓથી પરિપૂર્ણ આ ગુણ નિષ્પન્ન નામો છે. આ નામો દ્વારા અહિંસાનું સ્વરૂપ, અહિંસાનું મહત્ત્વ તેમજ અહિંસાનો વ્યાપક અર્થ સ્પષ્ટ થાય છે. અહિંસાના ધારક:- આ અહિંસા ભગવતીનું ત્રણે લોકમાં પૂજિત કેવળ જ્ઞાન, દર્શનના ધારક સમસ્ત જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરનાર તીર્થકર પ્રભુએ સમ્યક રૂપથી કથન કર્યું છે. અનેક વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિધારી, વિવિધ તપોનિરત તપસ્વી, ધરમતિ અતિશય લોકોત્તર બુદ્ધિ સંપન્ન, આહાર-વિહારમાં અતિશય સંપન્ન, સદા શીલ, સ્વાધ્યાય, ધ્યાનમાં લીન, મહાવ્રતધારી, સમિતિ ગુપ્તિ યુક્ત, છ કાયના રક્ષક, નિત્ય અપ્રમત રહેનારા, શ્રેષ્ઠ, મુનિવરો તેમજ તીર્થકર ભગવંતોએ પોતે આ અહિંસા ભગવતીનું સમ્યક પાલન કર્યું છે. અર્થાત્ તે જિનેશ્વરો દ્વારા પ્રરૂપિત તેમજ સેવાયેલ તથા ઘણા મહામુનિઓ દ્વારા લેવાયેલ છે. બીજા પણ એવા અથવા સામાન્ય અનંત જીવોએ અહિંસા મહાવ્રતનું આરાધન કર્યું છે. વર્તમાનમાં લાખો જીવ કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ અનંતા અનંત જીવ આ અહિંસા મહાવ્રતનું સંપૂર્ણ પાલન કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. અહિંસા મહાવ્રતધારીઓની આહાર ચર્યા :- શરીર અને આયુષ્યને ધારણ કરવા માટે મનુષ્ય માત્રને આહારની આવશ્યકતા હોય છે. આહાર વિના લાંબા સમય સુધી સંયમચર્યાનું આરાધન થઈ શકતું નથી, તેથી જ જિનેશ્વરોએ અસાવદ્ય વૃત્તિ એટલે પાપ રહિત અહિંસક વૃત્તિ આહારને માટે કહી છે. તે આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy