SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ જે કાંઈ મળે તે ખાઈને ગનીમત સમજે છે. તેઓ હંમેશા ગભરાયેલા, ચિંતાવાળા, ભયથી આક્રાંત બનેલા અને આકુળ-વ્યાકુળ થતા રહે છે. (૭) આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આ આશ્રવ દ્વારમાં સ્થૂલ ચૌર્ય કર્મનું વર્ણન છે, જેનો શ્રાવક ત્યાગ કરે છે પરંતુ સાધુને ત્યાગ કરવા યોગ્ય સૂક્ષ્મ અદત્તનું અહીં કથન કરવામાં આવ્યું નથી. તે અદત્તથી પણ કર્મબંધન અને આશ્રવ તો થાય જ છે પરંતુ અહીં જે બીભત્સ(ભયંકર) પાપ આશ્રવની અને સ્થૂલ અદત્ત ચૌર્યકર્મની અપેક્ષા છે, તેમાં અતિચારરૂપ સ્તૂન્ય કર્મનો અથવા સૂક્ષ્મ અદત્તનો સમાવેશ નથી. ચૌર્ય કર્મનું આ ભવમાં દુઃખદ પરિણામ :- (૧) ચૌર્ય કર્મ કરતાં ચોર જ્યારે પકડાય જાય છે ત્યારે તેને બંધનોથી બાંધી દેવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે, અધિકારીઓને સોંપવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યાં તેને લાકડી મારે છે, ગરદન અથવા ડોક પકડીને, ધક્કા દઈને અથવા મારીને, પછાડે છે. તેને તાડના-તર્જના આદિ કરવામાં આવે છે, વસ્ત્ર છીનવી લે છે, હાથકડી નાખવામાં આવે છે, બેડી, ખોડા, સાંકળથી બાંધવામાં આવે છે, પાંજરામાં, ભોંયરામાં જકડીને નાખી દેવામાં આવે છે, અંગોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે, બળદોની જગ્યાએ જોડે છે અથવા ગાડીના પૈડા સાથે બાંધી દે છે, થાંભલા સાથે બાંધે છે, ઊંધા લટકાવે છે વગેરે અનેક બંધનોથી પીડા આપવામાં આવે છે. (૨) તેને સોયો ખૂંચાડવામાં આવે છે, વસુલોથી(છરીઓથી) શરીરને છોલવામાં આવે છે, ક્ષાર પદાર્થ, લાલ મરચા આદિ તેના પર છાંટે છે, લોખંડના અણીદાર દંડા તેના છાતી, પેટ, ગુદા અને વાંસામાં ભોકે છે. આ રીતે ચોરી કરનારાઓના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા કરી નાખે છે. યમદૂતોની સમાન જેલના કર્મચારી મારપીટ કરે છે. આ રીતે તે મંદ પુણ્યવાળા, અભાગી, ચોર જેલમાં લપાટો, મુક્કાઓ, ચર્મપટ્ટાઓ, તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ, નેતરના વગેરે સેંકડો પ્રહારથી પીડિત થઈને મનમાં ઉદાસ, ખિન્ન થઈ જાય છે, મૂઢ બની જાય છે, તેના ઝાડો, પેશાબ, બોલવું, ચાલવું, ફરવું બંધ કરી દેવામાં આવે છે. આ પ્રકારની યાતનાઓને અદત્ત ચૌર્યકર્મ કરવાવાળા પાપી પ્રાપ્ત કરે છે. ૧૬૩ (૩) તે ચોર ૧. ઇન્દ્રિયોનું દમન નહીં કરી શકવાથી, ઇન્દ્રિયોનો દાસ બનવાથી, ૨. ધન લોલુપ હોવાથી ૩. શબ્દાદિ સ્ત્રી વિષયોમાં આસક્ત હોવાથી, તૃષ્ણામાં વ્યાકુળ થઈને ધન પ્રાપ્તિમાં જ આનંદ માનીને ચોરી કર્મ કરે છે, પરંતુ જ્યારે રાજસેવકો દ્વારા પકડાય જાય છે ત્યારે મૃત્યુદંડની પણ સજા દેવામાં આવે છે, નગરમાં પ્રસિદ્ધ સ્થળે, ચોરા પર લાવીને મારપીટ કરાય છે. (૪) તેને ઘસડવામાં આવે છે, ફાંસી પર લઈ જવામાં આવે છે, બે કાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે, વિવિધ રીતે અપમાન કરાય છે, કોલસાના ભૂકાથી આખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy