SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, શરીરમાં લેપ કરવામાં આવે છે, તલ જેવા પોતાના શરીરના ટુકડા કરીને જબરદસ્તીથી ખવડાવે છે. આ રીતે તેને નગરમાં ફેરવીને નગરજનોને દેખાડવામાં આવે છે, પત્થર આદિથી માર મરાય છે. પછી તે અભાગીને શૂળીમાં પરોવવામાં આવે છે, જેનાથી તેનું શરીર ચિરાય જાય છે. કોઈના વધસ્થાનમાં કેટલાક ટુકડે ટુકડા કરી દેવામાં આવે છે, વૃક્ષોની ડાળીઓ પર લટકાવવામાં આવે છે. હાથપગને ખચકાવીને બાંધી દેવામાં આવે છે, પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, હાથીના પગની નીચે કચડીને કચુંબર કરી નાખે છે. કેટલાયના નાક, દાંત, અંડકોશ ઉખાડી દેવામાં આવે છે, જીભ ખેંચીને બહાર કાઢી નાખે છે. કોઈકના અંગોપાંગ કાપીને દેશનિકાલ કરે છે, કેટલાય ચોરોને યાવજીવન જેલમાં રાખીને પીડા દેવામાં આવે છે. અંતમાં તે ત્યાં જ મરી જાય છે. આવી દુર્દશા અહીં મનુષ્ય લોકમાં ચોર ભોગવે છે. જો તે ચોર પહેલેથી જ આવી યાતનાઓની કલ્પના કરી લે અને ચોરીનું કાર્ય ન કરે તો દુઃખ આવતું નથી. ત્યાં તેને કોઈ પણ શરણ આપતું નથી. એટલાથી શું! હજુ તો તેને નરકાદિ દુર્ગતિઓની વેદના ભોગવાની બાકી છે. અર્થાત્ ત્યાંથી તે ખરાબ મૃત્યુ પામીને ક્લિષ્ટ-આર્ત પરિણામોથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ આશ્રવ દ્વારમાં કહેવાયેલ ભયંકર વેદનાઓને ત્યાં નરકમાં ભોગવે છે. પછી ક્રમશઃ ભવોભવ નરક, તિર્યંચ ગતિમાં દુઃખ ભોગવતો જ રહે છે. બાકી રહેલા કર્મવાળા તે ચોર ક્યારેક મનુષ્ય પણ બને છે તો ત્યાં સુખ, ભોગ સામગ્રી તેમજ ધન આદિ તેને લાખ પ્રયત્ન કરવા છતાં પણ મળતા નથી; કઠિન પરિશ્રમ કરવા છતાં પણ અસફળતા જ મળે છે, તેને ન મળે સુખ કેન મળે શાંતિ, ફક્ત દુઃખ અને દીનતામાં જ જીવન પસાર કરે છે. (૫) આ પ્રકારે અદત્તાદાનના પાપથી ભારે કર્મબનેલ તે બિચારો વિપુલદુઃખોની અગ્નિમાં બળતો રહે છે. એવા અદત્ત પાપ અને તેના પરિણામને જાણીને વિવેકી પુરુષોએ સુખી થવા માટે પારકા ધનને ધુળ બરાબર સમજીને નેકનીતિ (પ્રમાણિકતા)થી પ્રાપ્ત પોતાની સંપત્તિમાં જ સંતોષી અને સુખી રહેવું જોઈએ. મરવું પડે તો મરી જવા તૈયાર થવું પણ ચોરીનું કામ કરવું જોઈએ નહિ. 'ચોથું અધ્યયન ઃ અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્યનું સ્વરૂપ :- ચોથું આશ્રવ દ્વાર છે, અબ્રહ્મ કુશીલ. તેનું દેવોમાં, મનુષ્યોમાં, પશુઓમાં, અર્થાત સમસ્ત સંસારના પ્રાણીઓમાં સામ્રાજ્ય છે અર્થાત બધાં જ પ્રાણી આ કામની, અભિલાષાથી વ્યાપ્ત છે. તે પ્રાણીઓને ફસાવવા, તે કીચડની સમાન છે, પાશ તેમજ જાળની સમાન છે. આત્માને પતિત કરાવનાર, અનેક અનર્થોનું મૂળ, દોષોને ઉત્પન્ન કરાવનાર, સંસારને વધારનાર છે, મોહકર્મની સંતતિને વધારવાવાળા, તપ, સંયમના વિધાતક, બાધક, આત્મ શક્તિથી કાયર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy