SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભવભ્રમણ કરાવનાર, લાંબાકાળથી પરિચિત હોવાથી તેનો ત્યાગ કરવો દુષ્કર છે, અંતમાં તે ચૌર્યકર્મ પરિણામે ભયંકર દુઃખદાયી છે. અદત્તાદાનના પર્યાયવાચી શબ્દ – (૧) ચૌરિક્ય (ર) પરહડ (૩) અદત્ત (૪) ક્રૂરકર્મ (૫) પરલાભ (૬) અસંયમ (૭) પરધનમાં આસક્તિ (૮) લોલુપતા (૯) ચોરીપણું(ચૌર્ય) (૧૦) ઉપહાર (૧૧) હસ્તલઘુ-કુત્સિત હાથ, ઉઠાઉ હાથ (૧૨) પાપકર્મ (૧૩) સ્તન્ય (૧૪) હરણ વિપ્રણાસ (૧૫) પરધન ગ્રાહક (૧૬) ધનલૂટક (૧૭) અપ્રત્યય (૧૮) અવપીડ–પીડાને ઉત્પન્ન કરનાર (૧૯ થી ર૧) આક્ષેપ-પ્રક્ષેપ-સવિશેષ– બીજાની વસ્તુને ઝ૫ટવી, છીનવી લેવી, ફેંકી દેવી, જ્યાં ત્યાં કરી દેવી, નાશ કરી નાખવી. (રર) કૂટતા–બેઈમાની (ર૩) કુલમસિકલંકકારી (૨૪) કાંક્ષા–તીવ્ર ઇચ્છા ચાહના (રપ) લાલપના, પ્રાર્થના, નિંદિત લાભની અભિલાષા (૨૬) વ્યસન-વિપત્તિઓનું કારણ (૨૭) ઇચ્છામૂચ્છ (૨૮) તૃષ્ણાગૃદ્ધિ (૨૯) નિકૃતિકર્મ-કપટપૂર્વકનું આચરણ (૩૦) અપરાક્ષ–બીજાઓની નજરથી બચાવવાનું કાર્ય. ચૌર્ય કર્મના વિવિધ પ્રકારઃ- (૧) કોઈ છુપાઈને ચોરી કરે, કોઈ સામે પ્રહાર કરીને ચોરી કરે છે, કોઈ મંત્ર પ્રયોગ કરીને પણ ચોરી કરે છે. કોઈ ધન લૂટે છે, કોઈ પશુ, તો કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોનું અપહરણ કરે છે, કોઈ રસ્તામાં ચાલતાં મુસાફરોને લૂંટે, તો કોઈ શસ્ત્રના બળથી રાજાઓના ખજાનાને લૂંટે છે. (૨) મહાન ધન, સંપત્તિ, ઐશ્વર્યના સ્વામી રાજા લોકો પણ અસંતોષવૃત્તિના શિકાર થઈને, બીજાઓના ધનની લાલસાથી એક બીજા રાજ્ય પર આક્રમણ કરીને મહાસંગ્રામ દ્વારા જનસંહાર કરાવીને બીજાનું ધન લૂંટીને આનંદ માને છે. આ ધનના લોભનું આંધળાપણું છે, જેનાથી તેના વિવેક નેત્ર બંધ થઈ જાય છે. (૩) કેટલાય જંગલોમાં, પહાડોમાં, અટવીઓમાં રહેનારા શસ્ત્રો રાખનારા ચોર હોય છે, તેને સેનાપતિ પણ હોય છે. તેઓ આજુબાજુના રાજ્યોમાં ચોરીઓ કરતાં જ રહે છે. તેઓ મનુષ્યોની હિંસા કરે છે, સમય આવવા પર રાજ્યસૈન્યનો સામનો કરીને પરાસ્ત કરે છે. (૪) કેટલાય ડાકૂલોકો પર ધનને માટે જ્યાં-ત્યાં આક્રમણ કરે છે. સમુદ્રમાં રહેનાર ચાંચિયા પણ લૂંટીને માર મારે છે, જહાજોને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે. (૫) કેટલાય દયાથી શૂન્ય હૃદયવાળા, પરલોકની ચિંતા ન કરનારા, ગામ, નગર આદિને લૂંટીને, મારકૂટ કરીને ઉજજડ જેવું કરી નાખે છે. (૬) આ રીતે વિવિધ પ્રકારના ચોર પાપકર્મોનો સંચય કરે છે, જેને નરકગતિમાં ભોગવ્યા વગર છૂટકારો મળતો નથી. તેઓ જંગલ આદિમાં ભટકતા રહે છે, ત્યાં પણ તેઓ ભૂખ તરસ થાકથી પીડિત થાય છે. ક્યારેક માંસ, મડદા, કંદમૂળ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy