SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૫ ગંડિકાનો અર્થ સમાન વક્તવ્યતાના અર્થાધિકારનું અનુસરણ કરવાવાળી વાક્ય પદ્ધતિ. ચિત્રાંતર ચંડિકામાં ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનના અંતરાલ કાળમાં થયેલા તેના વંશજ રાજાઓના સંયમ ગ્રહણ, દેવલોક(અનુત્તર વિમાન) ગમન આદિ વર્ણન છે. (૫) ચૂલિકા – પ્રથમ ચાર પૂર્વોમાં ચૂલિકા છે, બાકીમાં ચૂલિકાઓ નથી. સૂત્રમાં અનુક્ત વિશિષ્ટ વિષય ચૂલિકામાં કહેવામાં આવે છે. પર્વત આદિના શીર્ષસ્થ સ્થાનને ચૂલિકા કહેવાય છે. આ બારમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ચૌદપૂર્વછે, (રર૫) બસો પચીસ વસ્તુ છે, ચોત્રીસ ચૂલિકા વસ્તુ છે, સંખ્યાતા પ્રાભૃત છે, સંખ્યાતા પ્રાભૃત-પ્રાભૃત છે અને સંખ્યાતા લાખો પદ છે. નોધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટ્ટકની આરાધના(શ્રદ્ધા અને આચરણ) કરનારા સંસાર અટવીથી પાર થયા છે, થાય છે અને થશે તેમજ વિરાધના (અશ્રદ્ધા અને અશુદ્ધ આચરણ) કરનારા સંસારમાં ભટકે છે, ભટકતા હતા અને ભટકતા રહેશે. આ દ્વાદશાંગ ગણિપિટ્ટક સદા શાશ્વત છે અર્થાત્ પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી બધા આગમ અને નમસ્કારમંત્ર આદિ શાશ્વત છે. એમાં અનંતભાવ-અનંત અભાવ છે, અનંત હેતુ-અહેતુ, કારણ અકારણ, જીવ-અજીવ, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, સિદ્ધ-અસિદ્ધનું વર્ણન છે તેમજ વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. 'પ્રકીર્ણક વર્ણન (૧) જીવ અને અજીવ બે રાશિ છે, એનો વિસ્તાર પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. (૨) નારકોના પૃથ્વીપિંડ, નૈરયિકોના રહેવાના ક્ષેત્ર તેમજ કર્કશ, અશુભ આદિ નરક વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. નરક ક્રમાંક પૃથ્વીપિંડ(ઉપરથી નીચે) | નરકાવાસ એક લાખ એંસી હજાર એક લાખ બત્રીસ હજાર રપ લાખ એક લાખ અઠ્ઠાવીસ હજાર એક લાખ વીસ હજાર ૧૦ લાખ એક લાખ અઢાર હજાર એક લાખ સોળ હજાર ૯૯૯૯૫ એક લાખ આઠ હજાર ૩૦ લાખ ૧૫ લાખ જ તે ૩ લાખ . છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy