SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ | આચારશાસ્ત્રઃ સમવાયાંગસૂત્ર સારાંશ ૧૪૩ સમયથી ઘણા સમય પછી શરૂ થઈ હશે. જેનો અધિક પ્રવાહ બારમી-તેરમી વિક્રમ શતાબ્દીમાં થયો છે. તેથી ઘણો ખરો ઇતિહાસ મનથી કલ્પિત થયો છે. આ કારણે ઇતિહાસકારોના ચિંતનમાં તે ઇતિહાસ અનેક વિરોધથી તેમજ ગડમથલથી પરિપૂર્ણ દેખાય છે. વિપાક સૂત્રઃ(૧) આ સૂત્રમાં સુકૃત-દુષ્કૃત કર્મોના ફળ વિપાકનું વર્ણન છે. (૨) તેમાં સુખપૂર્વક મોક્ષમાં જનારા તેમજ દુઃખપૂર્વક જીવન પસાર કરી દુર્ગતિમાં જનારા જીવોના નગર આદિનું વર્ણન છે. (૩) દુઃખ વિપાકમાં તે જીવોના હિંસાદિ પાપ, મહાતીવ્ર કષાય, ઇન્દ્રિય પ્રમાદ, અશુભ અધ્યવસાયથી પાપ બંધ તેમજ તેના પરિણામ સ્વરૂપ નરકાદિના દુઃખ ત્યાર પછી અવશેષ ભયંકર કર્મફળ મનુષ્ય ભવમાં ભોગવવાનું વર્ણન છે. અંગોપાંગના છેદન-ભેદન, અગ્નિથી વિવિધ પ્રકારના કષ્ટ, હાથી આદિ પશુઓ દ્વારા કષ્ટ, બાંધવું, પકાવવું, ચામડી ઉતારવી આદિ ભયંકર દુઃખોનું વર્ણન છે. (૪) સુખ વિપાકમાં તે જીવોના ધર્માચાર્ય, સમવસરણ, ધર્મકથા, ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, સંયમ ગ્રહણ, શ્રુતગ્રહણ, તેનું ઉપધાન, સંયમ પર્યાય, સંલેખના અને આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, સંયમઆરાધના તેમજ મોક્ષ પ્રાપ્તિનું વર્ણન છે. શીલ, સંયમ, નિયમ, ગુણ, ઉપધાનને ધારણ કરનારા સુવિહિત સુસાધુઓને, આદર સહિત તીવ્ર શુભ અધ્યવસાયોવાળા વ્યક્તિ દ્વારા વિશુદ્ધ આહાર-પાણી દઈને સંસારને પરિત કરવાનું વર્ણન છે. સંસાર પરિત કરીને દેવાયું બંધ કરવાનું, અનુપમ સુખ પ્રાપ્ત કરવાનું, ફરી મનુષ્ય લોકમાં આવીને આયુ, શરીર, વર્ણ, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ આદિ પ્રશસ્ત પ્રાપ્ત કરવાનું તથામિત્ર, સ્વજન, ધન, ધાન્ય, વૈભવ, સમૃદ્ધિ આદિ ઉત્તમ સુખ સાધનોને પ્રાપ્ત કરવાનું વર્ણન છે. અંતમાં ભોગોનો ત્યાગ કરીને સંયમ ધર્મ સ્વીકાર કરવાનો તેમજ પરંપરાથી મુક્ત થવાનો પરિચય આપેલ છે. આ અગિયારમું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન છે, વીસ જ ઉદ્દેશન-સમુદ્દેશન કાલ છે અને સંખ્યાતા લાખ પદ છે. નોંધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં.૪ની સમાન છે. દષ્ટિવાદ અંગસૂત્ર – આ સૂત્રમાં સર્વભાવોની પ્રરૂપણા કરેલ છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે(૧) પરિકર્મઃ— જે પ્રકારે ગણિત શાસ્ત્રના અભ્યાસને માટે સરવાળા, બાદબાકી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy