SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત શુભાશુભનું કથન કરે છે. એને ઇખિની વિદ્યા પણ કહે છે, તેમાં દેવતા ભૂત, ભવિષ્યનું પૂછવાપર હાનિ, લાભ, જન્મમરણ આદિનું પણ કથન કરે છે. (૪) આ રીતે સેંકડો વિદ્યાઓ, સ્તંભન, સ્તોત્ર, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષીકરણ આદિ(મહાવિદ્યાઓ) વચન દ્વારા પૂછવા પર જ જવાબ દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યા, મન પ્રશ્નવિદ્યા-મનમાં ઉઠેલા પ્રશ્નોના ઉત્તર દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યાનું વર્ણન છે. ૧૪૨ (૫) નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોના દિવ્ય સંવાદનું વર્ણન કરેલ છે. વિવિધ અર્થોમાં પ્રત્યેક બુઢ્ઢો દ્વારા ભાષિત, આચાર્યો દ્વારા વિસ્તારથી કહેલ અને મહર્ષિઓ દ્વારા વિવિધ વિસ્તારથી કહેલ જગત જીવોના હિતને માટે તત્ત્વ કહ્યા છે. દર્પણ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, વસ્ત્ર અને સૂર્યથી સંબંધિત વિદ્યાઓના અધિષ્ઠાયક દેવોની પ્રમુખતાથી વિસ્મય કરવાવાળી, તત્ત્વનો પ્રત્યય કરાવવાવાળી વિદ્યાઓના મહાન અર્થોનું વર્ણન કરેલ છે. (૬) આ દશમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, ૪૫ અધ્યયન છે, ૪૫ ઉદ્દેશનસમુદ્દેશન કાળ છે અને સંખ્યાતા લાખ પદ છે. નોંધ :- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. વિમર્શ :– ટીકા ચૂર્ણ ભાષ્ય આદિ વ્યાખ્યાકારોના પહેલાં જ આ સૂત્રનું સ્વરૂપ લુપ્ત થઈ ગયું હતું અથવા લુપ્ત કરી દેવાયું હતું. તેમાં કહેલા ૠષિભાષિત અધ્યયન, પ્રત્યેક બુદ્ધ અને આચાર્ય ભાષિત અધ્યયન, વર્તમાનમાં ‘ૠષિભાષિત’ અને ‘ઉત્તરાધ્યયન’ નામના બે સ્વતંત્ર સૂત્રોમાં ઉપલબ્ધ છે. બાકી સંપૂર્ણ વિધાઓવાળા અધ્યયન અજ્ઞાતમાં વિલીન થઈ ગયા છે. વર્તમાનમાં આ સૂત્રના બે શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે અને તેમાં આશ્રવસંવર, અશુભકર્મના પરિણામ, નરકના દુઃખો, સંયમવિધિઓ અને મહાવ્રતોનું વિસ્તારથી વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં આ સૂત્રના દસ અધ્યયન કહ્યા છે અને વિષય વર્ણન તો ઉપર કહેલ વિદ્યાઓથી યુક્ત જ છે. નંદી સૂત્રમાં પણ વિષય વર્ણન સમવાયાંગની જેવું જ છે પરંતુ કંઈક જુદું છે આ પ્રકારે ઠાણાંગ, સમવાયાંગ અને નંદી સૂત્રમાં કહેલા વિષયોમાં પણ પરસ્પર થોડીક ભિન્નતા છે અને વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્ર આ ત્રણેથી સંપૂર્ણ જુદું જ છે. તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં(લેખનકાલની પહેલાં) સૂત્ર રચના અથવા પરિવર્તન સંબંધી કોઈ પણ ઇતિહાસ લખવાની અથવા સૂચના કરવાની પરંપરા ન હતી. ઇતિહાસ સંકલનની પરંપરા દેવર્લિંગણીના લેખન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy