SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ક્યાં સંપૂર્ણ ઝૂંપડી સળગાવી તાપણું કરવું! આમાં આકાશ-પાતાળનો ભેદ છે, છતાં પણ ગાડરિયા પ્રવાહથી આ કહેવત પ્રચલિત થઈ હોય એમ લાગે છે. આ કહેવત તો ત્યારે ઉપયુક્ત કહેવાય કે જ્યારે કોઈ સાધુ નાની બાબતની પૂર્તિ કરવા માટે કે કોઈના નાના ઉદ્દેશને પૂર્ણ કરવા સંયમ છોડી ગૃહસ્થ બની જાય, હંમેશાં માટે સંપૂર્ણ સંયમનો નાશ કરી દે, જેમ કે તાપણાં માટે ઝૂંપડી બાળવી; પરંતુ વિવેક પૂર્વક તથા આજ્ઞાપૂર્વક સંઘ અને શાસનના હિત ખાતર અપવાદરૂપ નાના દોષનું સેવન કરી તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિકરણ કરવાની ભાવનાવાળાને, પોતાની ઝૂંપડી સળગાવવાની કહેવત દ્વારા દોષિત કહેવા એ દોઢ ડહાપણ તથા પોતાની જ મૂર્ખાઈ પ્રગટ કરવા બરોબર છે. - સાચા અર્થમાં તો સંઘહિત માટે વિવેકપૂર્વક દોષનું સેવન કરવું એ પોતે સંચિત કરેલ અને જીવન માટે આવશ્યક પદાર્થ એવું લોહી પોતાના શરીરમાંથી અડધો કિલો અતિ આવશ્યક સમયે અન્યને માટે આપવા સમાન(પરોપકારરૂપ) છે. લોહી આપવાથી નબળાઈ આવે છે અને તેની પૂર્તિ કર્યા વગર વારંવાર (લોહી આપ્યા કરે) તેમજ, ખૂબ જ જરૂરિયાત કે બિનજરૂરી સંજોગોમાં લોહી આપ્યા કરે – કાઢયા કરે તો અવિવેકી અને નિરર્થક શરીરનો નાશ કરવાવાળો થશે. એજ પ્રકારે શુદ્ધિ કરવાને બદલે, વિશેષ પરિસ્થિતિમાં દોષનું સેવન કરી, અત્યંત જરૂરી અને અપવાદરૂપ સંજોગો સિવાય વારંવાર એ દોષનું સેવન કરતા રહે અને કોઈ પ્રકારે એની શુદ્ધિ ન કરે કે શુદ્ધિ માટે ભાવ ન રાખે તેમજ એનો પસ્તાવો ન કરે તો એના સંયમ જીવનને નષ્ટ થવામાં સમય લાગતો નથી અર્થાત્ એવું કરવાવાળાનું સંયમ જીવન નષ્ટ થઈ જાય છે. સંક્ષેપમાં, તલ અને તાડને એક સરખા વર્ણવી ગાડરીયાવૃત્તિથી કોઈ કહેવત કહીને કોઈનો અવર્ણવાદ કરવો એ ખોટું છે અને તેનાથી પોતાના આત્માને જ દોષ લાગે છે. તેથી ઉપરોકત ન્યાય તેમજ દષ્ટાંતને સમજીવિવેકપૂર્વક ચિંતન-મનન કરી પ્રરૂપણા કરવી જોઈએ. (ર) કુંભારવાળી ક્ષમાપના : કોઈ સાધુ સંજોગોને આધીન, સંઘ અથવા શાસનના હિતમાં એકવાર કે અનેક વખત કોઈ દોષનું સેવન કરી પ્રાયશ્ચિત્ત ધે છે તો એવું કહેવામાં આવે છે કે એ તો “કુંભારવાળુ મિચ્છામિ દુક્કડ છે, એનાથી કોઈ લાભ નથી. આ પણ ગાડરિયાવૃત્તિથી ખોટો આક્ષેપ લગાવવાનું કૃત્ય છે. કારણ કે કુંભારના દષ્ટાંતવાળુ મિચ્છામિ દુક્કડ અને પ્રવૃત્તિ તો કુતૂહલ અને મૂર્ખતાપૂર્ણ હોય છે તથા તે હેતુવિહીન વૃત્તિ છે. એના ' મિચ્છામિ દુક્કડ'માં દુ:ખ, પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્તનો કોઈ ભાવ હોતો નથી પરંતુ કેવળ મજાક કરવાનું જ ધ્યેય હોય છે. એવું ધૃણિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy