SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ T ૧ર૦ કૃત્ય કરવાવાળામાં અને વિવેકબુદ્ધિથી પ્રાયશ્ચિતના લક્ષ્ય જરૂરિયાત પડ્યે ફરી એ કૃત્યનું વિવેકપૂર્વક સેવન કર્યા પછી, પ્રાયશ્ચિત્ત લેવામાં આસમાન જમીનનો ફરક છે માટે બંને પરિસ્થિતિને સરખી રીતે મુલવવી મૂર્ખતા છે. જ્યારે સાધુ પોતાના શરીર માટે એક વર્ષમાં અનેક વખત દોષનું સેવન કરે, અનેક વખત 'ઓપરેશન કરાવતા રહે તથા વારંવાર પ્રાયશ્ચિત્ત પણ કરે, થોડા દિવસ પછી શારીરિક પરિસ્થિતિને કારણે ફરી દોષનું સેવન કરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે તો પણ તેને પોતાના માન્ય ગચ્છના કે ગુરુના હોવાને કારણે કુંભાર વાળુ મિચ્છામિ દુક્કડ' કહેવામાં આવતું નથી કે સમજવામાં આવતું નથી. પોતાને માન્ય ગચ્છ ગુરુથી જુદા સાધુ તેનાથી પણ ઓછા દોષનું સેવન કરે તો 'કુંભાર વાળુ મિચ્છામિ દુક્કડે કહેવામાં આવે તો તે સરાસર અન્યાય જ છે. દરેક વ્યક્તિની અપવાદરૂપ પરિસ્થિતિ જુદી-જુદી હોય છે, શરીર સિવાય પણ અનેક અપવાદરૂપ પરિસ્થિતિ હોય છે, તેનો ગીતાર્થ દ્વારા કે ગીતાર્થની નિશ્રાએ નિર્ણય કરી દોષનું સેવન કરવું એ અપવાદરૂપ જ કહેવાય. સંયોગોને કારણે એકવાર કે અનેકવાર દોષના સેવનની શુદ્ધિ થાય છે તેવું વ્યવહાર સુત્રમાં તથા નિશીથ સુત્રમાં દર્શાવેલ છે. છતાં પણ કોઈ પોતાની મનઘડંત કલ્પનાથી અનેકવારના દોષ સેવનને એકાંત દૃષ્ટિથી કુંભારવાળા મિચ્છામિ દુક્કડ બતાવીને, શુદ્ધિ આરાધના ન થઈ શકે તેમ કહે તો, એ એની મૂર્ખતા છે અને આગમ વિરુદ્ધની પ્રરૂપણા છે. એને તો વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક ૧, સૂત્ર ૧ થી ૧૮ તથા નિશીથ સૂત્ર ઉદ્દેશક ર૦ને વિદ્વાન વાચના પ્રમુખ દ્વારા સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે કેટલી વાર દોષનું સેવન અને તેની શુદ્ધિ, આલોચના, પ્રાયશ્ચિત્ત અને આરોપણા વગેરે હોય છે. સ્યાદ્વાદમય જિન શાસનમાં એવી મનઘડત એકાંત આગ્રહવાળી કલ્પનાઓ કરવી અને ગાડરિયા પ્રવાહે એવી અસંગત કહેવત દ્વારા આક્ષેપ કરવો સર્વથા અનુચિત છે. એવી હોશિયારીની વૃત્તિનો સરળતા અને સમભાવ ધારણ કરી ત્યાગ કરવો, એ જ હિતકારી છે. એમ કરવાથી પોતાની ચડતી તથા અન્યની અપકીર્તિ કરવાની વૃત્તિનો તથા કર્મબંધનો ત્યાગ થશે અને તેથી આત્માનું અહિત થતું રોકાશે. બુદ્ધિમાન વાંચકોએ એ જ સમજવાનું છે કે વગર વિચાર્યે ગાડરિયા પ્રવાહ ચાલતી કહેવતનો ઉપયોગ કરી પોતાના આત્માનું અહિત કરવું જોઈએ નહીં અને બીજાને પણ નિરર્થક અપમાનિત કરવા નહિ. શાસ્ત્ર પ્રમાણ વગેરેની જગ્યાએ પરંપરાનો તર્ક આગળ કરવો એ આગમ વિરુદ્ધ છે, કારણ કે પરંપરાનું મહત્ત્વ શાસ્ત્રની આજ્ઞા કરતાં ઓછું જ હોય છે. પરંપરાઓનો મોહ રાખવો એક પ્રકારની નાસમજ છે અને આગમ વિરુદ્ધ પરંપરાનો મોહ અને દુરાગ્રહ કરવો અક્ષમ્ય ભૂલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy