SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ વડસરળ પફળા નામના સૂત્રમાં ત્રીજા સદ્ સરળમાં કેવળીનું સ્વરૂપ ૪થા શરણમાં કેવળી પ્રરૂપિત ધર્મનું સ્વરૂપ છે પરંતુ પ્રથમ ‘અરિહંત શરણ’ના વિસ્તારમાં માત્ર તીર્થંકર સંબંધી જ વર્ણન કર્યું છે, કેવલીનું કથન તેમાં કર્યું નથી. Øસરળ પળા સૂત્રનું નામ નંદીસૂત્રમાં ઉત્કાલિક સૂત્રોની યાદીમાં આવ્યું છે, તથા તે સૂત્ર એક પૂર્વધારી(વીરભદ્ર) દ્વારા રચાયેલ શાસ્ત્ર છે. વર્તમાન સમયમાં પંચપરમેષ્ટી સ્તવનોના રચિયતા પણ પહેલા પદમાં તીર્થંકરને ધ્યાનમાં રાખીને જ રચના કરે છે. જેમ કે– ૧. મનાઉં મૈં તો શ્રી અરિહંત મહંત-યુગપ્રધાન આચાર્ય માધવમુનિ ૨. ભવિકજનક નિત જપીએ– શ્રી અજ્ઞાત મુનિ ૩. એકસો આઠ વાર પરમેષ્ઠી-પારસમુનિ ‘ગીતાર્થ’ ૪. આનંદ મંગલ કરૂં આરતી—વિનયચંદ્ર મુનિ ૫. નિતવંદુ સો સો બાર પંચ પરમેષ્ઠી કો–સમર્થ શિષ્ય રતનમુનિ ૬. ઘણો હૈ સુખકારી યો પરમેષ્ટી કો જાપ-બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ શ્રી સમર્થમલજી મ.સા. સારાંશ એ છે કે પંચ પરમેષ્ઠીના ‘નમો અરિહંતાણં’ પદમાં કેવળ તીર્થંકરનો જ સ્વીકાર છે. અન્યત્ર જ્યાં યોગ્ય હોય ત્યાં અરિહંત શબ્દથી કેવળી અર્થ પણ સમજી શકાય છે. ૧૫ એજ રીતે ‘લોગસ્સ’ તથા ‘નમોત્થણ’ના પાઠમાં પણ અરિહંત અથવા તો જિન શબ્દથી તીર્થંકર જ સમજવું જોઈએ. તેથી જ્યારે પણ અરિહંત શબ્દ કેવળ તીર્થંકરની અપેક્ષાએ હોય ત્યારે કેવળી અર્થ કરવો તે આગ્રહ યોગ્ય નથી. સંક્ષેપમાં—જિજ્ઞાસુ, જ્ઞાની સરલાત્માઓ, સાચું તત્ત્વ સમજી હૃદયમાં ધારણ કરે, એવી આશા અને અપેક્ષા... પરિશિષ્ટ-ર: సాంపసాగ પ્રચલિત ભ્રાંતિકારક ઉપમા : કહેવતનું સંશોધન Jain Education International (૧) પોતાની ઝૂંપડીમાં આગ લગાડવી : કોઈપણ સાધુ કે સાધ્વી સમાજના હિત માટે કે શ્રાવક સમુદાયની જરૂરિયાતના આગ્રહથી કોઈ સમયે, સંયમમાં કોઈ અપવાદરૂપ દોષનું આચરણ કરે છે, તે સમયે કહેવાતા જ્ઞાનીઓ ઉતાવળ કરી દે છે કે "આ તો અન્યની ઠંડી દૂર કરવા પોતાની ઝૂંપડીમાં આગ લગાડવા જેવી મૂર્ખતા છે." આ પ્રકારનો તર્ક લગાડવો એ અવિવેકપૂર્ણ છે તેમજ જ્ઞાનનો અપચો છે કારણ કે ક્યાં સંયમમાં કિંચિત્ એક દેશરૂપ દોષ લગાવીને જિન શાસનનું કે મહાન સંઘનું હિત કરવું અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy