SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સમયે વૃષ્ટિ ન થવી. ૩. અસાધુઓને સન્માન વૃદ્ધિ ૪. સાધુઓને અલ્પ આદર ૫. ગુરુજનો પ્રત્યે લોકોનો અસવ્યવહાર ૬ થી ૧૦ શબ્દાદિ પાંચેય વિષયોમાં અમનોજ્ઞતાની વૃદ્ધિ (સાતમા સ્થાનમાં સાત કહેલ છે.) ૧૨૦ આથી વિપરીત સંજોગો હોય તો દુસ્લમ કાળની મંદતા જાણવી અર્થાત્ સમયે-સમયે જુદા-જુદા ક્ષેત્રમાં દુષમકાળની ઉત્કટતા કે મંદતા (ઉતાર-ચઢાવ)ના પરિવર્તન થયા કરે છે. (૩૩) ઉત્સર્પિણી કાળમાં ૧૦ કુલકર થયા હતાં અને ૧૦ કુલકર હવેના ઉત્સર્પિણી કાળમાં પણ થશે. જોકે સાતમા સ્થાનમાં સાત કહેવામાં આવેલ છે, તેમ કેમ ? સમાધાન– સાત મુખ્ય અને ત્રણ કુલકર સમકાલીન સમજવા. (૩૪) બાર દેવલોકમાં ૧૦ ઇન્દ્ર છે અને બધાના સ્વતંત્ર પાલક, પુષ્પક વગેરે યાન-વિમાન છે. (૩૫) તેજોલબ્ધિવાળા શ્રમણની કે દેવની આશાતના કરનાર વ્યક્તિ પર જો શ્રમણ કે દેવ કોપાયમાન થાય તો તેઓના શરીરમાંથી તેજ નીકળે છે જેના પરિણામે— ૧. તે વ્યક્તિ ભસ્મ થઈ જાય છે, અથવા ર. તેના શરીરમાં ફોડલા થઈને ફાટે ત્યારે ભસ્મ થઈ જાય છે અથવા ૩. ફોડલામાંથી ફોડકી નિકળી ફૂટવાથી તે ભસ્મ થઈ જાય છે, ૪. લબ્ધિ સંપન્ન શ્રમણની આશાતના કરનાર કોઈ વ્યક્તિ પોતે જ મુનિ પર તેજો લેશ્યા ફેંકે છે પરંતુ તે લેશ્યા દરેક દિશાએથી નિષ્ફળ બની ફેંકનારના જ શરીરમાં પ્રવેશ કરી તેને જ ભસ્મ કરી દે છે. (૩૬) દશ અચ્છેરા– ૧. તીર્થંકર ઉપર ઉપસર્ગ ૨. તીર્થંકરનું ગર્ભહરણ ૩. સ્ત્રી-તીર્થંકર થવું ૪. પ્રથમ દેશનામાં તીર્થંકરના તીર્થની સ્થાપના ન થવી. ૫. કૃષ્ણનું ધાતકી ખંડમાં જવું. ૬. ચંદ્ર-સૂર્યનું વિમાન સહિત પૃથ્વી પર આવવું. ૭. હરિવર્ષ ક્ષેત્રના જુગલિયાનું રાજા બનીને નરકમાં જવું. ૮. ચમરેન્દ્ર દેવનો પ્રથમ દેવલોકમાં જઈ ઉપદ્રવ કરવો. ૯. એક સમયે ૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહના− વાળા જીવોનું સિદ્ધ થવું. ૧૦. ૯ થી ૧૫મા તીર્થંકર ભગવાનના શાસનકાલમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ જવો. આ દશ અચ્છેરા આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં થયા. જે ઘટનાઓ સામાન્ય રૂપે હંમેશા થતી નથી પરંતુ બહુ જ લાંબા સમયબાદ અથવા બહુ જ ઓછા પ્રમાણમાં બને તે ઘટનાઓ આશ્ચર્યકારક હોવાથી તેને અચ્છેરા એટલે આશ્ચર્ય કહેવામા આવે છે. આવી ઘટનાઓ અનંતકાળે ક્યારેક કોઈક અવસર્પિણી કાળમાં બને છે. જોકે અચ્છેરાની સંખ્યા અનિશ્ચિત હોય છે, તે દશથી વધુ ઓછા પણ હોઈ શકે છે. તે માટે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. (૩૭) દશ નક્ષત્રોના ચંદ્ર સંયોગના સમયે અધ્યયનનો પ્રારંભ કરવો જોઈએ કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy