SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ | આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧૯/ ખંજવાળ ૬. પરતંત્રતા કે પરજન્ય કષ્ટ ૭. ભય ૮. શોક ૯. બુઢાપો-ઘડપણ ૧૦. રોગ. (૨૭) દશ તત્ત્વોને છદ્મસ્થ પૂર્ણ રીતે જાણી શકતા નથી–૧થી ૩. ત્રણ અસ્તિકાય ૪. શરીર રહિત જીવ ૫. પરમાણુ દ. શબ્દ ૭. ગંધ ૮ વાય ૯. આ જીવ કેવળી થશે ૧૦. આ જીવ મોક્ષમાં જશે. આઠમા સ્થાનમાં આઠ બોલ કહેલ છે. (૨૮) દશ આગમોની દશ દશાઓ છે–અર્થાત્ જે શાસ્ત્રોમાં દશ અધ્યયન છે, તે આગમોનાં નામ–૧. ઉપાસક દશા ર. અંતગડ દશા ૩. અણુત્તરોપપાતિક દશા ૪. પ્રશ્ન વ્યાકરણ દશા ૫. આચાર દશા(દશાશ્રુત સ્કંધ) ૬. કર્મ-વિપાક દશા ૭. બંધ દશા ૮. દોગિદ્ધિ દશા ૯. દીર્ઘ દશા ૧૦. સંક્ષેપિક દશા. આમાં ચાર સૂત્ર તો અપ્રસિદ્ધ છે તથા અંતગડ, અણુતરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ તે ત્રણ સૂત્રના ઉપલબ્ધ અધ્યયનોથી સંપૂર્ણપણે અલગ નામ છે, વિપાક સૂત્રના પણ કોઈક નામ અલગ છે અને સંક્ષેપિક દશાના જે દશ અધ્યયન કહેવામાં આવ્યા છે તેને જ નંદી સૂત્રમાં અને વ્યવહાર સૂત્રમાં દશ આગમોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. સંભવિત રીતે આ ભૂલો લિપિકર્તાઓથી અથવા તો કોઈની સમજ ભ્રમથી થયેલ હોય તેમ સંભવિત છે. (૨૯) સારા-સુખકર કર્મોનું ઉપાર્જન દશ પ્રકારે થાય છે– ૧. તપ કરીને તેના બદલામાં ભૌતિક સુખનમાગવાથી કેનિયાણું નહીં કરવાથી ૨. સમ્યક સમજ-શ્રદ્ધા રાખવાથી ૩. યોગોની શુદ્ધિ તેમજ લઘુતા-ઓછી પ્રવૃત્તિ ૪. સમર્થ હોવા છતાં પણ અપરાધીને ક્ષમા કરવાથી ૫. ઈન્દ્રિય વિષયોથી વિરક્તિ ભાવ રાખવાથી ૬. પૂર્ણ સરળતા રાખવાથી ૭. સંયમમાં શિથિલાચાર વૃત્તિ ન કરવાથી અર્થાત્ પાર્વસ્થઆદિ અવસ્થાને ન સ્વીકારવાથી. ૮. શ્રમણ ધર્મની શુદ્ધ આરાધનાથી ૯. જિન પ્રવચનમાં તેમજ જિન શાસન પ્રત્યે અનન્ય ભક્તિ અનુરાગથી ૧૦. જિન શાસનની પ્રભાવના કરવાથી. (૩૦) ત્યાગ કરવા યોગ્ય આકાંક્ષાઓ–૧. સુખની ૨. ભોગની ૩. લાભની ૪. જીવનની ૫. મરણની . પ્રશંસાની ૭. સત્કારની ૮. સન્માનની. (૩૧) પુત્ર અનેક પ્રકારના હોય છે જેમકે–૧. વાસ્તવિક (માતા-પિતા થી ઉત્પન્ન થયેલ) પુત્ર ર. દત્તક પુત્ર(ગોદ લેવામાં આવેલ પુત્ર) ૩. સ્નેહ થી સંભાળેલ પુત્ર(ઔરસ પુત્ર) ૪. વચન પ્રયોગથી સંબંધિત પુત્ર ૫. અનાથનું પોષણ કરવાથી કહેવાતો પુત્ર ૬ ૭. દેવતાના નિમિત્તથી કે ઔષધ પ્રયોગથી ઉત્પન્ન પુત્ર૮. ધર્મ અંતેવાસી શિષ્યરૂપ પુત્ર ૯. વિદ્યાગુરુનો શિષ્યરૂપ પુત્ર ૧૦. વીરતાના કારણે માનેલ પુત્ર. (૩૨) દુષમકાળની ઉત્કૃષ્ટતા જાણવાના દસ બોલ– ૧. અકાલ વૃષ્ટિ થવી. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy