SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ | આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧૫ (૩) રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગોત્પત્તિના નવ સ્થાનને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ—૧. વધુ બેસી રહેવાથી, એક સાથે વધુ ખાવાથી અથવા વારંવાર ખાતા રહેવાથી ૨. પોતાની અનુકૂળતાથી વિપરીત અથવા સ્વાથ્યના નિયમોથી વિપરીત આસને બેસવાથી અને વિપરીત ખાણી-પાણીથી ૩. વધારે સવાથી કે નિદ્રા લેવાથી ૪. વધારે જાગવાથી ૫/૬, શરીરના કુદરતી આવેગ એટલે કે મળ -મૂત્ર વગેરેના વેગ રોકવાથી ૭. વધુ વિહારથી અર્થાત્ વધારે ચાલવાથી ૮. સમયે-અસમયે ખાવાથી કે ભૂખ્યા રહેવાથી ૯. ઇન્દ્રિયોનો અતિ ઉપયોગ કરવાથી કે અતિ કામ વિકાર સેવનથી. (૪) જેબૂદ્વીપમાં લવણ સમુદ્રમાંથી નવ યોજનના મચ્છ આવ-જા કરી શકે છે. અર્થાત્ એટલા મોટા માર્ગ હોય છે. (૫) વિગય અને મહાવિગય બંને મળી કુલ નવ વિગય છે. () શરીરમાં નવ સોત સ્થાન છે – બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને મૂત્રન્દ્રિય. (૭) નિમિત્ત વિદ્યા, મંત્ર, વાસ્તુ વિધા, ચિકિત્સા, કલા, શિલ્પ અને પ્રાવચનિક સિદ્ધાંત આદિને પાપ શ્રુતમાં બતાવેલ છે. અર્થાત્ કેવળ આત્મ કલ્યાણને અહિંસા પ્રધાન આગમ જ ધર્મશાસ્ત્રમાં ગણવામાં આવે છે. આત્મ કલ્યાણ સાધના કરનાર માટે ઉપરોક્ત બધા પાપ મૃત ત્યાજ્ય છે. તેને સ્વીકારનાર સાધક આત્મ-સાધનાથી દૂર થઈ જાય છે. (૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નવ ગણ હતાં. (૯) શ્રમણ નિગ્રંથોના નવ કોટિ શુદ્ધ આહાર હોય છે– ૧. જીવ હનન (ફળ યા બીજ વગેરેનું ભેદન) ૨. અગ્નિ વગેરેથી પકવવું ૩. કરાવવાથી અને અનુમોદન (પ્રશંસા કે ઉપયોગ)થી રહિત આહાર કરે છે. પોતાના માટે કે અન્ય સાધર્મિક સાધુ-સાધ્વી માટે છેદન-ભેદન કરેલ, પકવેલ અને ખરીદેલ આહાર કરનાર શ્રમણ નવ કોટિથી અશુદ્ધ આહાર કરનાર હોય છે. (૧૦) ભગવાન મહાવીરના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું– ૧. શ્રેણિક ૨. સુપાર્થ ૩. ઉદાયી ૪. પોટિલ અણગાર ૫. દઢાયુ. શંખ શ્રાવક ૭. શતક શ્રાવક ૮. સુલસા શ્રાવિકા ૯. રેવતી શ્રાવિકા. (૧૧) શ્રેણિક રાજાનો જીવ પ્રથમ નરકમાં ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મહાપદ્મના રૂપે જન્મ લેશે, ત્યાં તેના અનેક નામો હશે. ત્યારબાદ ભગવાન મહાવીરની જેમ જ ૩૦ વર્ષમાં દીક્ષા અને ૪રમા વર્ષે કેવળજ્ઞાન થશે. ૭ર વર્ષની સંપૂર્ણ ઉંમર થશે. પ્રથમ તીર્થકર બની સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થશે. અહીં તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy