SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧છે. થવું, ચાલવું, ઉલ્લંઘન કરવું તેમજ બધી જ ઇન્દ્રિયોનું કાર્ય જતનાપૂર્વક કરવું પ્રશસ્ત કાય વિનય છે. (૧૮) લોકોપચાર = વ્યવહાર વિનય- ૧. ગુરુ આદિની સમીપ રહેવું. એમના અભિપ્રાય અનુસાર ચાલવું ૩. કોઈનું પણ કાર્ય કરી દેવું ૪. પ્રતિ-ઉપકાર કરવો ૫. કોણ દુઃખી છે, બીમાર છે, તેનું ધ્યાન રાખવું ૬. દેશ-કાળને જાણી યોગ્ય પ્રવૃત્તિ કરવી ૭. સર્વ પ્રકારે અનુકૂળ વર્તન કરવું. (૧૯) તીર્થંકર પ્રરૂપિત અમૂક સિદ્ધાંતો ખોટા છે, એવું કહીને કે માનીને ભિન્ન પ્રરૂપણા કરનારને 'નિતંવ' કહેવામાં આવ્યા છે. અન્ય પણ અનેક સાત સંખ્યા સંબંધિત વિષયોનું કથન આ અધ્યયનમાં છે. યથા– યોનિસંગ્રહ, ગતિ-આગતિ, પ્રતિમા, આચાર-ચૂલા, અધોલોક સ્થિતિ, બાદર વાયુ, સંસ્થાન, ભય, ગોત્ર, કાય, કલેશ, ક્ષેત્ર, પર્વત, જીવ, ઉત્તમ પુરુષ દર્શનસૂત્ર, છદ્મસ્થ, કેવલી, સંયમ અસંયમ, સ્થિતિ, અગ્રમહિષી, દેવ, નંદીશ્વર દ્વીપ, શ્રેણિઓ, વચન વિકલ્પ, વિનયના ભેદ-પ્રભેદ, સમુદ્યાત, નક્ષત્ર દ્વાર, પુદ્ગલ આદિ. આઠમા સ્થાનનો સારાંશ (૧) પ્રમુખ બની વિચરણ કરનાર માટે છઠ્ઠા સ્થાનમાં કહ્યા પ્રમાણે શ્રદ્ધા, સત્ય, બુદ્ધિમતા વગેરે છ ગુણ અને (૭) ધૈર્યવાન (૮) ઉત્સાહશીલ, આ આઠ ગુણ એકલા વિહાર કરનાર સાધુમાં હોવા જોઈએ. ત્યારે જ તે એકલવિહાર માટે યોગ્ય થાય છે. તાત્પર્ય એ છે કે ભોળા ભદ્રિક, ક્રોધી, ઘમંડી, કલહશીલ, ઉત્સાહહીન, વૈર્યહીન, અબહુશ્રુત વ્યક્તિ એકલવિહાર માટે યોગ્ય હોતા નથી. (૨) અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદ, સંમૂર્છાિમ, ઉભિન્જ, ઔપપાતિક, એ આઠ પ્રકારના જીવ યોનિ-સંગ્રહ છે. (૩) આઠ સમિતિઓ છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. (૪) આલોચના સાંભળવા માટે યોગ્ય- ૧. આચાર સંપન્ન ર. અતિચારોના અનુભવી ૩. પાંચ વ્યવહારના ઉપયોગના અનુભવી ૪. આલોચનામાં સાહસ ઉત્પન્ન કરનારા ૫. શુદ્ધિ કરાવવા માટે યોગ્ય છે. કોઈની પણ પાસે કોઈ પણ રૂપમાં દોષને પ્રગટ ન કરનાર ૭. દેવામાં આવેલ પ્રાયશ્ચિત્તને વહન કરાવી શકે અથવા સામર્થ્યના જ્ઞાતા ૮.દોષ સેવન તેમજ પ્રાયશ્ચિત્તને ભંગ કરવાથી આવતા ખરાબ પરિણામો સમજાવવામાં સમર્થ. (૫) ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. શરીર રહિત જીવ. ૫. શબ્દ ૬. ગંધ ૭. હવા ૮, પરમાણુ યુગલને આંખોથી જોઈ શકાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy