SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જ્ઞાન મજબૂત બને છે. ૫. શ્રુત પરંપરા જૈન શાસનમાં અસ્ખલિત ચાલે છે. (૧૩) પાચં તીર્થંકર કુમારવાસમાં (રાજા થયા વિના) દીક્ષિત થયા. ૧. વાસુપૂજ્ય ૨. મલ્લી ૩. અરિષ્ટનેમિ ૪. પાર્શ્વનાથ ૫. મહાવીર. આ સ્થાનમાં પાંચની સંખ્યાને સંબંધિત અન્ય આગમોમાં આવતાં કે ન આવતાં અન્ય પણ અનેક વિષય છે. જેમકે— મહાવ્રત, સમિતિ, આશ્રવ-સંવર, પાંચ ઇન્દ્રિયોના વિષય શબ્દ આદિ, પાંચ સ્થાવર, શરીર, રસ-ત્યાગ તપ, કાયકલેશ તપ, ભિક્ષાચરી, જ્યોતિષી, પરિચારણાઓ, અગ્રમહિષિઓ, સ્થિતિઓ, અજીવ, હેતુ-અહેતુ, અનુત્તર, જિન કલ્યાણક, અનુદ્ઘાતિક, દંડ, પરિક્ષા, સુપ્ત-જાગૃત, દત્તિ, ઉપઘાત, વિશુદ્ધિ, પ્રતિ સંલીનતા, સંવર-અસંવર, આચાર, નિગ્રંથ, દ્રહ, પર્વત, ક્ષેત્ર, અવગાહના, ઋદ્ધિમંત, ગતિ, ઇન્દ્રિયાર્થ, બાદર, ઉપધિ, છદ્મસ્થના અજ્ઞાત તત્ત્વ, મહાનરક, મહાવિમાન, સત્વ, ભિક્ષાચર, ગતિ-આગતિ, બીજ-યોનિ, સંવત્સર, છેદન, અનંતર અનંત, જ્ઞાન, પ્રતિક્રમણ, વિમાનોના વર્ણ, ઊંચાઈ, નદીઓ, સભા, નક્ષત્ર, તારા, કર્મચયાદિ અને પુદ્ગલ વગેરે. છઠ્ઠા સ્થાનનો સારાંશ ૧૦૮ (૧) વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં ગુણ સંપન્ન ભિક્ષુને ગણ ધારણ કરવાનું (સંઘાડાના પ્રમુખ બનવાનું) કલ્પનીય બતાવેલ છે અને જો ગુણ સંપન્ન ન હોય તો તેને ગણ ધારણ કરી સંઘાડાના પ્રમુખ બની વિચરણ કરવાનું અકલ્પનીય કહેવામાં આવેલ છે. અહીં તેના છ ગુણો બતાવવામાં આવ્યા છે— ૧. શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ૨. પૂર્ણ સત્યવાદી ૩. બુદ્ધિમાન ૪. બહુશ્રુત ૫. શારીરિક શક્તિ સંપન્ન ૬. કલેશ રહિત સ્વભાવવાળા. અર્થાત્ શાંત સ્વભાવી, ધૈર્યવાન તેમજ ગંભીર. [વ્યાખ્યાકાર આ ગુણોને આચાર્યથી સંબંધિત કરે છે, પરંતુ આચાર્યની આઠ સંપદા રૂપ જુદા ગુણ કહેવામાં આવેલ છે. તેથી આને સંઘાડા પ્રમુખની યોગ્યતાના લક્ષણો સમજવા જોઈએ. આવા ગુણોના અભાવમાં કોઈને પણ સાધુઓના પ્રમુખ બની વિચરણ કરવું કે ચાતુર્માસ કરવું કલ્પતું નથી. તેને ઉપરોક્ત ગુણ સંપન્ન અન્ય સાધુ-સાધ્વીની નિશ્રામાં જ વિચરણ આદિ કરવું જોઈએ. ગચ્છ પ્રમુખોએ પણ આવા ગુણ રહિત સાધુ-સાધ્વીને સંઘાડા પ્રમુખ બનાવી વિચરણ કરવાની આજ્ઞા ન દેવી જોઈએ. (ર) કાળગત સાધુ કે સાધ્વીઓ માટે આ કૃત્ય કરી શકાય છે— ૧. તેવા મૃત શરીરને ઓરડાની અંદરથી બહાર લાવી શકાય છે. ૨. મકાનની બહાર લાવી શકાય છે. ૩. ગૃહસ્થ તે મૃત શરીરને કાંઈ કરે તો તેની ઉપેક્ષા રાખવી અથવા તેના શરીર અને વસ્ત્રોનું પ્રતિલેખન કરવું. ૪. શબ પાસે રાત્રિ વ્યતીત કરવી. ૫. ગૃહસ્થોને સોપવું ૬. સ્વયં મૌનપૂર્વક એકાંતમાં વિસર્જિત કરવા જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy