SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ १०७ આચારશાસ્ત્ર : ઠાણાંગ સારાંશ સૂત્ર (૩) પાંચ અગ્નિ-- ૧. અંગાર-ધગધગતો અગ્નિ પિંડ ૨. જ્વાલા-છિન્ન શિખા ૩. મુર્મર-ભસ્મ યુક્ત અગ્નિ કણ ૪. અર્ચિ--અશ્ચિન્ન જ્વાળા ૫. અલાત બળતી લાકડી, છાણું વગેરે. (૪) પાંચ અચિત વાયુ-- ૧. કોઈ પણ પદાર્થને પટકવા-ઝાટકવાથી ઉત્પન્ન થતો વાયુ ૨. ધમણ, ફૂંકણીથી ઉત્પન્ન વાયુ ૩. કોઈ ચીજ દબાવવાથી કે નિચોવવાથી નીકળતો વાયુ ૪. શરીરગત વાયુ, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, ઓડકાર, વાયુ છૂટ, છીંક વગેરેનો વાયુ ૫. પંખો ચાલવાથી ઉત્પન્ન વાયુ. (૫) સંયમ પાલનમાં ઉપકારક પાંચ છે— ૧. છ કાય ૨. ગચ્છ ૩. રાજા ૪. ગૃહસ્થ ૫. શરીર. (૬) કોઈક સમયે અથવા હંમેશાં કામ આવનારી વસ્તુને નિધિ કહેવામાં આવે છે, તે ૧. પુત્ર ૨. મિત્ર ૩. શિલ્પ-કલા ૪. ધન ૫. ધાન્ય, તેમ પાંચ છે. (૭) શુદ્ધિ-પવિત્રતા પાંચ પ્રકારની હોય છે– ૧. અશુચિની શુદ્ધિ- માટીથી ૨. મેલની શુદ્ધિ પાણીથી ૩. વાસણની શુદ્ધિ અગ્નિ કે રાખથી ૪. મનની શુદ્ધિમંત્રથી ૫. આત્માની શુદ્ધિ બ્રહ્મચર્યથી થાય છે. (૮) અચેલ હોવાથી પાંચ શ્રેષ્ઠ લાભ- ૧. ઓછું પ્રતિલેખન ૨. લઘુતાઉપકરણોને સંભાળવા અને વિહારમાં ઉઠાવવા ઓછા ૩. પરિગ્રહ રહિતતા રૂપ(વેષ) ઉપર વિશ્વાસ ૪. વિપુલ તપ થાય છે અને જિન મત અનુસાર તપ થાય છે. ૫. મહાન ઇન્દ્રિય નિગ્રહ, પરીષહ વિજય થાય છે. (૯) મૃત્યુ સમયે જીવ પાંચ સ્થાનેથી નીકળે છે– ૧. પગેથી નીકળનાર જીવ નરકમાં જાય છે. ૨. ઘૂંટણ ઉપરના પગમાંથી નીકળનાર, જીવ તિર્યંચમાં જાય છે. ૩. છાતીએથી નીકળનાર મનુષ્યલોકમાં જાય છે. ૪. મસ્તકથી નીકળનાર જીવ દેવલોકમાં જાય છે. ૫. સર્વાંગથી નીકળનાર જીવ મોક્ષમાં જાય છે. (૧૦) પચ્ચક્ખાણ શુદ્ધતા- ૧. શ્રદ્ધાપૂર્વક ગ્રહણ ૨. વિનય યુક્ત ગ્રહણ ૩. વચનથી સ્વીકાર તેમજ અંતિમ ઉચ્ચારણ ૪. શુદ્ઘ-નિરતિચાર પાલન ૫. ભાવશુદ્ધ-- રુચિપૂર્વક, સમજપૂર્વક, ઉત્સાહયુક્ત ગ્રહણ, ધારણ અને પાલન. (૧૧) સૂત્ર અધ્યયનના હેતુ અથવા લાભ- ૧. તત્ત્વોથી જ્ઞાન, વિજ્ઞાન થાય છે. ર. શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. ૩. ચારિત્ર આરાધનાના પરિણામોને બળ મળે છે. ૪. પ્રાપ્ત શુદ્ધ જ્ઞાન, કદાગ્રહ જડતાને નિર્મૂળ કરવામાં, સુલટાવવામાં સહાયક બને છે. ૫. પદાર્થોના યથાર્થ ભાવનું જ્ઞાન થાય છે. (૧૨) સૂત્ર અધ્યાપન (વાંચણી)નો હેતુ અથવા લાભ- ૧. શ્રુત-સંપન્ન શિષ્યોની વૃદ્ધિ થાય છે. ર. શિષ્યને યોગ્યતા સંપન્ન બનાવવાથી તેની પર ઉપકાર થાય છે તેમજ પોતાનું કર્તવ્ય પાલન થાય છે. ૩. કર્મોની નિર્જરા થાય છે. ૪. પોતાનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy