SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત . ના જ જામ રામ રામ રામ - નવા કરાર જોઈએ, ત્યારે જ આરાધના થાય છે. સ્પિષ્ટીકરણ માટે જુઓ વ્યવહાર સૂત્ર (૧૦) શરીર અને ઉપકરણોના પરિકર્મ(ધોવું, સીવવું વગેરે)થી તેમજ વધુ ઉપકરણો રાખવાથી પણ સંયમનો ઉપઘાત (ક્ષતિ) થાય છે અને પ્રમાદમાં સમય વ્યતીત થાય છે. (૧૧) ધર્મ, ધર્મજન અને ધર્મફળની નિંદા કરવાથી જીવદુર્લભ બોધિ (કઠિનતાથી જ્ઞાનાવરણીય કર્મ તોડી શકે તેવો) થાય છે. તેનાથી વિપરીત, ગુણ કીર્તન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. (૧૨) વનસ્પતિ ઊગવાના પસ્થાન–૧. અગ્ર ૨. મૂળ ૩. સ્કંદ૪. પર્વપ.બીજ. (૧૩) પાંચ આચાર પ્રકલ્પ(નિશીથ સૂત્રની અપેક્ષા) છે– ૧. લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૨. ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૩. લઘુ ચોમાસી ૪. ગુરુ ચોમાસી પ. આરોપણ. તેમાં ક્રમશઃ ચાર, એક, આઠ, છ તેમજ એક ઉદ્દેશક છે. (૧૪) આરોપણાના પાંચ પ્રકાર છે–૧. વહન કરાવવામાં આવનાર ૨. સ્થાપિત રાખનાર ૩. થોડો સમય ઓછો કરવામાં આવનાર૪. પરિપૂર્ણ દેવામાં આવનાર ૫. શીધ્ર વહન કરાવવામાં આવનાર. (૧૫) ત્રીષભદેવ ભગવાન, બ્રાહ્મી, સુંદરી, ભરત, બાહુબલી એ પાંચેયની ૫૦૦ ધનુષની ઊંચાઈ હતી. (૧) અવાજથી, સ્પર્શથી, ભૂખ લાગવાથી, સ્વપ્ન જોવાથી અને ઊંઘ પૂરી થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે, મળ-મૂત્રની બાધા ઘવાથી કે વેદના થવાથી પણ વ્યક્તિ જાગી શકે છે. (૧૭) કોઈ પશુ-પક્ષી સાધ્વીને પરેશાન, ત્રસ્ત કરે તો સાધુ તેને સહારો દઈ શકે છે, પકડીને સુરક્ષિત કરી શકે છે, અન્ય કારણ બૃહત્કલ્પ સૂત્રમાં જોવા. (૧૮) આચાર્ય - ઉપાધ્યાય પાંચ કારણથી ગચ્છ છોડી શકે છે. ૧. અનુશાસન બરાબર ન ચાલવાથી. ૨. ગણમાં વિનયનું પાલન બરાબર ન કરાવી શકવાથી. ૩. વાચનાદાન પ્રવૃત્તિ બરાબર ન થઈ શકવાથી. ૪. કોઈ નિર્ચથી પ્રત્યે આસક્તિ ભાવ, અસંયમ ભાવ થઈ જવાથી. ૫. મિત્ર, કુટુંબી વગેરે ગણમાંથી નીકળી જતા તેમને પુનઃ લાવવા કે સંભાળવા માટે. (ત્રીજો ઉદેશક) (૧) પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી પાંચ-પાંચ ભેદ છે. કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. (ર) મુંડન દસ છે – પાંચ ઇન્દ્રિય મુંડન (નિગ્રહ), ચાર કષાય મુંડન અને દશમું શિર મુંડન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy