SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૦૯ (૩) વનસ્પતિ વિના બીજના પણ સંમૂર્ણિમ(સ્વતઃ) ઉત્પન્ન થાય છે. (૪) જો આત્મજાગૃતિ આત્માર્થીપણું ન હોય તો ૧. સંયમ પર્યાય જયેષ્ઠતા ૨. શિષ્ય પરિવાર ૩. શ્રુતજ્ઞાન સંપન્નતા ૪. તપ સંપન્નતા ૫. અંતરાય કર્મના ક્ષયથી લબ્ધિવાન થવું . પૂજા, સત્કાર, યશ વગેરે આ બધું જ તેના માટે અહિતકર બને છે. જો આત્મજાગૃતિ અને આત્માર્થીપણું હોય તો આ બધું હિતકર બને છે. આત્માર્થી સાધક આવા નિમિત્તોથી નિર્જરા જ કરે છે. અનાત્માર્થી તેનાથી મોહ, ઘમંડ વગેરે કરી કર્મ બંધ બાંધી પોતાનું અહિત કરે છે. (૫) ૧. અરિહંત ૨. અરિહંત પ્રરૂપિત ધર્મ ૩. આચાર્ય-ઉપાધ્યાય ૪. સંઘના અવર્ણવાદ બોલવાથી તથા પ. પક્ષના પ્રવેશથી તેમજ ૬. મોહ કર્મના ઉદયથી જીવ ઉન્માદ પ્રાપ્ત કરે છે અર્થાત્ પાગલ થઈ જાય છે. (૬) છ પ્રમાદ–૧. મધર. વિષય ૩. કષાય ૪. નિન્દ્રા કે નિન્દા ૫. ધૂત અને દ. પ્રતિલેખન પ્રમાદ, (૭) શાસ્ત્રાર્થના અંગ– ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. અધ્યક્ષ ૪. નિર્ણાયક પ. સભ્ય-ગણ ૬. દર્શક-ગણે. શાસ્ત્રાર્થના બે હેતુ છે– ૧. હારજીત અને ૨. સત્ય તત્ત્વ નિર્ણય. પ્રથમ અપ્રશસ્ત વિવાદ છે તેમજ અકલ્પનીય છે અને બીજો યોગ્ય અવસરે કલ્પનીય છે. વિવાદમાં છળ, અનૈતિકતાનું અવલંબન લેવામાં આવે છે. યથા- ૧. ઉત્તર ન આવડવાથી વિષયાંતરમાં જવું ૨. ફરી તે વિષય પર આવવું ૩. અધ્યક્ષને અનુકૂળ બનાવવા ૪. તેના પ્રતિ અસ વ્યવહાર કરવો પ. તેમની સેવા કરી પ્રસન્ન કરવા ૬. નિર્ણાયકોનો બહુમત પોતાની તરફેણમાં કરવો. (૮) છ ઋતુ છે– ૧. પ્રાવૃત્ ઋતુઅષાઢ, શ્રાવણ ૨. વર્ષાઋતુ- ભાદરવો, આસો ૩. શરદઋતુ– કારતક, માગસર ૪. હેમંતઋતુ- પોષ, મહા ૫. વસંતફાગણ,ચૈત્ર ૬. ગ્રીષ્મ- વૈશાખ, જેઠ આમ ક્રમ છે. (૯) તિથિ ક્ષય- ૧. અષાઢી વદમાં ૨. ભાદરવા વદમાં ૩. કારતક વદમાં ૪. પોષ વદમાં ૫. ફાગણ વદમાં દ. વૈશાખ વદમાં. (૧૦) તિથિ વૃદ્ધિ– ૧. અષાઢ સુદમાં ર. ભાદરવા સુદમાં ૩. કાર્તિક સુદમાં ૪. પોષ સુદમાં ૫. ફાગણ સુદમાં છે. વૈશાખ સુદમાં. (૧૧) આહારના સારા પરિણામો ૧. આનન્દ્રિત કરનાર ૨. રસોત્પાદક ૩. ધાતુપૂર્તિ કરનાર ૪. ધાતુ વૃદ્ધિ કરનાર ૫. મદ-મસ્તી દેનાર ૬. શરીર પોષક-ઉત્સાહવર્ધક. (૧ર) છ પ્રકારના ઝેર– ૧. કોઈના કરડવાથી ૨. પોતે જ વિષ ખાઈ લે તો ૩. કોઈના સ્પર્શ કરવાથી ૪. માંસ સુધી અસર કરનાર પ. લોહીમાં અસર કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy