SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જો ભય, વિસ્મય આદિથી સાધક વિચલિત થઈ જાય તો તે સમયે જ તે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. ચિત્ત ચંચળ થવાના કારણોમાં ૧. અત્યધિક જીવ, ૨. ભયાનક વિકરાળ જીવ, ૩. દેવની ઋદ્ધિ તથા ૪. નિધાન વગેરે નિમિત્તભૂત બને છે. ૧૦૪ (૪) પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ધર્મને સમજવો, પાલન કરવું, પરીષહ સહેવા; એ બધું દુષ્કર (કઠિન) હોય છે, જ્યારે મધ્યમ તીર્થંકરોના શાસનમાં સુગમ હોય છે. (૫) ૧. મહાદોષ સ્થાનનું સેવન કરવાથી ૨. આલોચના ન કરવાથી ૩. પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરવાથી ૪. પ્રાયશ્ચિત્ત વહન ન કરવા અને પ. દુસ્સાહસ– ખોટું સાહસ કરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી. આવી વૃત્તિવાળા ભિક્ષુ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે. (૯) કુલ, ગણ, સંઘમાં ભેદ પાડવાની દૂષિત મનોવૃત્તિ, હિંસકવૃત્તિ, બીજાની ભૂલો છિદ્રો જોવાની વૃત્તિ, તેમજ વારંવાર પ્રશ્ન, કુતૂહલ, નિમિત્તવૃત્તિ કરવાથી દશમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) ૧. આચાર્ય-ઉપાધ્યાય ગચ્છમાં આજ્ઞા-ધારણાનું પાલન ન કરાવી શકે. ૨. વિનય-વ્યવહારનું પાલન ન કરાવી શકે. ૩. યથાસમયે વાચના ન દઈ શકે. ૪. બીમારની સેવા સારી રીતે ન કરાવી શકે. ૫. પોતાને યોગ્ય લાગે તેમ કરે પરંતુ કોઈની સલાહ લે નહિ, સાંભળે નહિ, તો ગચ્છ અશાંત તેમજ છિન્ન-ભિન્ન થઈ જાય છે. (૮) સામાન્ય રીતે બેસવાના પાંચ પ્રકાર છે. જેમ કે ૧. બંને પગ ઉપર ૨. બંને પંજા ઉપર ૩. બંને પગ અને પુત ને ભૂમિ ઉપર લગાવીને ૪. પલાંઠી લગાવીને ૫. અર્ધ પલાંઠી લગાવીને(અથવા ૪. પદ્માસન ૫. અર્ધપદ્માસન) (૯) કુશીલ સેવનનો સંતોષ પાંચ પ્રકારે થઈ શકે છે ઃ ૧. મૈથુન સેવનથી ૨. આલિંગનથી ૩. કામભાવથી રૂપમાં તલ્લીન થવાથી ૪. કામભાવથી શબ્દમાં તલ્લીન થવાથી. ૫. કામભાવના ચિંતનમાં તલ્લીન થવાથી. (૧૦) દેવોને પણ પાંચ-પાંચ સંગ્રામિક સેના અને સેનાપતિ હોય છે. (૧૧) જાતિ, કુળ, કર્મ, શિલ્પ બતાવીને તેમજ લિંગ દ્વારા આજીવિકા કરનાર પાંચ આજીવક હોય છે. - (૧૨) પાંચ રાજ-ચિન્હ છે- છત્ર, ચામર, ખડ્ગ, મુગટ તેમજ મોજડી. (૧૩) નીચેના સંકલ્પોથી પરીષહ સહન કરવા– ૧. આ પુરુષ કર્મને આધીન કે ઉન્મત અવસ્થામાં છે, અજ્ઞાની છે, તેથી જ પ્રતિકૂળ આચરણ કરે છે. ૨. એ પુરુષ યક્ષાવિષ્ટ છે અથવા દયાપાત્ર કે નાસમજ છે. ૩. મારા જ કર્મો ઉદયમાં આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy