SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ભાવરહિત થવાથી મનુષ્યના આયુષ્યનો બંધ પડે છે. ૧. સરાગ સંયમ (છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના સંયમ)થી ૨. શ્રાવકપણાથી ૩. બાલ(અજ્ઞાન) તપથી ૪. અકામનિર્જરા(અનિચ્છાથી ભૂખ, તરસ સહન કરવી, બ્રહ્મચર્ય પાલન)થી દેવના આયુષ્યનો બંધ થાય છે. (૨૫) વાદ્ય, નૃત્ય, ગીત, માળા, અલંકાર, નાટક વગેરે ચાર-ચાર પ્રકારના છે. (૨૬) કાવ્યના ચાર પ્રકાર છે– ૧. ગધકાવ્ય (છંદરહિત) મુક્તક કાવ્ય વગેરે ર. પદ્યકાવ્ય (છંદ યુક્ત) દોહા, શ્લોક વગેરે ૩. કલ્પકાવ્ય ઢાલ, ચોપાઈ વગેરે ૪. ગેય કાવ્ય ગાયન વગેરે. ૧૦૩ (૨૭) પાંચમાથી આઠમા દેવલોક સુધીના ચાર દેવલોક પૂર્ણ ગોળાકાર છે. બાકીના આઠ દેવલોક અર્ધ ચંદ્રાકાર છે. (૨૮) ચાર સમુદ્રનું પાણી સ્વતંત્ર રસવાળું છે, જેમ કે- લવણ સમુદ્ર, વરુણ સમુદ્ર, ક્ષીર સમુદ્ર, દ્યુત સમુદ્ર અને તેના પાણી અનુક્રમે નમક, દારૂ, દૂધ અને ઘી જેવા સ્વાદ તેમજ ગુણવાળા છે. વૃક્ષ, શુદ્ધ-વસ્ત્ર, સત્યવાદી, શુચિ-વસ્ત્ર, ગરીબ-પુરુષ, યાન, ઘોડા, સૂર, યુગ્મ, જુમ્મા, સારથી, ઘોડા, હાથી, પુષ્પ વગેરેની પુરુષ સાથે ઉપમાયુક્ત અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. ઘાવ સંબંધી તેમજ શ્રેષ્ઠ અને પાપી, પ્રજ્ઞાપક-પ્રભાવક, મિત્ર-અમિત્ર, સંવાસ, જળ તરવૈયા સંબંધી અનેક ચોભંગીઓ કહેવામાં આવી છે. સમવસરણ, દેવોના વર્ણ-અવગાહના, ગતાગત, ગર્ભ, કર્મબંધ, બેઇન્દ્રિય આદિ જીવોની હિંસા, અહિંસાથી સંયમ, અસંયમ, આવર્ત, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ સંબંધી ચાર-ચાર સંખ્યાવાળા વર્ણન છે. ચાર ધ્યાન અને તેના ચાર-ચાર ભેદ, આલંબન, લક્ષણ, ભાવના વગેરેનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ તેમજ છપ્પન અન્તર્રીપોનું વિસ્તૃત વર્ણન છે. તૃણ વનસ્પતિ, અતિકાય, અજીવ, અસ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, કાળ વગેરે વિવિધ વિષયોનું કથન પણ છે. એ પ્રકારે આ ચોથું અધ્યયન સૈદ્ધાંતિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક એમ અનેક વિષયોનો ભંડાર છે. પાંચમા સ્થાનનો સારાંશ : પ્રથમ ઉદ્દેશક (૧) કાયોત્સર્ગ પ્રતિમા પાંચ છે— ૧. ભદ્રા ૨. સુભદ્રા ૩. મહાભદ્રા ૪. સર્વતોભદ્રા પ. ભદ્રોત્તરા. તેમાં અમુક દિશા, વિદિશા તરફ મોઢું રાખીને અથવા તે દિશામાં જઈને નિર્ધારિત સમયનો કે અહોરાત્રનો કાયોત્સર્ગ કરવો.(૨) ઇન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સમ્મતિ અને પ્રજાપત્ય; એ પાંચ સ્થાવરકાયના અધિપતિ દેવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy