SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પૂર્ણ-અપૂર્ણ આદિ હોય છે. ૧. ફૂટેલર. જૂના ૩. ઝરતું હોય તેવા અને ૪. લક્ષણ સંપન્ન ઘડા સમાન ચારિત્ર પણ ચાર પ્રકારના હોય છે. જેમ કે-૧.'મૂળ' પ્રાયશ્ચિત યોગ્ય ૨. 'છેદ' પ્રાયશ્ચિત યોગ્ય ૩. સૂક્ષ્મ અતિચાર ૪. નિરતિચાર-સર્વથા શુદ્ધ ચારિત્ર. (૧૭) મધના ઘડા અને ઝેરના ઘડા અથવા ઢાંકણા સમાન મનુષ્યના હૃદય અને જીભ પણ મીઠા તેમજ કડવા હોય છે. હૃદય અને વચન બંને મિષ્ટ અને કલુષતા રહિત હોય; એ શ્રેષ્ઠ છે. (૧૮) આકસ્મિક ઘટનાઓને આત્મકૃત ઉપસર્ગ સમજવો જોઈએ; દેવ, મનુષ્ય અને તિર્યચે સર્જેલા ઉપસર્ગથી આ ઉપસર્ગ અલગ પ્રકારનો એટલે કે ચોથા પ્રકારનો ઉપસર્ગ(વિશેષ કષ્ટ) છે. આંખમાં ધૂળ પડવી, પગમાં કાંટો વાગવો, ક્યાંયથી પડી જવાથી, અંગોપાંગ શૂન્ય થઈ જવાથી, સાંધાઓ બંધાઈ જવાથી થનાર કષ્ટ પણ આત્મ સમુત્ય ઉપસર્ગ છે. ૧.દેવતા- કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા મિશ્ર હેતુથી ઉપસર્ગ કરે છે. ૨. મનુષ્ય-કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા કુશીલ સેવન માટે ઉપસર્ગ કરે છે. ૩. તિર્યચ– ભય, દ્વેષ, આહાર, પોતાના બચ્ચાં કે સ્થાનના રક્ષણ અર્થે ઉપસર્ગ કરે છે. ૪. સ્વતઃ કર્મોના ઉદયથી. (૧૯) સંઘ ચાર કહ્યા છે–૧. શ્રમણ ૨. શ્રમણી ૩. શ્રાવક૪. શ્રાવિકા. એટલે કે ચારેય મળે ત્યારે સંઘ કહેવાય છે. (૨૦) દ્રવ્યથી પરિગ્રહ મુક્ત અને ભાવથી આસક્તિ- મમત્વ રહિત સાધુ જ મુક્ત અને મુક્તરૂપ થાય છે. (ર૧) સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વની ક્રિયા સિવાય બધી જ ક્રિયાઓ લાગી શકે છે. (૨૨) ક્રોધથી, ઈર્ષાથી, ઉપકાર ન માનવાથી અર્થાત્ અકૃતજ્ઞ બનવાથી, તેમજ દુરાગ્રહથી ગુણોનો નાશ થઈ જાય છે. ગુણ ગ્રહણના અભ્યાસથી, સ્વચ્છંદતાના ત્યાગથી, ઉપકાર કરવાથી અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. (૨૩) ધર્મના દ્વાર ચાર છે– ૧. ક્ષમાભાવ ૨. સરળતા ૩. લઘુતા-નમ્રતા ૪. નિર્લોભતા. (૨૪) ૧. મહા આરંભથી ૨. મહા પરિગ્રહથી ૩. માંસાહારથી ૪. પંચેન્દ્રિય વધથી; નરકના આયુષ્યનો બંધ પડે છે. ૧. કપટ ૨. ઠગાઈ ૩. જૂઠાવચન અને ૪. જૂઠા લેખ લખવાથી તિર્યંચના આયુષ્યનો બંધ પડે છે. ૧. ભદ્રતાર. વિનય૩. દયાળુ, સહૃદયતા અને ૪.મત્સર (ઈર્ષ્યા-અસૂયા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy