SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સારાશ સૂત્ર વિશાળ છાયા, પરિવારવાળા વૃક્ષ સમાન ઉપમાવાળા આચાર્ય શ્રેષ્ઠ છે. (૯) માર્ગ ગમનની અપેક્ષાએ ભિક્ષાચરોના ચાર પ્રકાર છે. (૧૦) મીણ, લાખ, લાકડી, માટીના ગોળા સમાન મનુષ્યના હૃદયની કોમળતા, કઠોરતાનું અંતર હોય છે. લોઢા આદિના ગોળા સમાન મનુષ્ય ભારે કર્મી આદિ હોય છે. સોના, ચાંદી વગેરેના ગોળા સમાન મનુષ્યની ગુણ સંપન્નતા તથા હૃદયની નિર્મલતા ઉચ્ચ, ઉચ્ચતર હોય છે. ૧૦૧ (૧૧) દેવ, દેવી, મનુષ્ય અને મનુષ્યાણી, આ સર્વેયનો પણ પરસ્પર સહવાસ, સંભોગ થઈ શકે છે. (૧૨) શરીર કૃશ અને કષાયનો પણ કોઈ એકાંત સંબંધ નથી. બધા ભંગ સંભવ છે. તે જ રીતે જ્ઞાન-વિવેક, આચરણ-વિવેક અને હૃદય-વિવેકમાં પણ બધા વિકલ્પ સંભવે છે. (૧૩) ચારિત્ર પાલન કરવા છતાં— ૧. ક્રોધી થવાથી ૨. ક્લેશી થવાથી ૩. આહાર વગેરે માટે તપસ્યા કરવાથી ૪. નિમિત્ત-હાનિ લાભ વગેરે બતાવવાથી, જીવ અસુરત્વને પ્રાપ્ત કરે છે. ૧. પોતાની પ્રશંસા ૨. પરનિંદા-પરદોષ કથન ૩. ભસ્મ કર્મ–રક્ષા પોટલી વગેરે કરવાથી તથા ૪. કૌતુક કર્મ–મંત્રિત જળ વગેરે પ્રયોગ કરનાર સાધક આભિયોગિક એટલે નોકર દેવ બને છે. મિથ્યા માર્ગનો ઉપદેશ, મોક્ષ માર્ગમાં અંતરાય, કામભોગની અભિલાષા, નિદાનકરણથી જીવ મોહ કર્મમાં વૃદ્ધિ કરી દુર્લભ બોધિ બને છે. ૧. અરિહંત ૨. અરિહંત ધર્મ ૩. આચાર્ય આદિ ૪. સંઘ વગેરેના અવગુણ ગાવાથી જીવ કિલ્વિષક દેવ બને છે અને કાળાંતરે મૂંગા પશુની યોનિમાં જન્મ ધારણ કરે છે. (૧૪) સંકલ્પ તેમજ પરિસ્થિતિની અપેક્ષાએ ૨૮ પ્રકારની પ્રવ્રજ્યા કહેવામાં આવી છે. Jain Education International (૧૫) ચાર સંજ્ઞાઓ ઉત્પન્ન થવાના ચાર-ચાર કારણો છે. જેમાં એક-એક વિશેષ કારણ છે યથા-૧. પેટ ખાલી હોવાથી– આહાર સંજ્ઞા ૨. કમજોર મનના કારણે– ભય સંજ્ઞા ૩. લોહી, માંસ, વીર્યની વૃદ્ધિથી– મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહના સંગ્રહને કારણે તથા તેનો ત્યાગ ન કરવાથી– પરિગ્રહ સંજ્ઞા; આ રીતે ચારે ય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચારેયમાં સામાન્ય ત્રણ કારણ એ છે કે તે-તે સંબંધી કર્મ ઉદયથી તેમજ જોવાથી, સાંભળવાથી, ચિંતન કરવાથી અને તત્સંબંધી વાર્તા કરવાથી; ઉપરોક્ત કારણ ન હોવા છતાં પણ આ સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. (૧૬) પૂર્ણ-અપૂર્ણ, કુરૂપ-સુરૂપ, પ્રિય-અપ્રિય કુંભ સમાન મનુષ્ય પણ ગુણોથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy