SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત AS કરે છે, તે એકલવિહારી પડિમાધારી કહેવાય છે અથવા તે અપરિસ્થિતિક (કોઈપણ પરિસ્થિતિ વિના તપ માટે) એકલ વિહાર કરનાર કહેવાય. અપરિસ્થિતિ એકલ વિહાર સંબંધી આગમ સ્થળ :-- (૧) દશા દ ૭ માં- અગિયાર ભિક્ષુ પડિમાનું વર્ણન છે. (ર) વ્યવ ઉ૫૦ તથા બૃહત્કલ્પ ઉ૬ માં– જિનકલ્પ નું વર્ણન છે. (૩) ઠાણાંગ ઠા. ૩ માં– એકલ વિહારના મનોરથનું વર્ણન છે. (૪) ઠાણાંગ ઠા૮ માં– એકલ વિહારની ગુણ સંપન્નતાનું વર્ણન છે. (૫) સૂયગડાંગ સૂત્ર શ્રત ૧૦ અ-૨, ઉ–૨ માં– એકલા વિચરવાના સ્થાન, શય્યા, આસનનું તથા ત્યાં સમાધિમાં રહેવાનું કથન છે. (૬) ઉત્તરાધ્યન સૂત્ર અ–ર૯ માં- સંભોગ પચ્ચકખાણથી બીજી સુખ સમાધિની પ્રાપ્તિનું વર્ણન છે તથા ત્યાંજ સહાય પચ્ચકખાણ કરવાથી સંવર, સંયમ અને સમાધિની વૃદ્ધિ તેમજ ક્લેશ આદિની અલ્પતાનું વર્ણન છે. (૭) આચારાંગ સૂત્ર શ્ર–૧, અ–૮, ઉ–૪,૫,૬,૭, માં-વસ્ત્ર સંબંધી વિશિષ્ટ અભિગ્રહધારી સાધુનું વર્ણન છે તથા સેવા કરવી, ન કરવી કે કરાવવી, ન કરાવવી એ સંબંધે ચૌભંગીયુક્ત વર્ણન છે. (૮) દશાબ્દ૪ માં – શિષ્યને એકલવિહારી સમાચારી (વિવેક–વર્તન–આચરણ) શિક્ષા શીખવવાથી આચાર્યને શિષ્યના ઋણથી ઋણમુક્ત થવાનું વર્ણન છે. (૯) ઉવવાઈ સૂત્ર તેમજ ભગવતી સૂત્ર શ—૨૫, ઉ–૭ માં – તપના વર્ણનમાં (તપના જે પ્રકારો કહ્યા છે તેમાં વ્યત્સર્ગ નામના આભ્યન્તર તપ માં ગણ (સાથે વિચરનાર સાધુ સમૂહનો) ત્યાગ કરવો એ પણ તપનો પ્રકાર કહ્યો છે. (૧૦) અનેક આગમોમાં વર્ણિત વિશિષ્ટ અભિગ્રહ તેમજ મોયપડિમાઓ વગેરે એકલા રહીને કરવામાં આવે છે. આ સર્વેય અપરિસ્થિતિક એટલે વિશેષ તપ માટે સ્વીકારેલ એકલ વિહાર સંબંધી આગમ સ્થળ છે. (દ્વિતીય વિભાગના પ્રમાણો ગચ્છ સંબંધી, શરીર સંબંધી અથવા આત્મ સમાધિ સંબંધી કોઈ પરિસ્થિતિથી ગચ્છનો ત્યાગ કરવો પડે તેમજ એવી પરિસ્થિતિને અનુકૂળ કોઈ સાથી ન મળે તો પોતાની પરિસ્થિતિની જાણકારી આપી ખુલાસો કરી, ગચ્છ ત્યાગ કરી જે એકલા વિચરણ કરે છે તેને સપરિસ્થિતિક એકલ વિહારી (પરિસ્થિતિને વશ થઈ એકલા વિહાર ચર્યાવાળા) સાધુ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy