________________
આ
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧: એકલવિહાર
વલ
સપરિસ્થિતિક એકલ વિહારી સંબંધી આગમ વર્ણન:૧. ઠાણાંગ સૂત્ર ઠા૩ માં – આત્મ સુરક્ષાના ત્રણ વર્ણનમાં અંતિમ અવસ્થામાં પોતાની જાત ને (ગચ્છ થી) અલગ કરી લેવાનું દર્શાવેલ છે. ૨. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર૭ માં – શિષ્યો તરફથી અસમાધિ પ્રાપ્ત થવાથી ગર્ગાચાર્યનું એકલા ગમન તેમજ બાદમાં મોક્ષગમનનું વર્ણન છે. ૩. ઉત્તરાધ્યયન અધ્ય. ૩ર માં સમાધિ(આત્મશાંતિ-આત્મસમાધિ)ની ઇચ્છા રાખનાર સાધુને યોગ્ય સાથી ન મળે, જિન શાસનમાં અનેક શ્રમણો હોવા છતાં પણ પુણ્યાશોની નિર્બળતાના કારણે કોઈ શિષ્ય ન મળે (જેમ કે ગર્ગાચાર્યને એક પણ અનુકૂળ શિષ્ય હોતો મળેલ) તો એકલા વિચરણ કરવાની આજ્ઞા તેમજ (શિખામણ) શિક્ષા આપવામાં આવેલ છે. ૪. દશવૈકાલિક સૂત્રની બીજી ચૂલિકામાં:- તે અધ્યયનનું નામ જ વિવિક્તચર્યા રાખવામાં આવેલ છે, તેમાંની દશમી ગાથામાં યોગ્ય સાથી ન મળે તો એકલા વિચરણ કરવાની આજ્ઞા આપવામાં આવેલ છે તથા અધ્યયનની સમાપ્તિ સુધી એકલા સાધુને અનેક પ્રકારની સાવધાની રાખવાની શિક્ષા આપવામાં આવેલ છે.
ચૂર્ણિકાર શ્રી અગત્યસિંહ સૂરીએ પણ કહ્યું છે કે “એ ગાથાઓમાં એકલા વિહારમાં કેવી રીતે રહેવું-એ વિષયમાં સૂત્રકાર કહે છે !” તે ચૂર્ણિકાર શ્રી અગત્સ્યસિંહ સૂરી આજ થી ૧૩૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન સમયમાં થયા છે.
- આ પ્રકારની પરિસ્થિતિને વશ થઈને સ્વીકારેલ એકલ વિહારચર્યાને નવ પૂર્વી માટે કહેવું એ અજ્ઞાનદશા છે, પૂર્વજ્ઞાનના ધારી તો કોઈ પણ પરિસ્થિતિને વશ થયા વિના કેવળ તપ સાધના માટે એકલ વિહાર કરે છે. ૫. આચારાંગ સૂત્ર શ્રુત૦–૧, અધ્ય–દ ઉ–માં :- શુદ્ધ એષણા તેમજ સર્વેષણાની અભિરુચિથી એકલા વિહાર કરતાં-કરતાં આરાધના કરનારનું વર્ણન કરવામાં આવેલ છે. ક. સૂયગડાંગ સૂત્ર શ્રુત૦–૧. અધ્ય–૧૦ ગાથા ૧૧-૧૨ માં – આધાકર્મ દોષયુક્ત આહારની ઈચ્છા રાખવી કે આધાકર્મી દોષ સેવતા હોય તેની સાથે રહેવું તે બંનેનો નિષેધ કરતાં શોક-પરિતાપ રહિત બની કર્મનો ક્ષય કરવાની પ્રેરણા સાથે એકત્વને(એકલ વિહારી પણાને) સ્વીકાર કરવાની પ્રેરણા કરવામાં આવેલ છે તથા એવું પણ આશ્વાસન આપવામાં આવેલ છે કે “એકલ વિહાર” થી પણ મોક્ષ મળી શકે છે, એવો વિશ્વાસ રાખો. જૂઠું ન સમજો. આવા સમયે જો ભિક્ષુ ક્રોધાદિ કષાય ન કરે અને સંયમમાં સત્યનિષ્ઠ રહે, તેનું અવશ્ય કલ્યાણ થાય છે. ૭. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક દમાં :– એકલવિહારી ભિક્ષુએ કેવા ઉપાશ્રયમાં એકલા કેવી રીતે રહેવું તે વર્ણન છે તથા તે બહુશ્રુત હોવો જોઈએ તેમ નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org