________________
૮૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૩) સંદેહ રહિત સાધકને અનુપમ જ્ઞાન થાય છે. (૪) અનુપમ જ્ઞાતા તેમજ આખ્યાતા સાધક જ્યાં-ત્યાં ભટકતાં નથી. (૫) આગમોમાં જ્યાં-ત્યાં સત્ય તત્ત્વોનું કથન છે. (૬) સત્ય-સંયમથી સંપન્ન વ્યક્તિ બધાં પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખે છે. (૭) પ્રાણીઓ સાથે વેર-વિરોધભાવ ન કરવો એ તીર્થકર ભાષિત ધર્મ છે. (૮) તીર્થકર ભાષિત ધર્મ દ્વારા જગતના સ્વરૂપને જાણીને સંયમ જીવન માટે સમાધિકારક ભાવના ભાવે. (૯) ભાવના યોગથી વિશુદ્ધ આત્મા, જે રીતે જળમાં નૌકા પાર થઈ જાય છે તે પ્રમાણે દુઃખોથી છૂટી જાય છે. (૧૦) પાપ કર્મોથી છૂટી જવાથી જીવ નવા કર્મ બાંધતો નથી. (૧૧) નવા કર્મના અભાવથી જન્મ-મરણ થતાં નથી. આ પ્રકારે સંબંધ જોડતાં ગાથોચ્ચારણ પૂર્વક અન્ય ઘણા વર્ણનો છે. (૧૨) જે સ્ત્રીઓનું સેવન નથી કરતા તે જલદીથી મોક્ષગામી બને છે. (૧૩) આ મનુષ્ય જીવનરૂપી અવસર મળવો દુર્લભ છે અને તેમાં જ ધર્મની (સંયમ ધર્મની) આરાધના કરી શકાય છે. આ અવસર ગુમાવ્યા પછી ફરી જન્મ-જન્માંતર સુધી બોધિ એટલે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થવું પણ દુર્લભ છે. (૧૪) પંડિત પુરુષ ઉત્તમ અવસર તેમજ સંયમ પ્રાપ્ત કરી કર્મોને ધોઈ નાખે છે અને અંતમાં સંસાર સાગર તરી જાય છે.
સોળમા અધ્યયનનો સારાંશ (૧) અઢાર પાપોથી નિવૃત્ત, સમિતિ યુક્ત, જ્ઞાન-સંપન્ન, હંમેશાં યતના રાખનાર તેમજ ગુસ્સો-ઘમંડ નહિ કરનાર બ્રાહ્મણ કહેવાય છે. (ર) કોઈને આશ્રિત ન રહેનાર, નિદાન ન કરનાર, ઇન્દ્રિય વિષયોથી તેમજ બધાં આશ્રયસ્થાનોથી પૂર્ણપણે નિવૃત્ત, દમિતાત્મા, જ્ઞાની તેમજ શરીર મમત્વના ત્યાગી શ્રમણ કહેવાય છે. (૩) આત્મ ઉત્કર્ષ(ઘમંડ) તેમજ અપકર્ષ(દીનતા)ન કરનાર, નમ્ર, દમિતાત્મા, જ્ઞાની, વ્યસૃષ્ટકાય, પરીષહ-ઉપસર્ગવિજેતા, શુદ્ધ આધ્યાત્મયોગમાં ઉપસ્થિત, સ્થિરાત્મા, વિચારશીલ, પરદત્ત ભિક્ષાજીવી ભિક્ષુ કહેવાય છે. (૪) જે દ્રવ્ય અને ભાવથી એકલા, એકત્વ સમાધિને જાણનાર, બોધ(સમસ્ત ધર્મ સમજણ) પ્રાપ્ત, શ્રવને રોકનાર, સુસંગત, સુસમિત, સમભાવ સંપન, આત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org