________________
ઉપદેશ શાસ્ત્ર ઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
૮. કોઈને કઠોર-કડવા વચન ન કહે. ૯. પૂજા-સત્કાર મળે તો અભિમાન ન કરે.
૧૦. પોતે પોતાની પ્રશંસા ન કરે.
૧૧. વ્યાખ્યાન વાણી આદિમાં વિનમ્ર બની સ્યાદ્વાદમય વચન બોલે. ૧૨. સત્ય તેમજ વ્યવહાર ભાષાનો પ્રયોગ કરે, ગરીબ-અમીરને સમભાવથી અને રુચિપૂર્વક ધર્મ કહે.
પદ્ધ
૮૫
૧૩. ધર્મ તત્ત્વોનો કે પ્રેરણાનો ઉલ્ટો મતલબ સમજનારને પણ મધુર શબ્દોથી દૃષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે. પરંતુ ખીજાઈને અનાદર કરતાં થકાં વચનો દ્વારા તેને ઠેસ ન પહોંચાડે.
ન
૧૪. પ્રશ્નકર્તાની ભાષાની મજાક ન ઉડાવે, વ્યંગ ન કરે.
૧૫. નાની એવી વાતને શબ્દોના આડંબર વડે મોટી ન બનાવે.
૧૬. થોડું કહેવાથી જે વાત શ્રોતાની સમજમાં ન આવે તેવી હોય તેને વિસ્તારથી સમજાવે.
૧૭. ગુરુ પાસેથી સૂત્રોનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરે અને તે અનુસાર જ સૂત્રોની વ્યાખ્યા કરે.
૧૮. અલ્પભાષી બને.
૧૯. સમ્યક્ત્વની સુરક્ષા કરવાનું સમજે અને સમજાવે.
૨૦. શિક્ષા દાતા તેમજ ગુરુ જનોની સેવા ભક્તિ કરે તથા ભાષા તેમજ ભાવોથી તેમના પ્રત્યે આદર રાખે.
(૮) આ પ્રકારે શુદ્ધ અધ્યયન, વ્યાખ્યા, પ્રરૂપણા, તપશ્ચર્યા કરનાર ઉત્સર્ગધર્મની જગ્યા એ ઉત્સર્ગ, અપવાદધર્મની જગ્યાએ અપવાદ ધર્મનો સ્વીકાર કરનાર, વિના વિચાર્યે કાર્ય ન કરનાર સાધુ ‘આદેય વચન’ વાળા બને છે, તેમજ તે સર્વજ્ઞોક્ત સમાધિની વ્યાખ્યા કરી શકે છે અને તેજ સર્વજ્ઞોક્ત(સર્વજ્ઞ પ્રભૂની બતાવેલી) સમાધિને પ્રાપ્ત કરી શકે છે.
પંદરમા અધ્યયનનો સારાશ
આ અધ્યયનમાં પૂર્વના વિષયોને તેમજ ગાથાના અંતિમ શબ્દ ને પ્રાયઃ સંબંધિત કરતાં પુનરુચ્ચારણ કરીને વર્ણન કરેલ છે. અર્થાત્ આ અધ્યયનની ઘણી ગાથાઓમાં વિલક્ષણ અલંકારિક રચના શૈલીનો પ્રયોગ છે.
(૧) બધા તીર્થંકરોએ સર્વપ્રથમ દર્શનાવરણીય(સમ્યગ્દર્શનને આવરત કરનાર દર્શન મોહ) કર્મનો ક્ષય કરવાનું જરૂરી માન્યું છે.
(૨) તેના ક્ષય થી સંદેહ નષ્ટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org