________________
Xa
૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૩) નવદીક્ષિત મુનિ પરિપક્વ થવા માટે આ પ્રમાણેના ગુણોની વૃદ્ધિ કરે૧. ગુરુકુળમાં રહેતાં થકાં સમાધિની ઇચ્છા રાખે, કારણકે જે પ્રારંભમાં ગુરુકુળ વાસ નથી કરતા, તે કર્મોનો અંત કરનાર બની શકતા નથી. તેથી ગુરુકુળ વાસની બહાર ન નીકળે. તેનું કારણ એ જ છે કે શરૂઆતની શિક્ષા-દીક્ષા, અભ્યાસ વગેરે યોગ્ય ગુરુના સાંનિધ્યમાં થવાથીજ સુંદર તેમજ સફળ જીવનનું નિર્માણ થાય છે. ૨. ઊભા રહેવાનો, બેસવાનો, સૂવા વગેરે નો વિવેક; સમિતિ-ગુપ્તિઓનો યથાર્થ અભ્યાસ, અત્યંત અમનોજ્ઞ શબ્દોમાં પણ સમતા ભાવ, અનાશ્રવ પરિણામ, નિદ્રા-પ્રમાદની અલ્પતા; નાના-મોટા રત્નાધિક, તેમજ સરખી ઉંમરની વ્યક્તિ દ્વારા ભૂલ બતાવવામાં આવે કે ઉપાલંભ આપવામાં આવે તો તેના પર શુભ પરિણામો રાખવાનો અભ્યાસ કરવો.
૩. ભિક્ષુની કોઈ પણ ભૂલ પ્રત્યે ગૃહસ્થ કે દાસ-દાસી આદિ સાવધાન કરે તો તેનો પ્રસન્ન ચિત્તે સ્વીકાર કરવો, તેમનો તિરસ્કાર ન કરવો પરંતુ ઉપકારી સમજી આદર આપવો.
૪. રાહગીર અંધકારમાં માર્ગ જોઈ શકતો નથી અને પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકે છે, તેવી જ રીતે અર્ધશિક્ષિત નવદિક્ષિત પણ ગુરુના સાંનિધ્યે, જિનમત માં પારંગત બન્યા બાદ સ્વયં નિર્ણાયક બની શકે છે.
૫. ગુરુ સાંનિધ્યમાં નિવાસ કરનાર સાધક, ઉત્તમ સાધુનો આચાર અને વાદિ મોક્ષ પર્યંતના નવ તત્ત્વો ને જાણી બુદ્ધિમાન વક્તા બની જાય છે. તે સંયમ પ્રાપ્ત કરી, શુદ્ધ આચાર કે શુદ્ધ આહાર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૬) આવા સાધક બીજાને સમ્યક ઉપદેશ દ્વારા ધર્મમાં જોડતાં થકાં શંકાઓનું સમ્યક સમાધાન કરી, તેને ધર્મમાં સ્થિર કરે છે.
(૭) આ પ્રકારે ધર્મ આરાધના તેમજ ધર્મ પ્રભાવના કરતાં કરતાં પણ સાધક નીચેની વાતોનું ધ્યાન રાખે.
૧. ક્યાંય પણ સ્વાર્થવશ સૂત્ર સિદ્ધાંતના વાસ્તવિક અર્થને છુપાવે નહિ. ૨. તેવું અભિમાન પણ ન કરે કે હું બહુ મોટો વિદ્વાન, તપસ્વી અને ક્રિયાકાંડી છું. ૩. કોઈ શ્રોતા સમજે નહિ તો તેની ઠેકડી ઉડાવે નહિ અને કોઈના પર ખુશ થઈને આશીર્વાદ પણ ન દે.
૪. વિદ્યા મંત્રનો પ્રયોગ ન કરે.
૫. જનતા પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદની આશા ન રાખે, પરંતુ જરૂરી પદાર્થો ને ભિક્ષા સમયે નિર્દોષ વિધિથી ગ્રહણ કરે.
૬. હાસ્ય-મજાક ન કરે.
૭. સાવધ(જેમાં હિંસાદિ દોષ હોય) પ્રવૃત્તિઓની પ્રેરણા ન આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org